The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ પાલિકાએ વેરાના ભરતા બાકીદારો સામે આખરે શરૂ કર્યુ સિલિંગ

ભરૂચ પાલિકાએ વેરાના ભરતા બાકીદારો સામે આખરે શરૂ કર્યુ સિલિંગ

0
ભરૂચ પાલિકાએ વેરાના ભરતા બાકીદારો સામે આખરે શરૂ કર્યુ સિલિંગ
  • 8 દુકાન અને એક ફ્લેટ સીલ કરાયો

ભરૂચ નગર પાલિકા દ્વારા 20 હજાર જેટલા બાકીદારો પાસેથી રૂ. 7 કરોડના બાકી વેરાની વસુલાત સામે હવે મિલકતો સીલ મારવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. ભરૂચ નગર પાલિકાની વેરા વસુલાતની ટીમોએ આજે શનિવારે શહેરમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી બાકી મિલકત વેરા સામે સિલિંગનું શસ્ત્ર ઉગામ્યું હતું.

જેમાં શહેરના ડ્રિમ લેન્ડ પ્લાઝામાં 221થી 227 નંબરની 7 દુકાનો પાસેથી બાકી રૂ. 66 હજાર ઉપરાંતની વસુલાતમાં મિલ્કતોને સીલ મારી દેવાયું હતું. અપ્સરા એપાર્ટમેન્ટની એક દુકાનના રૂ. 58 હજાર અને ફ્લેટનો 75 હજાર વેરો બાકી હોઈ બંન્ને મિલકતને પણ સીલ કરી દેવાઈ હતી.

નોંધવું રહ્યું છે કે સિલિંગમાં કોમર્શિયલ મિલકતો સાથે રહેણાંક મિલકતનું પહેલા પાણી જોડાણ અને તે નહિ હોય તો મિલકત સીલ કરવાની કામગીરી કરાશે. આ સિલિંગથી બચવા મિલકત ધારકોએ તેમનો બાકી વેરો ભરપાઈ કરી દેવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!