આઝાદીકા અમૃત મહોત્સવ કાયક્રમ હેઠળ આજરોજ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુકત ઉપક્રમે કોમી એકતા અને કોમી સૌહાર્દ ઉજાગર કરવા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જે.એસ.એસનાં તાલીમાથી ભાઇ-બહેનોએ વિવિધ થીમ ઉપર પોતાની રંગોળી બનાવી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું આયોજન જે.એસ.એસનાં નિયામક ઝૈયનુલ આબેદ્દીન સૈયદ તથા નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી સુબ્રોતો ઘોષનાં માગદર્શન હેઠળ યોજાયો હતો.

નિર્ણાયક તરીકે શ્રીમતિ ક્રિષ્ણા કઠોલીયા તથા આઇ.આઇ.પટેલે સેવાઓ આપી હતી. વિજેતા વિદ્યાર્થીઓને નહેરૂ યુવા કેન્દ્ર તરફથી ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાશે અંતમાં લાઇવલી હૂડ કો.ઓર્ડિનેટર શ્રીમતિ શિતલબેન ભરૂચાએ સૌનો આભાર વ્યકત કર્યા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here