The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 63

ભરૂચના દશાનથી ૧૯ દિવસ બાદ ગુમ પ્રેમિકા નો મૃતદેહ વિકૃત હાલતમાં મળતા અનેક તર્કવિતર્ક

  • પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • અંકલેશ્વર શહેર પોલીસે યુવતીના અપહરણ અને ગુમ થવામાં પરિણીત પ્રેમીની પત્ની સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી.

ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હત્યા કે દુર્ઘટના અંગે રિપોર્ટની રાહ જોવાય રહી છે.ઝઘડિયાના સિમોદરા ખાતે રહેતો પરિણીત કિશન માનસંગ વસાવા જોલવાની 21 વર્ષીય પાયલના પ્રેમમાં પડ્યા બાદ બે મહિના પહેલા લગ્ન કરવાનું વચન આપી દાદીના ઘરેથી પોતાની સાથે લઈ ગયો હતો.

અંકલેશ્વરના અંદાડા ગામે મકાન ભાડે રાખી તે પ્રેમિકા પાયલ જોડે રહેવા લાગ્યો હતો. જોકે 25 ઓગસ્ટે પૌત્રીનો ફોન બંધ આવતા દાદી અંદાડા પહોંચી હતી પણ કિશનનું ઘર બંધ આવ્યું હતું.પૌત્રીના પ્રેમીની પત્ની કરિશ્મા કિશન વસાવા રાજપારડીથી ઇકોમાં 3 મહિલા અને 2 પુરૂષોને લઈ અંદાડા 24 ઓગસ્ટે પોહચી હતી.પતિની પ્રેમિકાને માર મારી ઇકોમાં બેસાડી તેના ઘરે જોલવા મુકવા જતા હતા. દરમિયાન દશાન ગામે પાયલ ભાગી ગઈ હોવાની વાર્તા ઘડી કાઢી હતી.દાદીએ પૌત્રી પાયલ 19 દિવસથી ગુમ થવાની અને અપહરણની ફરિયાદ આપતા અંકલેશ્વર પોલીસે કિશનની પત્ની કરિશ્મા, વાળંદ પરિવારના કમલેશ, તેની પત્ની મનીષા, વૈશાલી અને ઇકોના ચાલક અકબરની ધરપકડ કરી હતી.

દરમિયાન મંગળવારે સાંજે દશાન ગામ ખાતેથી પાયલનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. હવે પી.એમ. રિપોર્ટની રાહ જોવાય રહી છે જે આવ્યા બાદ પાયલની હત્યા કરાઈ છે કે નહીં તેનો ભેદ ખુલશે.

અંકલેશ્વર:પાર્કીંગમાં ઉભેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો અને ૧ બુટલેગર ઝડપાયો,૨ ફરાર

અંકલેશ્વર શહેર પોલીસે ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેટની પાછળના ભાગેના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ખેપિયાને ઝડપી પાડ્યો હતો. અમરોલીના બુટલેગરે અંકલેશ્વરમાં આ દારૂ મોકલ્યો હતો. પોલીસે કારમાં રહેલા બુટલેગરને ઝડપી પાડીને બે બુટલેગરોને વૉન્ટેડ જાહેર કર્યા છે.

સુરતના અમરોલીના શ્યામ કોમ્પલેક્ષ રહેતો બુટલેગર પોતાની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે મોકલ્યો હતો. જે અંગેની માહિતીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ચૌટા નાકા પાસે આવેલા મેઘના આર્કેટની પાછળના ભાગેના પાર્કિંગમાં ઉભેલી કારને પકડી લીધી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોંઘા ભાવની 61 નંગ બોટલ કબ્જે કરી હતી. પોલીસે 32 હજારથી વધુનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કાર સાથે મૂળ સંજાણનો અને હાલ અમરોલીના શ્યામ કોમ્પલેક્ષમાં રહેતો બુટલેગર રોહિત ઉર્ફે ટાલો ગણેશ ઘોડીને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અંકલેશ્વરનો બુટલેગર અલ્પેશ હલદરીયા સહિત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભારતીય ટ્રાઇબલ પાર્ટી દેશભરમાં AAPનો વિરોધ કરશે : છોટુ વસાવા

AAP સાથે ગઠબંધન તોડવાનું વલણ અપનાવતા, BTP વડાએ કહ્યું, “AAP દરેક પર શાસન કરવા માંગે છે પરંતુ અમે તેને મંજૂરી આપીશું નહીં, કારણ કે તેઓ ભાજપ સાથે છે. આ ટોપીઓ પહેરનારા લોકો અમારા પાઘડી પહેરનારાઓ પર અત્યાચાર કરતા હતા અમે દેશભરમાં તેમનો વિરોધ કરીશું.

ભારતીય ટ્રાયબલ પાર્ટી BTP એ આમ આદમી પાર્ટી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા જ રચનારા ગઠબંધનને તોડી નાખ્યું છે. હાલ આપના અરવિંદ કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે જ ઝઘડિયાના ધારાસભ્ય અને BTP સુપ્રીમો છોટુ વસાવાએ આ જાહેરાત કરી છે.

અરવિંદ કેજરીવાલે BTP સાથે જોડાણમાં શરત મૂકી હતી કે ગુજરાતમાં બિટીપી એ આપના ચિન્હ ઝાડુ અને આપની ટોપી ઉપર જ ચૂંટણી લડવી પડશે. જે BTP ના સર્વે સર્વા છોટુભાઈ વસાવાને મંજુર ન હોય તેઓએ આપ સાથેના ગઠબંધનને તોડી નાંખયાની જાહેરાત કરી દીધી છે.

આદિવાસીઓના મસીહા અને ઝઘડિયા MLA છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આપ સબ નો બાપ થવા માંગે છે. ભાજપ BJP સાથે જ છે, અને ભાજપના સહકારથી આપ બધાનો બાપ થવા માંગે છે દેશની અંદર. તે વાત શક્ય નથી.ટોપીવાળાઓએ પાઘડીવાળા અમારા ઉપર જે ઝૂલમ ગુજાર્યો કે ગુજારવા માંગે છે. અમે પાઘડીવાળા આ ટોપીવાળાઓનો ગુજરાત અને દેશમાં વિરોધ કરવાના જ છે.

આગળની રણનિતિમાં BTP સુપ્રીમો એ કહ્યું હતું કે, અમારી સાથે OBC છે, માઈનોરિટી છે અને 12 થી 15 કરોડ આદિવાસીઓ. અમે અમારી પોતાની પાર્ટી બનાવીશું. જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ તેમને હાલ કોઈ શકયતા નથી અને સમય સંજોગો જોઈ આગળ વિચારાશે તેમ અંતમાં કહ્યું હતું.

ગળાડૂબ પ્રેમમાં પ્રેમિકાની નજર સામે જ પ્રેમી યુવાને નર્મદામાં લગાવી છલાંગ!

  • પ્રેમી-પ્રેમિકા મોતની છલાંગ લગાવવા પહોંચ્યાં હતા.
  • યુવકે નદીમાં કૂદકો મારતાં જ પ્રેમિકાએ બચાવો બચાવોની બૂમો પાડી

અંકલેશ્વરના કોસમડી ગામમાં 24 વર્ષીય યુવક પુષ્પરાજ પ્રજાપતિ રહેતો હતો. પુષ્પરાજને બે મહિના પહેલાં જ MPની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જેથી એ યુવતી તેનાં માતા-પિતાને છોડીને પુષ્પરાજ સાથે અંકલેશ્વરના કોસમડી ગામમાં તેની સહમતીથી રહેવા આવી ગઈ હતી. જોકે બંને કોઈ અણગમ્ય કારણસર ગતરાત્રિના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવા પહોંચ્યાં હતાં. આ સમય દરમિયાન પ્રેમી પુષ્પરાજે તેની પ્રેમિકાની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.

આ સમયે પ્રેમીને નર્મદામાં ગરકાવ થતાં જોઈને ગભરાઈ ગયેલી યુવતીએ જોર જોરથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગી હતી. યુવતીનું જોરજોરથી અવાજ સાંભળી આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે આવી પહોંચેલા સ્થાનિકોએ બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી યુવતી પાસેથી ઘટના અંગેની માહિતી સાંભાળી તેને પોલીસ મથકે મોકલી આપી હતી. ત્યાર બાદ પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ બી.સોલંકીને બોલાવી તેની મદદ વડે નર્મદામાં પ્રેમી યુવકને શોધવાની કવાયાત હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રેમિકા યુવતી મુળ એમ.પી.ની હોવાની સાથે ૧ સંતાનની માતા અને ડાઇવર્સી હોવાની હકીકત પણ બહાર આવી છે. હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે યુવાનની શોધખોળ કરવા સાથે વધુ તપાસ હાથધરી છે.

લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું ભરૂચમાં સ્વાગત

ભરૂચ વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે.જેમાં સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા ચિરાગ પાસવાનનું ભરૂચ નજીક હોટલ ઉપર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભરૂચ નેશનલ હાઈવે ૪૮ ઉપરની હોટલ ઉપર ચિરાગ પાસવાનનું લોક જનશક્તિ પાર્ટીના અબ્દુલ કામથી સહિતના અગ્રણીઓના સ્વાગત બાદ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને ભરૂચમાં રોકાણ કરી ડિનર પણ કર્યું હતું. એક અગ્રણીના મત મુજબ ચિરાગ પાસવાન ભાજપ સાથે ગઠબંધન કરી બની શકે છે. તો લોક જનશક્તિ પાર્ટી તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારશેનું ચિરાગ પાસવાને જણાવ્યું હતું.

આવનારી ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે કે અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરશે તે તો આવનાર સમયજ બતાવશે પરંતુ હાલમાં તમામ રાજકિય પક્ષ સહિતની પાર્ટીઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરી પ્રજાને રીઝવવા પ્રયાશ કરી રહી છે.

નિવૃત સૈનિકોના પરિવાર પર લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં 14 માંગણીઓને લઈ દેખાવો કરતા માજી સૈનિકો ઉપર થયેલા લાઠી ચાર્જના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

ગાંધીનગરમાં 14 જેટલી માંગણીઓને લઈ માજી સૈનિકો આંદોલન કરી રહ્યા હતા. જેમાં લાઠીચાર્જમાં કાનજી મીથાલીયાનું મૃત્યુ થયું હતું. જેથી આજરોજ ભરૂચ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધતું આવેદન તંત્રને આપ્યું હતું.

આવેદનમાં ભરૂચ આપે આક્ષેપ સાથે માંગણી કરી હતી કે, ભાજપ સરકારના ઈશારે માજી સૈનિકો ઉપર લાઠી ચાર્જ કરાયો હતો. જે દુઃખદ ઘટના છે. જેમાં શહીદ થયેલા કાનજી ભાઈના પરિવારને ન્યાય આપી રૂપિયા એક કરોડનું વળતર ચૂકવાય. સાથે જ માજી સૈનિકોની તમામ 14 માંગો સ્વીકારી લેવાઈ. હાઇકોર્ટના નિવૃત જજ દ્વારા આ ઘટનનાની તપાસ કરાવાય. દેશના જવાનો અને શહીદોના પરિવારોને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું પડે તેને આપે દુઃખદ ઘટના ગણાવી હતી. આવેદન આપવામાં જિલ્લા પ્રમુખ ઉર્વી કાનની, આકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

દેવગઢબારિયા પોસ્ટ ઓફિસમાં જનરેટર હોવા છતાં દીવા તળે અંધારૂ

દેવગઢબારિયા નગરમાં આવેલા પોસ્ટ ઓફિસનું જનરેટર શોભાના ગાંઠિયા સમાન જ્યારે લાઈટ ન હોવાથી ગ્રાહકોને પડતી અગવડતા જ્યારે જનરેટર હોવા છતાં લાઈટનો અભાવ જાણે દિયા તલે અંધારા જેવી પરિસ્થિતિ વણસાઇ રહી છે. જ્યારે પોસ્ટ માસ્ટર દ્વારા એક અરજદારને લાઈટ ન હોવાની લેખિત મા પણ લખી આપીવામા આવ્યું.

દેવગઢબારિયા તાલુકા મથકે આવેલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટને લગતા તમામ વ્યવહારો ઓનલાઇન થાય છે ત્યારે આ ઓનલાઇન સેવાના કારણે લાઈટ હોવું જરૂરી છે. આ પોસ્ટ ઓફિસમાં ઇલેક્ટ્રીક લાઇટ નો અભાવ ઊભો થાય તેને લઇ લાખો રૂપિયાના ખર્ચે જનરેટર મૂકવામાં આવેલ છે ત્યારે ઇલેક્ટ્રીક લાઇટ બંધ થતા કર્મીઓ દ્વારા લાઈટ નથી તેઓ ઉડાવ જવાબ આપી દેવાય છે.

ત્યારે આ લાખો રૂપિયાના ખર્ચે જનરેટર શોભાના ગાંઠિયા સમાન દેખાય રહ્યું છે અને જેને લઇ આ પોસ્ટ ઓફિસમાં ક્યાંક દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ હોય તેમ દેખાય છે તો શું આ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા સુવિધા હોવા છતાં પણ તેનો ઉપયોગ ન કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે લોકોને પડતી હાલાઈને લઈ સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવશે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

  • રિપોર્ટર: ઈરફાન મકરણી,ન્યુઝલાઇન,દેવગઢ બારીયા

ભરૂચ જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં વેજલપુર મિશ્રશાળા ઝળકી

ભરૂચ જિલ્લા કલા મહાકુંભમાં ગરબા સ્પર્ધામાં ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત વેજલપુર મિશ્રશાળાની બાળાઓએ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું વધાર્યું છે.

બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિઓને એક પ્લેટફોર્મ મળે અને તેમાં આગળ વધી શકે તે માટે સરકાર ઘ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાનો કલા મહાકુંભ ચાવજ નજીક આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ભરૂચ નગરપાલિકા સંચાલિત વેજલપુર મિશ્રશાળાની બાળાઓ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. આ બાળાઓ હવે વિભાગના કલા મહાકુંભમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે. સમિતિના ચેરમેન ઈન્દિરાબેન રાજે બાળાઓને અભિનંદન આપી તેમની કલાને બિરદાવી હતી.

ભરૂચ કલેકટર કચેરી પરિસર આંગણવાડી વર્કરોથી છલકાઇ

  • આંગણવાડી વર્કરનું રાજ્યવ્યાપી આંદોલન, સરકાર વિરૂદ્ધ નારેબાજી

ગુજરાત આંગણવાડી વર્કરના રાજ્યવ્યાપી વિરોધ આંદોલન વચ્ચે ભરૂચ જિલ્લાની બહેનો પણ આજે મંગળવારે 8 જેટલા મુદ્દાને લઈ વિફરી હતી. કલેકટર કચેરી ખાતે સેંકડોની સંખ્યામાં આંગણવાડી બહેનોએ ઉમટી મોદી તારી છેલ્લી દિવાળીની નારેબાજી ચલાવી હતી.-

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિરોધ, વંટોળ, માંગણીઓ, આવેદનો અને આંદોલનો પણ વધી રહ્યા છે. ખેડૂતો, સરકારી કર્મચારીઓ સહિતના માંગણીઓ મુદ્દે હવે મેદાનમાં ઉતરી રહ્યા છે.આજે રાજ્યભરમાં એક લાખ જેટલી આંગણવાડી બહેનોએ વિવિધ જિલ્લા મથકે દેખાવો, સુત્રોચ્ચારો કર્યા હતા. ભરૂચમાં પણ કલેકટર કચેરીએ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ભેગી થઈ આજ દિવાળી, કાલ દિવાળી , મોદી તેરી છેલ્લી દિવાળીની ભારે નારાબાજી કરી હતી.જેમાં પગાર વધારો, વયમર્યાદા 60 વર્ષની કરવા, યુ.પી. ની જેમ ગેલેક્ષી મોબાઈલ આપવા, પેંશન, પ્રોવિડન્ડ ફંડ, પોષણ સુધા તેમજ ફેરબદલીની તકના મુદાને લઈ મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારની જેમ નિવૃત્તિ વયમર્યાદા 58 થી 60 વર્ષ કરવા. પેંશન તેમજ પ્રોવિડડ લાગુ કરવા. પોષણ સુધાના રૂપિયા 19 અપાતા વધારી રૂપિયા 80 કરવા. જિલ્લા તાલુકા ફેરબદલીમાં એક તક આપવા રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રેજ્યુઇટી રકમ સુપ્રીમના આદેશ મુજબ આપવા, સરકારી કર્મચારીઓને મળતું લઘુતમ વેતન ચૂકવવા તેમજ 2019 માં અપાયેલા મોબાઈલ ચાલતા ન હોય સારી કંપની અને ક્વોલિટીના મોબાઈલ આપવા પણ માંગણી કરવામાં આવી હતી.

ઝઘડિયાના નવીતરસાલી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ખાતે આવેલ શેૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની પ્રાથમિક શાળામાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજીત આ કાર્યક્રમમાં ભાલોદ, તરસાલી તેમજ આજુબાજુના વિસ્તારના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં પાસ થયેલા મુસ્લિમ સમાજનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્કૂલબેગ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા ઉપસ્થિતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક  કાર્યક્રમો આ પ્રસંગે રજુ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં  શાળાના શિક્ષકોને પણ ભેટ આપીને સન્માનિત કરાયા હતા. આયોજિત  કાર્યક્રમના  મુખ્ય મહેમાન તરીકે

ડો.મોઇન  મલેક ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત માસ્ટર સાબીરભાઈ મોહમ્મદ, માસ્ટર અબ્બાસભાઈ, રાજપારડીના મુસ્લિમ અગ્રણી ઈમ્તીયાઝઅલી સૈયદ, ઝઘડિયા એપીએમસીના ચેરમેન દિપકભાઈ પટેલ સહિત અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યાં હતાં. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ તમામનો આભાર માન્યો હતો.

  • રિપોર્ટર: ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી
error: Content is protected !!