The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વર: અંદાડા ગામે મોબાઇલની તકરારમાં એકની કરાઇ હત્યા

અંકલેશ્વર: અંદાડા ગામે મોબાઇલની તકરારમાં એકની કરાઇ હત્યા

0
અંકલેશ્વર: અંદાડા ગામે મોબાઇલની તકરારમાં એકની કરાઇ હત્યા
  • ૪૫ વર્ષીય ઇસમને સીમેન્ટ બ્લોક મારતા મોતને ભેટ્યો

અંકલેશ્વરના અંદાડા ખાતે મોબાઇલ બાબતના ઝઘડામાં એક ૪૫ વર્ષીય ઇસમને સીમેન્ટનો બ્લોક માથામાં મારી દેતાં ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

અંકલેશ્વરના અંદાડા ગામે સાંજે ૫.૩૦ની આસપાસ શીવ મંદિરની પાછળના ભાગે છુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ૪૫ વર્ષીય ભરત લક્ષમણભાઇ મણવર રહે. જી.એન.એફ.સી. તળાવની પાળ પાસે આવેલ નહેર નજીકની ખુલ્લી જગ્યામાંને આરોપી સાથે શીવ મંદિરની પાછલના ભાગે મોબાઇલ બાબતે બોલાચાલી ઝઘડો થતાં આરોપી દ્વારા ઉસ્કેરાઇ જઈને સીમેન્ટનો બ્લોક ઉઠાવી ભરત મણવરને માથે મારી દેતાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને કરાતા અંકલેશ્વર શહેર પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મૃતકની લાસનો કબ્જો મેળવી તેને પી.એમ અર્થે ખસેડી એક શકમંદ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!