The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

કાલથી રાજસ્થાનના CM અશોક ગેહલોત બે દિવસ ગુજરાત આવશે, ઉમેદવારો જાહેર થવાની શક્યતા!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો અંતિમ મોડમાં ચાલી રહ્યાં છે.આગામી 31 ઓગસ્ટે મોદી ગુજરાત આવશે અને બનાસકાંઠાના થરાદમાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. બીજી બાજુ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં તેઓ 6 જાહેરસભા સંબોધશે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસની કમાન હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાથમાં લીધી છે. અશોક ગેહલોત આવતીકાલથી બે દિવસ ગુજરાત આવશે. ત્યારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની પણ શક્યતાઓ છે.

સુત્રો પાસે જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના વોરરૂમમાં નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરી બેઠક યોજાઇ હતી. જેમાં સોનિયા ગાંધી સહીતના પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન લાંબા મંથન બાદ 3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં 2017માં સૌથી ઓછા મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા તે બેઠકના પણ ઉમેદવાર લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે. વર્તમાન ધારાસભ્યો સિવાય 35 ઉમેદવારો સ્ક્રીનીંગ કમિટીએ નક્કી કરી લીધા છે. જ્યારે 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!