The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 57

આમોદના મછાસરા પાસે એક્ટિવા અને બાઇક સામસામે ભટકાતા બે ગંભીર

આમોદ તાલુકાના મછાસરાથી જી.જી.એસ. ૨૫૩ જવાનો માર્ગ ઉપર ગાંડા બાવળ હોવાના કારણે એકટીવા અને બાઇક સામસામે ભટકાતા બંને ચાલકોને ગંભીર ઇજા થતાં તેમને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રીફર કરાયાં હતા.

આમોદ તાલુકાના મછાસરા ગામેથી રોજાટંકારીયા તરફ જવાના રસ્તા ઉપર જી. જી.એસ.૨૫૩ રોડ ઉપર ગાંડાબાવળ વધુ હોવાના કારણે રોજા ટંકારીયા તરફથી આવતી બાઈકના ચાલક સુરેશભાઈ રહે અંભેલ. મછાસરા તરફથી આવતી એકટીવાના ચાલક સિદ્દીક પટેલની એકટીવાને ધડાકાભેર સામ સામે ભટકાયા હતાં.જેના કારણે બંને ચાલકોને ગંભીર રીતે ઇજા થતાં ૧૦૮ દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેશને ભરૂચ સિવિલ ખાતે રિફર કરવામા આવ્યો હતો.જ્યારે સિદ્દીકને વડોદરા સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

વાગલખોડ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

૨,ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે કરવામાં આવી હતી, જેમાં સરકારના પરિપત્ર મુજબ મુખ્યમંત્રી ગ્રામ્ય અસ્મિતા નિબંધ લેખન માં 15 થી 30 વર્ષના યુવાનોએ ભાગ લીધો તેમજ પૂજ્ય બાપુના ફોટાને ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યો શાળાના શિક્ષકો અને બાળકોએ ફૂલ અર્પણ કર્યા તેમજ સુતરની આંટી ચડાવી પૂજ્ય બાપુની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી કમળાબેન.યુ.વસાવા ડેપ્યુટી સરપંચ રમીલાબેન, ગ્રામ પંચાયત સભ્ય કૌશલ્યાબેન, શાળાના શિક્ષક કાલિદાસભાઈ, જશુબેન, મધ્યાન ભોજન સંચાલક પ્રેમીલાબેન, શાળાના બાળકો ઉપસ્થિત રહી બાપુજીની ૧૫૨ મી જન્મ જયંતી ખૂબ ધામધૂમથી ઉજવી હતી, તેમજ ચોકલેટ વહેંચી અને શાળાની દીકરીઓએ બાપુના ફોટા સમક્ષ સત્યના માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ શાળાના આચાર્ય શ્રી કાલિદાસભાઈએ પૂજ્ય બાપુના જીવનના પ્રસંગો વિદ્યાર્થીઓને કહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,વાલિયા

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે ડીજેના તાલે ગરબાનો જામ્યો રંગ

અંકલેશ્વર શહેરમાં નોરતાના પાંચમા દિવસે ખરો રંગ જામ્યો હતો. જેમાં પાર્ટી પ્લોટોને બાદ કરતાં સોસાયટીઓ અને મહોલ્લામાં શેરી ગરબાએ રંગત જમાવી હતી.

ત્યારે જુના બોરભાઠા બેટ નવરાત્રી મહોત્સવ મહાદેવ મંદિર ખાતે ગુપ દ્વારા પણ ગરબાનું અયોજન કરાયું છે. જેમાં નાના-મોટા સૌ ટ્રેડીશનલ વસ્ત્રો પહેરીને ડીજેના તાલે ગરબે ઝુમી રહ્યા છે.

અંકલેશ્વરના પટેલ નગર ખાતે ૨૨ વર્ષીય યુવાને પંખે લટકી કર્યો આપઘાત

અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અંકલેશ્વર-રાજપીપળા રોડ પર ગડખોલ ગામની હદમાં પટેલ નગર સોસાયટીના મકાન નંબર બી. 10માં રહેતા ફ્રાન્સિસ ઉક્કડભાઈ વસાવાએ ગત રોજ કોઈ ઘરમાં એકલા હતા. તે સમય દરમિયાન તેણે અગમ્ય કારણોસર નાયલોન દોરીનો ફંદો બનાવી ઘરના પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કરી લીધો હતો.

આ અંગે પરિવારના સભ્યોને જાણ થતાં તેમણે દોડી આવીને શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ પ્રાથમિક પરિવારના સભ્ય વેરોનિકા ચૌહાણની ફરિયાદ આધારે અગમ્ય કારણોસર આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની 153 મી જન્મજયંતી ઉજવાઇ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ નગર પાલિકા, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તેમજ નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના ચેનલ નર્મદા સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે આવેલી બાપુની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભવોએ સુતરની આંટી, ફુલહાર અર્પણ કર્યા હતા.આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ગાંધી ગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.

આ ગાંધી જયંતીની ઉજવણીમાં ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મુખ્ય અધિકારી દશરથસિંહ ગોહિલ, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશ પટેલ, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકોર, નરેશ સુથારવાલા, શૈલાબેન પટેલ, પ્રશાંત પટેલ, અભેસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ સુતરિયા, સહિત મહનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ કોંગ્રેસે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે અર્પી પુષ્પાંજલિ

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાન પુરુષોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.દેશની આઝાદીમાં પોતાનો સિંહકાળો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરાય રહી છે.આ ઉપરાંત આજે દેશના પુર્વ વડાપ્રધાન સ્વ.લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે.ભરૂચ જીલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંનેવ મહાપુરૂષોની તસવીરને સુતરા આંટી અને કુલ હાર અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત કોંગી અગ્રણીઓ સંદીપ માંગરોલા,મગન માસ્ટર,સમસાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા, જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહી પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ભરૂચ અને વડોદરમાંથી સ્પોર્ટ્સ બાઇક ચોરી કરનાર અલીરાજપુરની ગેંગના બે ઝડપાયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં લેબર તરીકે આવી સ્પોર્ટ્સ બાઇકોની ચોરી કરતી મધ્યપ્રદેશના અલીરાજપુરની ટોળકીના બે સાગરીતોને વડોદરા અને ભરૂચથી ચોરી કરેલી રૂ.૭.૧૫ લાખની કિંમતની ૧૦ બાઇક સાથે LCB એ ઝડપી લીધા છે.

ભરૂચ જીલ્લામાં વ્હીકલ ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે એલ.સી.બી.સહીત અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમ બનાવાય હતી. જીલ્લામાં વધારે પ્રમાણમાં થતી વ્હીકલ ચોરીના વિસ્તારની વિઝીટ, આયડેન્ટીફાય કરી જરૂરી મેપ બનાવી , ડીકોઇ કરી , સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ વિગેરેની મદદ મેળવી હતી.

જેમાં એલ.સી.બી., ઉમલ્લા તેમજ ઝઘડીયા પો.સ્ટે.ની બનાવવામાં આવેલ અલગ અલગ ટીમોને જરૂરી માગદર્શન આપી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે વ્હીકલ ચોરી અંગે કામગીરી કરતી ટીમોને સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ સર્વેલન્સ થી હકિકત સાંપડેલ કે, ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરી થતી મોટર સાયકલોને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર, જાંબુઆની ગેંગ દ્વારા અંજામ અપાય છે.

આ ગેંગના બે સાગરીતો મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ ખાતે છે. જેથી પો.સ.ઇ. એન.જે.ટાપરીયા ઉમલ્લા પો.સ્ટે.ની એક ટીમને તાત્કાલીક મધ્યપ્રદેશ ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ. આ ટીમ દ્વારા મધ્યપ્રદેશ રાજયના અલગ અલગ જીલ્લાઓમાં કેમ્પ રાખી ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા હતા. ઝઘડિયામાં લેબર તરીકે MP ના અલીરાજ પુરથી પકડાયેલા મોહન મગરસીંગ બામણીયા અને સંજય સોબતસીંગ બામણીયા આવ્યા હતા. જેઓએ વાહન મારફતે તેઓના અન્ય 3 વોન્ટેડ સાગરીત સુનીલ ઉર્ફે નાનકો ઇંટાભાઇ બામણીયા, કાલુ ડાવર અને સોહનને બોલાવી રાતે સ્પોર્ટ્સ બાઇકના લોક તોડતા હતા. વાયરિંગ ડાયરેકટ કરી બાઇકો ચાલુ કરી વતન ભાગી જતા હતા.

આ બન્નેવ આરોપી તથા તેઓની સાથેના બીજા ત્રણ સાગરીતોએ ભેગા મળી ભરૂચ તથા વડોદરા જીલ્લામાંથી અલગ અલગ કંપનીની 10 મોટર સાયકલોની ચોરી કર્યાની કબુલાત કરતા રૂ.૭.૧૫ લાખની બાઇકો રીકવર કરી આગળની કાર્યવાહી હાથધરાઇ હતી.

અંકલેશ્વર બ્રાન્ડેડ કંપનીનું ડુલ્પીકેટ એંજીન ઓઇલ બનાવતા બે ગોડાઉન ઝડપાયા

ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટે એલ.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારી નાઓને જીલ્લામાં બનતા મિંલકત સંબધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે એલ.સી.બીની એક ટીમ પાનોલી જી.આઇ.ડી.સી વિસ્તારમાં તથા એક ટીમ અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

દરમ્યાન હયુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે “સંજાલી ગામે મહારાજા નગરમાં આવેલ ગ્રીન પ્લાઝામાં એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનુ પેકીંગ કરી, અલગ અલગ બ્રાંન્ડેડ કંપનીના નામે ઓઇલનુ પોતાના આર્થીક ફાયદા સારૂ વેચાણ કરે છે તથા લક્ષમણનગરમાં રોયલ એપાર્ટેમેન્ટ દુકાનમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનુ પેકીંગ કરી ઓઇલનુ પોતાના આર્થીક ફાયદા સારૂ વેચાણ કરે છે.

જે બાતમી હકિકત આધારે બન્ને ઠેકાણા ઉપર રેઇડ કરી અલગ અલગ જગ્યાથી બે ઇસમોને પકડી પાડી લુબ્રીકેન્ટ ઓઇલમાં ડાઇ કલર મીક્ષ કરી, સેમી ઓટોમેટીક ઓઇલ ડ્ડીલીંગ મશીનથી ડબ્બાઓમાં ઠોલીગ કરી, ઇન્ડકશન સીલીંગ મશીનથી સીલ કરી બહારથી ડબ્બાઓ તથા સ્ટીકરો મંગાવી બ્રાન્ડેડ કંપનીનુ ડુલ્પીકેટ એંજીન ઓઇલ બનાવી પેકીંગ કરતા બે ગોડાઉન તથા બે ઇસમો હેઝાન મોહમંદ ઉમર ખત્રી ઉ.વ ર૩ હાલ રહે ઝમઝમ ર મકાન નં ૩૦ર સ્ટેશન રોડ અંકલેશ્વર,મુળ રહે શેખ મહોલ્લો બોડેલીગામ તા બોડેલી જી છોટાઉદેપુર ( સંજાલી ખાતેથી પકડાયેલ છે), હામીર યુસુઠ્ઠ શેખ ઉ.વ.ર૬ રહે, મ.નં.૧૩ ગુલનાર સોસાયટી રેલ્વે ગોદીની સામે અંક્લેશ્વર શહેર,તા-અંક્લેશ્વર જી-ભરૂચ (લક્ષ્મણનગર ખાતેથી પકડાયેલ છે)ને ઝડપી પાડી તેમની પાસેહી રૂ. કુલ કીંમત ર.૭,૨૮,૭૫૨/-નિ મુદ્દામાલ કબ્જે કરી અને તેમના વિરૂધ સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી તથા અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.

ભરૂચથી દહેજ તરફના બિસ્માર માર્ગના પગલે વાહનચાલકો અને સ્થાનીકોએ કર્યો ચક્કાજામ

આજે વહેલી સવારના સમયે ભરૂચ થી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનીક રહીશો એકઠા થયા હતા. દહેજ જીઆઇડીસીની વિવિધ કપનીઓમાં પ્રથમ શિફ્ટનો સમય થતા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી પરત આવતા તેમજ પ્રથમ શિફટમાં ફરજ પર જતા કર્મચારીઓને લઈ જતી મોટી સંખ્યામા લક્ઝરી બસના ચાલકો તેમજ વિવિધ કંપનીઓના કર્મચારીઓ પણ ચક્કાજામ કાર્યક્રમમાં જોડાયા હતા.

ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર આજે વહેલી સવારે કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે વાહન ચાલકો અને સ્થાનીક રહેવાસીઓએ બિસ્માર રસ્તાના પગલે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

કેશરોલ તેમજ આજુબાજુના ગામોના રહીશો પણ આ ચક્કાજામમાં જોડાતા જોત જોતામાં વાહનોની કતારો લાગી ગઇ હતી. ભરૂચ ગ્રામ્ય પોલીસ પણ આંદોલનના સ્થળ પર પહોંચી ગઇ હતી. થોડા કલાકો અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિક યથાવત થયો હતો. જોકે, આ ચક્કાજામના પગલે દહેજ જીઆઇડીસીમાં કંપનીઓના રેગ્યુલર શિડ્યુલ ખોરવાઈ ગયો હતો.

ભરૂચના ખાદ્ય તેલના વેપારી ઉપર અજાણ્યા ઇસમોએ ચપ્પુ વડે કર્યો હુમલો

ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વેપારીને ઈજા પહોંચતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે વેપારીએ પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનામાં ભરૂચના સીંધુ નગર ખાતે રહેતા 27 વર્ષીય મોહિત ભોજવાની ધોળીકુઈ વિસ્તારમાં ખાદ્ય તેલનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ 28મી સપ્ટેમ્બરના રોજ મોબાઈલની ડિસ્પેની ખરીદી કરવા માટે અમરદીપ કોમ્પ્લેક્ષમાં ગયા હતા. તે વેળાએ બે અજાણ્યા ઈસમો તેઓ પાસે આવ્યાં હતા અને વેપારી કઈ સમજે તે પહેલા ચપ્પુ કાઢી વેપારીના શરીર ઉપર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. જે બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

જેમાં વેપારીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારી પર ગત તારીખ-31 ઓગસ્ટના રોજ પણ નર્મદા માર્કેટ ખાતે હુમલો કરાયો હતો. ત્યારે પોલીસ દ્વારા આવા ગંભીર ગુનામાં સઘન તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

error: Content is protected !!