The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ:ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂપડામાં લાગી આગ

ભરૂચ:ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂપડામાં લાગી આગ

0
ભરૂચ:ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂપડામાં લાગી આગ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના મકતમપુર નજીક આવેલ કોઠી ફળિયાની ઝૂપડાપટ્ટીમાં આજે સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા સાથે અફરાતફરી સર્જાવા પામી હતી.

આ અચાનક ફાટી નીકળેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 જેટલા ઝૂપડાઓ આ આગની લપેટમાં આવી ગયા હતા. જેને સ્થાનિક ઝુપ્ડાવાસીઓએ પાણીની ડોલો નાંખી આગ ઓલવવા પ્રયાશો કર્યા હતા પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે જેને પગલે ઝૂપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા સાથે ઘરમાં રાખેલા રૂપિયા પણ બળી ગયા હતા.

જોકે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે.આ આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!