The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સાંસદ મનસુખભાઇ વસાવાએ પાટવલીના ગુમીના ફળિયામાં આગ લાગવાના ઘટના સ્થળની લીધી મુલાકાત

  • સાંસદ મનસુખભાઇ વસાવા સહિત અન્ય પદાધિકારીઓના હસ્તે અસરગ્રસ્ત ગુમીના ફળિયાના ૧૧ જેટલા પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કિટ્સનું વિતરણ કરાયું

નર્મદા જિલ્લામાં દેડીયાપાડા તાલુકાના પાટવલીના ગુમીના ફળિયામાં તા. ૨ જી માર્ચ, ૨૦૨૨ ના રોજ  આકસ્મિક રીતે અચાનક આગ લાગવાની બનેલી ઘટનાથી ૧૧ જેટલા પરિવારોના કાચા ઘરો સળગી ગયા હતાં. જેની ગઇકાલે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ મુલાકાત લઇને આ પરિવારોને આશ્વાસન આપ્યું હતું. આ વેળાએ સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના  હસ્તે જીવનજરૂરી ચીજવસ્તુઓ-સામગ્રી ઉપરાંત જિલ્લામાં અમલી “નોંધારાનો આધાર“ પ્રોજેક્ટ હેઠળ ગુમીના ફળિયાના ૧૧ જેટલા પરિવારોને  જીવનજરૂરી ચીજવસ્તુઓની કિટ્સ આપી હતી.

આ પ્રસંગે   પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ  સહિત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!