The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વર નેશનલ હાઇવ બન્યો અકસ્માત ઝોન, ફરી વાલિયા ચોકડી પાસે સર્જાયો અકસ્માત

અંકલેશ્વર નેશનલ હાઇવ બન્યો અકસ્માત ઝોન, ફરી વાલિયા ચોકડી પાસે સર્જાયો અકસ્માત

0
અંકલેશ્વર નેશનલ હાઇવ બન્યો અકસ્માત ઝોન, ફરી વાલિયા ચોકડી પાસે સર્જાયો અકસ્માત

અંકલેશ્વર નેશનલ હાઇવે આજરોજ અક્સ્માત ઝોન સાબિત થયો હોય એમ એક બાદ એક અક્સ્માતોની વણઝાર સર્જાવા પામી હતી. આજે ફરી એકવાર વાલિયા ચોકડી પાસે ઓવર બ્રિજ ઉપરથી સુરત તરફથી અમદાવાદ જતો એક ટેમ્પો આગળ જતા કન્ટેનર ચાલક દ્વારા અચાનક ઊભી કરી દેવાતા ધડાકાભેર અથડાતા પામ્યો હતો.

આ અકસ્માતમાં આઇસર ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જેમાં ભારે જહેમત બાદ ટેમ્પો ડ્રાઈવરને ક્રેનની મદદથી કાપીને બહાર કરવામાં આવ્યો હતો.જેને ૧૦૮ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.અકસ્માતોને પગલે અંકલેશ્વર નેશનલ હાઈવે આજરોજ સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.તો ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિક હળવો કરવા સતત ઝઝુમી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!