The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 61

આમોદના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

આમોદ તાલુકાના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજને આખરે વનવિભાગે પાંજરામાં પૂરતા લોકોએ હાશકારો લીધો હતો.

આમોદ તાલુકાના માતર ગામે કપિરાજે પાંચ થી વધુ લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો હતો.અને ગામલોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં પ્રાથમિક આયોગ્ય કેન્દ્ર માતર ખાતે લોકોએ સારવાર લેવાની ફરજ પડી હતી. જેથી ગામલોકો ભયભીત બન્યા હતાં.ત્યારે આમોદ વનવિભાગે બચકાં ભરતા કપિરાજને કેદ કરવા કવાયત હાથ ધરી હતી.જેમાં આતંક મચાવનાર વાંદરો પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો હતો.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

પડતર માંગોના નિરાકરણ માટે ભરૂચ જીલ્લા આઉટ સોર્સિંગ રોજમદાર કર્મીઓએ આપ્યું આવેદન

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મચારીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા અનુસાર સમાન કામ, સમાન વેતન,વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રકટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈપણ જાતના પગલા નહિ ભરવામાં આવતા શનિવારથી ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી પડ્યા છે, અને જો તેઓના પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ભરૂચ પાંજરાપોળ ખાતે માલધારી સમાજના પશુઓના મોતનું વળતર ચૂકવવાની કરાઇ માંગ

તાજેતરમાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રડતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને પ્રેગનંટ ગાયોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કેટલી ગાય અને બચ્ચાના મોત થયા છે અને પાંજરાપોળમાં કેટલી ગાયોની અંદર લંમ્પી વાયરસ હોય જે માલધારી સમાજ નહીં ગાયોમાં સંક્રમણ ફેલાય તેવો ભય ઊભો થયો છે.

પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયોની દેખરેખ રખાતી ન હોવાના કારણે તેમજ માલધારી સમાજની કેટલી ગાયોના મોત થતા માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે અને જાહેર માર્ગો ઉપર રખડતી ગાયો તોફાને ચડતી નથી માત્ર આખલાઓ તોફાને ચડતા હોય છે.

પરંતુ માલધારી સમાજને હેરાનગતિ કરવા માટે દુધાળા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવે છે. જેના કારણે પાંજરાપોળની ગાયોના લંમ્પી વાયરસ માલધારી સમાજના દુધાળા પશુઓમાં સંક્રમણ ફેલાવાના કારણે ગાયો મોતને ભેટી રહી છે જેના કારણે માલધારી સમાજની ગાયોના મોતનું વળતર ચૂકવવા માટેની ભરૂચ માલધારી સમાજે આવેદન પાઠવી માંગ કરી છે.

ભરૂચમાં 0 થી 5 વર્ષ ના બાળકો માટે પોલીયો રસીકરણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આજ રોજ 0 થી 5 વર્ષ ના બાળકો માટે પોલીયો રસીકરણ નો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 102 બુથ ના તમામ 300 કર્મચારીઓ માટે જરૂરી સહાયતા ઉપલબ્ધ કરવામા આવી હતી.જેમા એમ્બ્યુલન્સ ધ્વારા તમામ કર્મચારીઓને પોલીયો બુથ સુધી પહોચાડવામા આવ્યા તથા તેમને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો વિહંગ સુખડિયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ સહિતના સભ્યો સુથિયાપુરા બુથ ઉપર બાળકો ના રસીકરણ દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા મૌઝા ખાતે વિશ્વ ઓઝોન દિવસ ની ઉજવણી કરાઇ

ઓઝોન સ્તર એ પૃથ્વી ગ્રહની આસપાસ એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ છે, જે સૂર્યનાં હાનિકારક યુવી કિરણોને શોષી લે છે. જો ઓઝોનનું સ્તર ન હોય તો યુવી કિરણોથી વનસ્પતિ, પાક, પ્રાણીઓ અને ઇકો સિસ્ટમને નુકસાન થશે, ચામડીના કેન્સર અને આંખમાં  મોતિયા જેવા રોગો વધશે.

જો ઓઝોનનું કવચ ના રહે તો પૃથ્વી પર જીવન શક્ય નથી. આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા મૌઝા ખાતે ઓઝોન દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ધોરણ ૩ થી ધોરણ ૮ નાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તેમજ આવનાર પેઢીને આવનાર સમયમાં સારું પર્યાવરણ મળી રહે એવા આશય થી વિદ્યાર્થીઓને શિક્ષકોએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, પાણી બચાવો, વૃક્ષો વાવો, પર્યાવરણની જાળવણી કરવી જેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ શિક્ષકો દ્વારા ઓઝોન વાયુ વિશે વિશેષ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભરૂચના કિશનાડ ગામે ફાર્મહાઉસ માં જુગાર રમતા ૮ ઝડપાયા

ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પ્રોહી / જુગાર સફળ કેસો શોધવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એક ટીમ પાલેજ પો.સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ મા હતી.

દરમ્યાન ખાનગી રાહે માહીતી મળેલ કે “ ભરૂચ તાલુકાના કિશનાડ ગામ ખાતે નર્મદા કેનાલ પર આવેલ ઇશાકભાઇ મુસાભાઇ પટેલ રહે જોલવાગામ જી ભરૂચ નાઓ પોતાના ફાર્મ ના મકાનમાં બંધ દરવાજે કેટલાક ઈસમો મુબારકભાઇ ઇસ્માઇલભાઇ પટેલ ઉ.વ ૫૧ રહે ટંકારીયાગામ મોટુ ફળીયુ તા.જી.ભરૂચ, યુનુસખાન એહમદખાન પઠાણ ઉ.વ ૬૧ રહે કતપોરા બજાર ધોબીવાડ પાસે ભરૂચ તા.જી.ભરૂચ, ઇકબાલભાઇ અબ્દુલભાઇ વલી ઉવ. ૫૬ રહે શરનાડગામ નવીનગરી તા. જી ભરૂચ, ઇલ્યાસ હશનભાઇ સૈયદ ઉવ. ૩૮ રહે નવીનગરી પાલેજગામ તા. જી ભરૂચ, ઇમ્તીયાઝ હુશેનમીયા સૈયદ ઉવ. ૬૦ રહે મેહદેવ્યા એપાર્ટમેંટ ડભોઇયાવાડ તા.જી. ભરૂચ, અશોકભાઇ મીઠાભાઇ પરમાર ઉવ. ૪૮ રહે પરમાર ફળીયુ જોલવાગામ તા. વાગરા જી ભરૂચ,

મરકનભાઇ લક્ષ્મણભાઇ પટેલ ઉવ. ૩૮ રહે સુથીયાપુરા દાંડીયાબજાર ભરૂચ તા. જી ભરૂચને ભેગા કરી પોતે રમવા આવેલ ઇસમો પાસેથી રોકડા રૂપીયા લઈ જેના બદલામાં પ્લાસ્ટીક ના અલગ અલગ દરના કોઇન આપી ગેરકાયદેસર ગંજીફાના પત્તાપાના પૈસા વડે (કોઇન દ્વારા) હારજીતનો જુગાર રમી રમાડે છે.” જે માહીતી આધારે ફાર્મ પર રેઈડ કરતા કુલ ૦૮ ઇસમો પકડી પાડી કબજામાંના રોકડા રૂપીયા ૬૧૫૪૧૦/- તથા સાધનો તથા કોઇન મળી કુલ કિ રૂ ૧,૬૬,૪૭૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા ની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાલેજ પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.

આમોદ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારીઓએ હડતાલ પાડી આંદોલનના માર્ગે

આમોદ મામલતદાર કચેરીમાં આઉટસોર્સ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતાં મામલતદાર કચેરીમાં મહત્વની કામગીરી ખોરવાઈ ગઈ હતી.જેનાથી ગરીબોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.આધાર કાર્ડ,રેશનકાર્ડ,વિધવા સહાય,વૃદ્ધ સહાય આવકના દાખલા,જાતિના દાખલા, સેવાસેતુ સહિતની કામગીરી ઉપર અસર પડી હતી.

આઉટસોર્સ કર્મચારીઓની હડતાલને પગલે કચેરીઓ સુમસામ લાગતી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આઉટસોર્સ કર્મચારીઓએ અગાઉ આમોદ મામલતદાર તેમજ બે દિવસ પહેલા પ્રાંતઅધિકારીને પણ આવેદનપત્ર આપી વખતો વખત રજુઆત કરવામાં આવી છે. છતાં કોઈ નિવેડો આવ્યો નથી જેથી તેમણે આજ રોજ કચેરી બહાર વિવિધ માંગણીઓ સાથેના પ્લેકાર્ડ બતાવી હડતાલ ઉપર બેસી ગયા હતાં.

આઉટસોર્સ કર્મચારી વિશાલ વસાવાએ જણાવ્યું હતું કે અમોને સરકારી કર્મચારી ને મળતી સુવિધાઓ મળવી જોઈએ, સમાન કામ સમાન વેતન આપવું જોઈએ,આવી કારમી મોંઘવારીમાં નજીવા પગારે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું ?આઉટસોર્સ કર્મચારીઓએ કાયમી કરવા, આઉટસોર્સ પ્રથા બંધ કરવા માંગણી કરતા સુત્રોચાર કર્યા હતાં.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચમાં બાળપણથી વડાપ્રધાન સુધીની નરેન્દ્ર મોદીની જીવન સફરને કરાઈ જીવંત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ થી લઈ હાલની જીવન સફરને ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેમના 72 માં જન્મદિન નિમિતે પ્રદર્શની રૂપે ભરૂચમાં રજૂ કરવામાં આવી છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીની બાલ્ય અવસ્થાથી લઈ હાલ 72 વર્ષની વયે દેશના પ્રધાનમંત્રી તરીકેની જીવન યાત્રાને ભરૂચ શહેરમાં પ્રદર્શની રૂપે પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવી છે.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકો દેશના લોક લાડીલા અને વિશ્વભરમાં અદ્વિતીય લોકચાહના મેળવતા નરેન્દ્ર મોદીના બાલ્ય કાળથી લઈ હાલ દેશના સફળ સુકાની સુધીની યાત્રાથી વાકેફ થાય તે માટે આયોજન કરાયું છે.

ભરૂચ જ્યોતિનગરના જવાલેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાનના જન્મદિવસથી આ પ્રદર્શની ખુલ્લી મુકાઈ છે. જે આગામી 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, પાલીકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતે આ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. સાથે જ અન્ય લોકોને પણ તે નિહાળવા આમંત્રણ આપી વડાપ્રધાનના જીવન પરથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

પ્લાસ્ટિક ફ્રી ભારત થીમ પર ભરૂચ મેરેથોનનું આયોજન કરાયું

ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્લાસ્ટિક ફ્રી ભારત થીમ પર ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંબસમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દોડવીરોએ આ દોડમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપમુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ, એ.એસ.પી. વિકાસ સુંડા, ભરૂચ નગરપાલીકાના પ્રમુખ અમીત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ અન્ય આગેવાનોએ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ 21, 10, 5, અને 3 કિમીની મેરેથોન દોડમાં સમગ્ર ભારત દેશનાં જુદા વિસ્તારોમાંથી 2 હજાર કરતા વધુ દોડવીરોએ મેરેથોનમાં ભાગ લીધો હતો. સમગ્ર દોડનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. 21 કિમી મેરેથોન દોડના વિજેતા મૂળ સુરતના વતની દિવ્યેશ રાણાને ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીના 72 માં જન્મદિવસની ભરૂચ ભાજપ દ્વારા સેવા તેમજ સમર્પણ સહિતના કાર્યકમો થકી કરી ઉજવણી

ભરૂચ જિલ્લા ભાજપે દેશના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપવાનો પ્રયાસ કરાયો હતો.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસ નિમિતે સાવરથી જ વિવિધ કાર્યકમો આયોજિત કરાયા હતા. જેમાં પાઠશાળા ખાતે 72 માં જન્મદિન નિમિતે 72 કુંડી યજ્ઞ અને મહા મૃત્યુંજય મંત્રના જાપ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ ભાજપ કાર્યકરો દ્વારા આયોજિત કરાયા હતા. જેમાં 115 ભુદેવોએ હવનમાં મહા મૃત્યુંજય મંત્રની આહુતિ આપી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મંગલ કામના કરી હતી. કાર્યકમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના જોડાયા હતા.

જે બાદ 72 કુંડી મહા મૃત્યુંજય મંત્ર સાથે હવનનું આયોજન કરાયું હતું. જેમાં પણ જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.ભાજપ મહિલા મોરચા દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. જે બાદ શ્રવણ સ્કૂલ ખાતે વર્ષ પહેલાં લેવાયેલો 7272 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવવાનો સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની કેક દિકરીઓના હસ્તે જ કપાવી સુકન્યા સમૃદ્ધિની પાસબુક વિતરણ કરાયું હતું. પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, છોટાઉદેપુર પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, વૈભવ બિનિવાલે સાથે ભારતીય જનતા પાર્ટીના  હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શ્રવણ સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાપન સમારોહ આગામી 24 મી એ પંડિત ઓમકારનાથ હોલ ઉપર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. આગળ પણ જે 0 થી 10 વર્ષની દીકરી છે તેને આત્મનિર્ભર કરવા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવાનું અભિયાન ભાજપ અને ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર સહિત જિલ્લાની અન્ય સંસ્થાઓ દ્વારા આગળ ધપતું રહેશે.જિલ્લા ભાજપ દ્વારા દિવસભર વિવિધ કાર્યકમો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને તેઓ દેશ જ્યાં સુધી વિશ્વ ગુરૂ ન બને ત્યાં સુધી ભારતની સેવામાં કાર્યરત રહે તેવી શુભ કામના પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના બે સાયકલિસ્ટો પણ અંકલેશ્વર ના નિલેશ ચૌહાણ અને ભરૂચના શ્વેતા વ્યાસ આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મ દિવસ ની ઉજવણી 72 કિમી સાયકલિંગ કરી અને શ્રવણ સ્કૂલ ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ અને ટીમ સાથે ઉજવણીમાં જોડાયા હતા.

error: Content is protected !!