The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized રસી લેનારા લોકો પણ ફેલાવી શકે છે કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ: સ્ટડી

રસી લેનારા લોકો પણ ફેલાવી શકે છે કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ: સ્ટડી

0
રસી લેનારા લોકો પણ ફેલાવી શકે છે કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ: સ્ટડી

કોરોના વાયરસ અંગે એક વર્ષ સુધી ચાલેલા અભ્યાસ બાદ નવો ખુલાસો સામે આવ્યો છે
એજન્સી, દિલ્હી

કોરોના વાયરસ અંગે એક વર્ષ સુધી ચાલેલા અભ્યાસ બાદ નવો ખુલાસો સામે આવ્યો છે કે, જે લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે તેઓ પણ પોતાના ઘરોની અંદર તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત કરી શકે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં 621 લોકો પર લગભગ એક વર્ષ સુધી ચાલેલા અભ્યાસ બાદ આ ખુલાસો સામે આવ્યો છે. ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસિઝ મેડિકલ જર્નલમાં ગુરુવારે પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અભ્યાસમાં કોવિડના હળવા લક્ષણો ધરાવતા 621 લોકોનો સામેલ કરાયા હતા. વૈજ્ઞાનિકોએ અભ્યાસ દરમિયાન જાણ્યું કે, રસી લેવા છતાં તેમનામાં સંક્રમણનું જોખમ ટોચ પર હતું. સાથે જ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે રસીકરણ લીધેલા 25% લોકોના સંપર્કમાં આવેલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે રસીકરણ વગરના લોકોના સંપર્કમાં આવેલા લગભગ 38% લોકો સંક્રમિત થયા છે.

અભ્યાસમાં જોવા મળ્યું કે, જેમણે રસી અપાવી હતી તેમનામાં સંક્રમણના હળવા લક્ષણો હતા, જ્યારે રસી ન લીધી હોય તેવા લોકોના સંપર્કમાં આવેલા સ્થિતિ વધુ ખરાબ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર રસીકરણથી જ ડેલ્ટા વેરિયન્ટ સંક્રમણથી બચી શકાય નહીં. જો કે, સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, રસી લીધા પછી સંક્રમણની અસર ઓછી થાય છે અને તે ખતરનાક સ્તરે પહોંચતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!