The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 66

વોચ કરી બેન્કોમાં પૈસા ભરવા આવતા જતા નાગરીકો પાસે પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઝડપાયા

ભરૂચની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા ૧૨ વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી યુપીની ગડ્ડી ગેંગના ૪ સાગરીતોને ઝડપી લીધા છે.

બેંક બહાર કે અંદર રૂમાલમાં નોટોના બંડલ હોવાનું બતાવી આ નાણાં વતન મોકલવાના છે પણ ચોરી કે ગેરકાયદેસર હોય તેમ કહી કમિશનની લાલચ ઉત્તર પ્રદેશની ગડ્ડી ગેંગ આપતી હતી. જેના બદલામાં વતન મોકલવા બેંકમાં રહેલા ગ્રાહક પાસેથી ૫૦૦૦ થી ૨૫ હજાર લઈ લેતી હતી.

જોકે ગ્રાહક રૂમાલ ખોલીને નોટોની ગડ્ડી જોતા માત્ર પેહલી નોટ જ અસલી જ્યારે નીચે તમામ કાગળ જ મળતા હતા. આવી રીતે આ ગેંગે પાછલા ૧૨ વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 14 સ્થળે બેંકો બહાર તેનો કીમિયો અજમાવ્યો હતો.કુલ ૩૪ લોકોને નોટોની ગડ્ડીમાં ભોળવી રૂપિયા અઢી લાખ જેટલા પડાવી લીધા હતા.

ભરૂચ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના પી.એસ.આઈ. વાય.જી.ગઢવીને બાતમી મળી હતી કે અંકલેશ્વર કાલુપુર બેંક બહાર અલ્ટો કાર લઈ ટોળકી ઉભી છે. એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ, શહેર પી.આઈ. આર.એચ.વાળા, પોસઇ એ.એસ.ચૌહાણે સહિત ટીમે તુરંત બેંક પાસે પહોંચી ગડ્ડી ગેંગના ૪ અપરાધીઓને ઝડપી લીધા છે.

આ ગડ્ડી ગેંગના મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાપી, સુરત, બાંદ્રા રહેતા આરોપીઓ નિતેશકુમાર રાધેશ્યામ સોનેકર, રકીબ અહમદખાન ગુર્જર, જેરામસીંગ સુંદરસીંગ પરિહાર તેમજ વીપીનકુમાર લાલપ્રતાપ મિશ્રાની ધરપકડ કરી તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે.

મુંબઈના સિદ્ધિવિનાયક જેટલું જ મહત્વ ધરાવતું ભરૂચનું સિદ્ધિવિનાયક મંદિર

ભરૂચના મકતમપુર સ્થીત સિદ્ધિવિનયક મંદિર આશરે ૧૬૦ વર્ષથી પણ વધારે પુરાણું છે. આ મંદિર ઈ.સ. ૧૮૫૯માં ગોકળભાઈ વ્રજલાલ શેઠે બંધાવી માગસર વદ ચોથના દિવસે જાહેર જનતાના દર્શનાર્થે ખુલ્લુ મુકાયું હતું. ત્યાર બાદ ઇ.સ.૧૮૬૨માં મંદિર અને તેની સાથે સંકડાયેલ તમામ સ્થાવર મિલ્કતોનું ટ્રસ્ટ બનાવી મંદિરનો તમામ વહિવટ ટ્રસ્ટીઓને સોંપાયો હતો.ત્યારથી આ મંદિર બોમ્બે મંદિર ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાઇ અને ટ્રસ્ટીઓ દ્વારા સંચાલીત કરાય છે.

ભરૂચનું આ સિદ્ધિવિનાયક મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરની વિષેશતામાં જોઇએ તો મુંબઈ સિદ્ધિ વિનાયક ગણેશજીની જેમ અહીંની મુર્તી પણ જમણી સુંઢની અને તેમની આસપાસ રિદ્ધિ અને સિદ્ધિ વિરાજમાન છે. તેથી તેનું મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર જેટલું જ મહત્વ છે.આ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર દરેક ગણેશ ચતુર્થી, મંગળવારે મોડે સુધી દર્શનાર્થે ખુલ્લુ રખાય છે. અહીં  ભગવાન ગણેશના હજારો ભક્તો અહીં આવી સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્ય બને છે અને ભગવાન ગણેશજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

મેરા ટીચર મેરા હીરો થીમ ઉપર જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શિક્ષક દિન ઉજવાયો

ભારતાના સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જે.એસ.એસ ભરૂચના પેટા કેન્દ્રો કોંઢ તા. વાલિયા, ઓચ્છણ તા. વાગરા તેમજ ભરૂચ શહેરના પાંચબત્તી કેંન્દ્ર ખાતે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે સ્કીલ તાલીમ પ્રાપ્ત કરતા તાલીમાર્થીઓ દ્વારા તેમનાં પ્રશિક્ષકો સાથે સંકલનમાં “મેરા ટીચર મેરા હીરો થીમ ઉપર વિવિધ કાર્યક્રમો યોજયા હતા.

આ કાર્યક્રમો જે.એસ.એસના ફીલ્ડ અને લાઈવલીહુડ કોઓર્ડીનેટર શ્રીમતિ ક્રિષ્નાબેન કઠોલીયા દ્વારા માર્ગદર્શન આપી. વિવિધ કાર્યક્રમો તથા સેલ્ફી/ ગ્રુપ ફોટો વગેરેનું પણ આયોજન કરાયું હતું. જેમાં બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ભરૂચ ધોબીવાડ ફાટાતળાવ વિસ્તારમાંથી જુગાર રમતા ૧૧ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ લીના પાટિલ નાં માર્ગદર્શન મૂજબ અને એલસીબી પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.ના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમીનાં આધારે ધોબીવાડ ફાટા તળાવ વિસ્તારનાં ઍક મકાનમાં જુગાર અંગે રેડ કરવામા આવી હતી.જેમાં પત્તા પાનાનો જૂગાર રમતા 11 ખેલીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા જેમની પાસેથી અંગઝડતી અને દાવ પર નાં નાણા અને મોબાઇલ ફોન મળી કુલ રૂ 1લાખ કરતાં વધુ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલ ખેલીઓમાં ૧) ઝાકીરઅલી શકુરઅલી શેખ રહે- ધોબીવાડ ફાટાતળાવ , ૨) સલીમ ઉર્ફે નાન હનીફ મલેક રહે- બરકતવાડ , ફુરજા રોડ , ૩) નુરમહંમદ અબ્દુલ હક્ક શેખ ઉર્ફે બાપુ રહે તાડીયા , ભરૂચ,૪) સાહરુખ ગુલામરસુલ મીરાસી રહે ત્રણ કુવા નવી નગરી , ભરૂચ,૫) રાહુલભાઇ ચંદ્રશેખર વસાવા રહે- કુરજારોડ , ભરૂચ,૬) રિયાઝ ગોરુભાઇ સૈયદ રહે- ફુરજા રોડ, ભરૂચ,૭) સલીમ ગુલામ મલેક રહે, ફુરજા રોડ, ભરૂચ,૮) મહંમદ કેફ અબ્દુલ કાદર શેખ રહે તાડીયા, ભરૂચ,૯) ઝમીલ શબ્બીર શેખ રહે- કોઠી મ , ભરૂચ,૧૦) સુનીલભાઇ ઉડભાઇ વસાવા રહે- ત્રણ કુવા નવીનગરી, ભરૂચ,૧૧) સલીમ હુશેન કુરેશી રહે- સૈયદવાડ, ભરૂચની અટક કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી કબ્જે કરેલ મુદામાલ અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂપીયા ૬૫,૪૨૦૪ અને મોબાઇલ ફોન નંગ -૮ કિં.રૂ. ૩૮,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂા ૧ ૧૩,૪૨૦/ જ્પત કરી ઝડપાયેલ તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વાલિયા ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઇ

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ વિસ્તરણ રેંજ વાલિયા દ્વારા ગ્રીન ગુજરાત ક્વીન ગુજરાત અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  કોલેજના પટાંગણમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, મામલતદાર એ.ડી.મિસ્ત્રી, નવચેતન એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી  કે.વી.સયાણીયા,  ટ્રસ્ટી અશ્વિનસિંહ વિહારીયા, વન વિભાગના આર.એફ.ઓ. મહિપાલસિંહ ગોહિલ, વન વિભાગનો સ્ટાફ તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય  શર્મિલાબેન પટેલ, નિમિષાબેન તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી બાદ ગણેશ વિજર્સનની શોભાયાત્રા નીકળી

આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે જંબુસરના સર્કલ પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયા, આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી.કામળિયા.આમોદ નાયબ મામલતદાર,આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ,શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ સહિતના લોકોએ ગણપતિ મંદિરે આરતી ઉતારી હતી.ત્યાર બાદ રાણા સ્ટ્રીટ ગણપતિ દાદાના શોભાયાત્રાના ટ્રેકટર ઉપર આમોદ પી.એસ.આઈ.તથા નાયબ મામલતદારે શ્રીફળ વધેરી શોભાયાત્રાની શરૂઆત કરાવી હતી.

આમોદમાં ડી.જે.ના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત ટીમલી,રાસ,ગરબા,ફિલ્મી ગીતો ઉપર લોકો મનમૂકીને ઝૂમી ઉઠયા હતા.ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.તેમજ શોભાયાત્રામાં ભગવો ધ્વજ તેમજ તિરંગા ઝંડા સાથે શ્રીજી ભક્તોએ ધર્મભક્તિ અને દેશભક્તિ અદા કરી હતી.આમોદ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ મહેશ પટેલ સહિત ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના લોકોએ ગણપતિ દાદાને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.આ ઉપરાંત આમોદ પોલીસ મથકે ગણપતિ દાદાને આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી કામળિયા સાથે એસ.આર.પી.ના જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી.

ગણપતિ દાદાન મંદિરથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી. સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજો ના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી.આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા,તરવૈયા,લાઇટિંગ તેમજ મોટી ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગણેશ વિસર્જનને લઇને કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જેમાં એસ.પી.૧, એ.એસ.પી.૧, પી.આઈ.૪, પી.એસ.આઈ.૭ સહિત ૩૧૦ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ,જી.આર.ડી.જવાનોનો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

* રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

માટીની પ્રતિમાઓનું ભરૂચ નર્મદામાં વિસર્જન કરવાની મંડળોની માંગથી પાલિકા મુંઝવણમાં

ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન ભાડભુત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ નીલકંઠેશ્વર મહાદેવ મંદીર ખાતે ગણેશ વિસર્જન બંધ કરાવી કૃત્રિમ કુંડની પરંપરા ચાલુ થઇ છે. કોરોનાની મહામારી બાદ ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની રંગત પુરબહારમાં ખીલી છે. શુક્રવારે થનારા ગણેશ વિસર્જન પહેલાં ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ગણેશ આયોજકો અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી.

ભરૂચમાં માટીની બનેલી ગણેશજીની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જીત કરવાની ગણેશ મંડળોની માંગના પગલે તંત્ર મુંઝવણમાં મુકાયું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી નીલકંઠેશ્વર મહાદેવ ઘાટ ખાતે કરાતું ગણેશ પ્રતિમાઓનું વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગણેશ આયોજકોએ માટીમાંથી બનેલી પ્રતિમાઓનું નીલકંઠેશ્વર ઘાટ ખાતેથી વિસર્જન કરવા દેવામાં આવે તેવી માગ કરતાં તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે.

બેઠકમાં ગણેશ વિસર્જન અંગે કૃત્રિમ તળાવો અંગે માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં ગણેશ યુવક મંડળોએ રજુઆત કરી હતી કે, ચાલુ વર્ષે 70 ટકાથી વધારે શ્રીજીની પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી છે જેથી માટીની બનેલી પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે. જો કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ હોવાથી તંત્ર નર્મદા નદીમાં વિસર્જનની પરવાનગી આપી શકે તેમ નથી.

આ મામલે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે,ભરૂચમાં ગણેશ વિસર્જન શાંતિપુર્ણ માહોલમાં થાય તે માટે તંત્ર શકય તમામ પ્રયાસ કરી રહયું છે. શ્રીજી વિસર્જન માટે ચાર કુંડ બનાવ્યાં છે અને પાંચમા માટે વિચારણા ચાલુ છે. ભકતોની આસ્થાને ઠેસ ન પહોંચે તે રીતે કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાશે. નદીમાં વિસર્જન અંગે એનજીટીની ગાઇડલાઇન હોવાથી અમે સત્તાવાર કોઇ આદેશ કરી શકીએ નહી.

શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે સીંગલ યુઝ પ્લાસ્ટીક અવેરનેશ કાર્યક્રમ યોજાયો

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને શ્રવણ વિદ્યાધામ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે “SINGLE USE PLASTIC ” ના ઉપયોગ પર જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ 5મી સપ્ટેમ્બરના રોજ યોજાયો હતો.

જેમાં શ્રીમતી માર્ગી મેડમ કે જેઓ (રીજનલ ઓફિસર અને હેડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ભરૂચ) સંજયવર્મા (ચેરમેન EAS) તુલસીપુરી ગૌસ્વામી, રાજેન્દ્રભાઈ ગાયકવાડ,સંતોષ વર્મા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ મહેમાનઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રીમતી માર્ગીમેડમે વક્તવ્ય રજૂ થયું હતું .

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને, પ્લાસ્ટિકની ખરાબ અસરો અંગે લોક જાગૃતિ લાવવાનો તેમજ પૃથ્વીને પ્રદૂષિત થતી અટકાવવાનો હતો. પ્લાસ્ટિકની બેગ સિવાય કાપડની થેલી, કાગળની બેગ અને વૃક્ષના પાનનો ઉપયોગ કરવાનું જણાવાયું હતું.

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી નજીક ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ મામલે વધુ બે ઝડપાયા

ગઇ તા. ૦૩/૦૮/૨૦૨૨ ની રાતે અંકલેશ્વર શહેર વિસ્તાર અલનૂર કોમ્પ્લેક્ષ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યૂપિટર ગાડી લઇ ધરે આવી રહ્યા હતા તે દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા.ઘાયલ સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજયું હતું. આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે એક આરોપી અઝહર રિયાઝ ઉર્ફે ભગવાન શેખની ધરપકડ કરી હતી ત્યારે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે મહમદ હુસૈન મહમદયુસુફ ઇબ્રાહિમ શેખ અને મહમદ જૂનેદ મહમદ જાવિદ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેઓ પાસેથી એક કાર અને મોબાઈલ પણ કબ્જે કર્યા છે.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગુરુવંદના સાથે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવા આવે છે. જેના ભાગરૂપે દરેક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પણ શિક્ષકદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જાણીતા સમાજસેવી મહિલા અંજુ કાલરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એક વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું શું મહત્વ છે એ વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. અને ગુરુનો આદર જળવાય અને એમનું નામ રોશન થાય એ રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની શીખ આપી હતી. આજીવન પોતાના શિક્ષકોની અને ગુરુની શિખને ધ્યાનમાં રાખવાની મનોકામના વ્યક્ત કરી વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલા ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

error: Content is protected !!