ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે ગ્રે વોટર પ્લાન્ટનું આજે જિલ્લા સમાહર્તાની હાજરીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરયું હતું. આ પ્રોજેકટ સંપુર્ણપણે કાર્યરત કરાતા ગામના હયાત તળાવમાં તથા નદીમાં ઠલવાતા ગંદા પાણીના નિકાલની અટકાયત કરી ગંદા પાણીનું પ્લાન્ટના ઉપયોગ વડે શુધ્ધીકરણ કરી નર્મદા નદીના કાંઠે વાવેલ વૃક્ષો અને ફૂલ છોડના સિંચન માટે કરવામાં આવી રહેલ છે.

માત્રરૂ.1.97 કરોડમાં ગટરના ગંદા પાણીને શુદ્ધિકરણ કરવાનો પ્રોજેકટ હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સીમાચિહ્નરૂપ બનશે.રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં રોજિંદા વપરાશથી ઉત્પન્ન થતા ગંદા પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારના ગુજરાત પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કર્યો હતો.ગંદા પાણીના શુદ્ધિકરણ થકી જળ સંરક્ષણ કરવા માટેનો આ મહત્વપૂર્ણ પ્લાન્ટ ભરૂચના શુક્લતીર્થ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો હતો. જેના થકી આજે ગંદા પાણીને ચોખ્ખું બનાવી બિનઉપયોગી પાણીને ઉપયોગી બનાવવામાં સફળતા મળી છે.

આ પાયલોટ પ્રોજેક્ટ અન્ય જીલ્લાઓ તથા ગ્રામિણ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ છે. જે ગ્રામિણ સ્તરે રોજિંદા વપરાશ બાદ એકત્રિત થતા ગંદા પાણીના નિકાલ માટે મદદરૂપ સાબિત થશે. વર્ષ 2022 માં શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે 700 KLD ક્ષમતા ધરાવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ. 1.97 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો જેનું આજે ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારી,કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શુકલતીર્થના ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here