માતા પિતા તો બાળકને માત્ર જન્મ જ આપે છે તેઓ પણ લાગણીના અતિરેકમાં ઘણીવાર બાળકનુ ઘડતર કરવામાં ઊણા ઉતરે છે, તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવાનુ કામ એક શિક્ષક જ કરી શકે છે. અનેક વિધાર્થીઓ ડૉક્ટર,વકીલ, ઈજનેર, વૈજ્ઞાનિક અને શિક્ષકો બન્યા છે. આ પરંપરાના આધારે ભરૂચની વર્ષો જૂની શાળા બી.એચ.મોદી.વિદ્યામંદિર, વેજલપુર ખાતે વયમર્યાદા કારણે નિવૃત્તિ લેતાં નિવૃત્ત શિક્ષકનું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક કાર્યક્રમ યોજી સમાજમાં શિક્ષકનું સ્થાન ઉચ્ચ સ્થાને રહે તેવા પ્રયત્ન કર્યા હતા.

આ શુભ અવસરે ટ્રસ્ટી મુળચંદ સર, આચાર્ય હરેન્દ્રસિંહ.એન.સિંધા, શિક્ષક કાજલમૅડમ, મનસુખ સર , મુખ્ય મહેમાન સિવિલ હોસ્પિટલના સ્ટાફ નસૅ સ્વેતા ગોહિલ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વતૅમાન વિધાર્થિઓએ હાજરી આપી ક્ષણને યાદગાર બનાવી હતી.આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાલ ઓઢાડી નિવૃત્ત શિક્ષકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટી દ્વારા શિક્ષણનું મહત્વ અને વિધાર્થી આગળ વધે તે મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરાઇ હતી. શાળાની જ વિદ્યાર્થીની અને સ્ટાફ નસૅ દ્વારા કોરોના મહામારીમા તેમજ શરીર ની કાળજી કેવી રીતે રાખવી, પૌષ્ટિક આહાર કેવો લેવો જોઈએ વિષે ચચૉ કરી હતી. સાથે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હીના પરમાર કે જે વકીલ હોવાની સાથે સખી વન સ્ટૉપ સેન્ટરમાં કેસવકૅરે તરીકે કાયૅરત છે. તેમણે આઝાદી અમૃત મહોત્સવ ના અંતગર્ત સખી વન સ્ટૉપ સેન્ટરની યોજના વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા કમૅચારીને સન્માન પત્ર આપી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here