The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 106

ભરૂચના મહેગામના ગ્રામજનો ૬ દિવસથી પાણી વિના તરસ્યા!

  • સરકાર દ્વારા તાકીદે કાયમી પાણી અપાય તેવી માંગ

ભરૂચ જિલ્લાના ધાર્મિક આસ્થાના પ્રતિક એવા મઠ મહેગામ ગામે ગ્રામજનોને છેલ્લા ૬ દિવસથી પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવ્યો છે.સરકારમાં તેમજ વડાપ્રધાન સુધી અનેક વાર રજૂઆતો છતાં નદી કિનારે આવેલ મહેગામ ગામને પાણી વિના તરફડવાનો વારો આવતા ગામની મહિલાઓએ આજે ગ્રામપંચાયત ખાતે માટલા સાથે હલ્લાબોલ કરી સરકાર દ્વારા કાયમી પાણી મળે તેવી તાકીદે વ્યવસ્થા કરાય તેવી માંગ કરી છે.

ગ્રામજનોના જણાવ્યાનુસાર તેમના ગામમાં વર્ષોથી સરકાર દ્વારા પાણીની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમને રિલાયન્સ કંપની દ્વારા પાણી મળતું હતું. તે પણ છેલ્લા ૬ દિવસથી બંધ રહેતા મહિલા સહીતના ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે. છેક ૨ કિલોમીટર સુધી વયોવૃદ્ધ મહિલા સહીતનાઓએ માથે બેડા લઈ તળાવે પાણી ભરવા જવું પડે છે. આ મામલે ગ્રામપંચાયત સરપંચ દ્વારા પણ મુખ્ય મંત્રી,પ્રધાનમંત્રી સુધી તમામને ઓનલાઇન ફરીયાદો કરવામાં આવી છે. છતાં પાણીની સમસ્યાનો કોઇ કાયમી હલ ન થતા પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીએ સોંપાયેલ મિલ્કતોની માપણી જેવી કામગીરીનો પણ બહિષ્કાર કરતો એક પત્ર તાલુકા વિકાસ અધિકારીને પાઠવી તેમને કાયમી ધોરણે સરકાર દ્વારા પાણી પુરૂ પડાય તેવી માંગ કરાઇ છે.

ઝઘડીયાના મહુવાડા ગામે નવા ફળીયામાં વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં અસમાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારીની પ્રવૃતિઓ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.ભરૂચના માર્ગદર્શન મુજબ પ્રોહીબિશન કેશો શોધી કાઢવા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

દરમ્યાન ગત મોડી રાત્રે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે નવા ફળીયામાં આવેલ રહેણાંક મકાનમાં તથા આસપાસના મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે આધારે એલ.સી.બી.દ્વારા પ્રોહી સફળ રેઇડ કરી વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો/બીયર નંગ- ૧૨૩૬ કુલ કિ રૂ ૧,૪૮,૦૦૦/- ના જથ્થા સાથે એક આરોપી નગીનભાઇ લોઢીયાભાઇ વસાવા રહેવાસી મહુવાડા ગામે નવા ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચને ઝડપી પાડી અન્ય એક આરોપી રાજેશભાઇ બાવાભાઇ વસાવા રહેવાસી મહુવાડા ગામે નવા ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશનની એક્ટની સલંગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ઉમલ્લા પોલીસ મથકે સોંપવામાં આવેલ છે.

અણખી વાવલી મેલડી માતાજી મંદિરનો ૨૪મો પાટોત્સવ ઉજવાયો

વાવલી ગામ જવાના રસ્તે મા મેલડી માતાજીનું મંદિર આવેલ છે જેનો ૨૪ મો પાટોત્સવની ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે ઊજવણી કરવામાં આવી જેનો મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લીધો હતો.

જંબુસર તાલુકાના વાવલી જવાના માર્ગે વર્ષો જૂનું છ સાત પેઢી પહેલાંનુ મેલડી માતાજીનું મંદિર આવેલ છે આ જગ્યાએ રબારી સમાજ સહિતના બાળકો ગાયો બકરીઓ  ચરાવવા આવતા આ દીકરાઓ ચૈત્ર વૈશાખના બપોરના સમયે કોઠુ  તોડ્યું નારિયેલ બનાવવા , ત્યા  માતાજીએ કોઠામાંથી નારિયેલ બનાવી દીધું કાદવની ડાખલી ડાખલી ને ખાખરના પળ અને  વેલથી ડાખલી બાંધી તે પણ સાચી બની ગઈ હતી.તે સહિત માતાજીના પરચાની લોકવાયકા છે.

ત્યારથી આ મંદિરે ભુવાજી ભવનભાઈ અમરાભાઈ સેવા પૂજા કરતા  ત્યારબાદ ભૂવાજી મેલાભાઈ લાખાભાઈ હાલ સેવા પૂજા કરે છે  પેહલા નાની ડેરી હતી ત્યારબાદ સમસ્ત રબારી સમાજ સહિત માઈ ભક્તોના સહકારથી મંદિરનું ત્રેવીસ વર્ષ પૂર્વે નવનિર્માણ કરવામાં આવ્યું હતું  ત્યારથી મંદિરે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે  હાલ ચોવીસ માં પાટોત્સવની ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી  ઉજવણી પ્રસંગે સવારે માંડવાની થાંભલી યજ્ઞા પૂજાવિધિ નવચંડી યજ્ઞ મહાપ્રસાદી સહિત  રાત્રે મેલડી માતાજીનો લીલુડો માંડવો યોજાયો હતો  સદર ધાર્મિક કાર્યક્રમોમાં અણખી સરપંચ, અણખી વાવલી ગામના અગ્રણીઓ સમસ્ત રબારી સમાજ અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શન પૂજનનો લાભ લીધો હતો.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

નેત્રંગના લાલમટોડીમાં મકાનની અંદર જુગાર રમતા ૬ ઝડપાયા

આજરોજ નેત્રંગ પોલીસ ટીમ તેમના વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી.દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગનાં લાલ મંટોડી ફળીયામાં આવેલ ઇકબાલ મયુદ્દીન શેખના રહેણાંક કાચા ઘરમાં તેમનો જમાઈ અલ્પેશભાઇ ભાનુભાઇ પરમાર રહે.વાસદ, તા.જી.આણંદનો ગામનાં તેમજ બહાર ગામનાં કેટલાક ઈસમોને ભેગા કરી કાચા ઘરનાં બન્નેવ દરવાજા બંધ કરી ભેગા થઇ અંદરના ભાગે ગેરકાયદેસર રીતે પત્તાપાના વડે પૈસા થી હારજીતનો જુગાર રમે છે.

જે બાતમી આધારે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૬ આરોપીઓ (૧) જહિરભાઇ બાઉદ્દીન શેખ ઉ.વ.૫૦ રહે.નેત્રંગ, દશશના નગર, તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) હિરોઝખાન હમીરખાન પઠાણ ઉ.વ.૪૨ રહે.નેત્રંગ, માંડવી રોડ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૩) લાલસીંગ ઉર્ફે લાલુ શાંતીલાલભાઇ વસાવા ઉ.વ.૩૦ રહે.ધોલેખામ, નિશાળ ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૪) મજીદ અબ્બાસ કુરેશી ઉ.વ.૬૨ રહે.નેત્રંગ,શાંતીનગર, તા.નેત્રંગ, જી.ભરૂચ (૫) મિેબુબખાન કેશરખાન પઠાણ ઉ.વ.૬૫ રહે.નેત્રંગ લાલા મંટોડી, તા.નેત્રંગ, જી.ભરૂચ (૬) અલ્પેશભાઇ ભાનુભાઇ પરમાર ઉ.વ.૩૫ રહે.નેત્રંગ, લાલ મંટોડી, તા.નેત્રંગ, જી.ભરૂચ મુળ રહે.વાસદ તા.જી.આણંદ સ્થળ પરથી ઝડપાઇ ગયા હતા. પોલીસે આ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬,૮૭૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૪,૭૮૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૬૫૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૪ કુલ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા બાઇક નંગ-૦૩ ની કિ.રૂ.૧,૦૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૨૮,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાયયવાહી હાથ ધરેલ છે.

ભરૂચમાં દુકાન નું શટર તોડી ચોરી કરતી સિકલિગર ગેંગ ના ત્રણ ઝડપાયા

ગઇ તારીખ ૧૬/૦૫/૨૦૨૨ ના રોજ જલારામ પાઇપ ટ્રેડર્સ નામની દુકાન તેના માલીક રાબેતા મુજબ બંધ કરી ગયા હતા અને બીજે દિવસે સવારે દુકાન ખોલવા આવતા દુકાન નું શટર તોડેલુ અને દુકાન માથી રોકડા રૂપીયા તથા પ્લમ્બિગનો સામાન મળી કુલ કિંમત રૂપીયા ૪૦,૮૦૦/- ની ચોરી થયેલાની જણાતા દુકાનદારે ચોરી થયાની ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સ્થળ વિઝીટ કરી સી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ભરૂચ શહેરમાં રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી તથા સરકારના ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતગત મળેલા પોકેટ કોપ મોબાઈલની મદદથી આરોપીઓના ફુટેજ મેળવી અને આજે મળેલ બાતમી આધારે દુકાનનું શટર તોડી ચોરી કરનાર ત્રણ ઈસમો કાલીયાસીંગ ઉર્ફ ચંદાસીંગ ધનસીંગ બાવરી (સીખલેકર) રહેવાસી ૧૪ જય જલારામ નગર ઝુપડપટ્ટી ઉનપાટીયા,સુરત તા- ચોયોસી જી-સુરત મુળ રહે- સાબુગઢ ઝુપડપટ્ટી મોદી પાર્ક પાસે શક્તિનાથ ભરૂચ, ડનેલસીગ કાલીયાસીંગ ઉર્ફ ચંદાસીંગ ધનસીંગ બાવરી (સીલીગર) રહેવાસી ૧૪ જય જલારામ નગર ઝુપડપટ્ટી,ઉનપાટીયા સુરત તા- ચોયોસી જી-સુરત મુળ રહે- સાબુગઢ ઝુપડપટ્ટી મોદી પાર્ક પાસે શક્તિનાથ ભરૂચ અને હરજીતસીગ ઉર્ફ હરજીન હરબતસીંગ ટાંક (સીખલેકર) કબીરપુરા ખત્રીવાડ ભાથીજી દાદાની ડેરી સામે ધોળીકુઇ બજાર ભરૂચ મુળ રહે- સાબુગઢ ઝુપટપટ્ટી મોદી પાર્ક પાસે શક્તિનાથ ભરૂચને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ગુમ થયેલ નાના બાળકને શોધી પરીવાર સાથે મિલન કરાવતી અંકલેશ્વર GIDC પોલીસ

ભરૂચ પોલીસ અધિક્ષક થી ડો.લીના પાટીલ ભરૂચ ત૨ફથી જિલ્લામાં ગુમ/અપહ૨ણ થયેલ બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવા માટે સુચના અપાઇ હતી.

જે અનુચંધાને અંકલેશ્વ૨ જી.આઈ.ડી.સી પો.સ્ટે વિસ્તા૨માં ગઈ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ ભડકોદ્રા ગામ ખાતે આવેલ નંદનવન સોસાયટી ખાતેથી સવારના સમયે આશરે દશેક વાગ્યાના સમય દરમ્યાન એક બાળક પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગ૨ ક્યાંક જતો રહેલ જે બાબતે ગુમ થયેલ બાળકના માતા-પિતા નાઓ તા.૨૦/૦૫/૨૦૨૨ ના સાંજના અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે આવી બાળક ગુમ થયાની જાણ કરતા અંકલેશ્વ૨ જી.આઈ.ડી.સી પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર આ૨.એન.ક૨જમટીયા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ભડકોદ્રા ગામ તથા અંક્લેશ્વ૨ જી.આઈ.ડી.સી વિસ્તા૨ તથા અંક્લેશ્વ૨ રેલ્વે સ્ટેશન/બસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરાવતા ગુમ થયેલ બાળક અંક્લેશશ્વ૨ જી.આઈ.ડી.સી બસ સ્ટેશન ખાતે ગુમ થયેલ બાળક કરણ જીતેન્દ્ર હરીભાઇ ગોડ ઉ.વર્ષ ૧૨, રહે વૃંદાવન સોસાયટી ભડકોદ્રા,અંકલેશ્વર નજરે પડતા તેને ફોટાના આધારે બાળકને વેરીફાઈ કરરી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ખાતે લાવી બાળકને તેના પરીવા૨ને બોલાવી તેમની સાથે સુ:ખદ મિલન કરાવી માનવતા મહેકાવી હતી.

ભરૂચના શક્તિનાથ રેલવે ટ્રેક પરથી બે યુવાનોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા!

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પાસે આજે શનિવારે સવારે બે યુવાનોના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં આ યુવકોની હત્યા થઇ, આંતરિક ઝઘડો થયો કે ટ્રેન અકસ્માત? એ અંગે ઘેરાયેલા રહસ્યનો તપાસ બાદ જ ખુલાસો થઈ શકશે.

ભરૂચના શક્તિનાથ પાસે ભરૂચ-દહેજ રેલવે ટ્રેક પાસે મૂળ દાહોદના અને હાલમાં અયોધ્યા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂરી કરી ગુજરાન ચલાવતા બે યુવાનો ૩૫ વર્ષીય રાકેશ ચંદુ માવી અને ૨૬ વર્ષીય ચંદરૂ કાલજી પરમારના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યા હતા.

મજૂરી કામ કરી ગઇકાલે શુક્રવારે સાંજથી ગુમ થયેલા બંનેવ યુવાનની લાશનો ભરૂચ રેલવે પોલીસે કબજો મેળવી સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે. હાલ તો રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.જો કે પી.એમ. રિપોર્ટ બાદ હત્યા, આંતરિક ઝઘડો કે રેલ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવી શકે તેમ છે.

કોંઢ નજીક આવેલા પેટ્રોલ પંપના મેનેજરે કરી રૂ. 1.71 લાખની ઉચાપત

વાલિયાના કોંઢ નજીક આવેલા એક પેટ્રોલ પંપના મેનેજરે રૂપિયા 1.71 લાખ ઉપરાંતની ઉચાપત કરી હોવાની ફરિયાદ પેટ્રોલ પંપના માલિકે વાલિયા પોલીસ મથકે નોંધાવી છે.

વાલીયાના કોંઢ નજીક આવેલ વિંધેશ્વરી પેટ્રોલ પંપમાં મૂળ આણંદનો અને હાલ કોંઢ ખાતે રહેતો ભાગ્યેશ દલવાડી મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન તેણે અલગ અલગ કાર્ટિંગ તેમજ એજન્સીઓના નામે પેટ્રોલ પંપના નામ પર રજીસ્ટરમાં ખોટી રકમ ઉધારી તેમજ જલારામ કાર્ટીંગની ઓફિસે રૂબરૂ જઇ બિલના 59 હજાર રૂપિયા રોકડા મેળવી તે પેટ્રોલ પંપ ના ખાતામાં જમા ન કરાવી ઉચાપત કરી હતી.

થોડા દિવસો અગાઉ તે પેટ્રોલ પંપના માલિક અનુરાગ પાંડેને પોતાની દાદી બિમાર હોવાનું જણાવી માદરે વતન ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ એકાઉન્ટ ચેક કરતા અનેક લોકોના નાણા જે બાકી હતા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તે તમામ લોકોએ મેનેજર પૈસા લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. પેટ્રોલ પંપના માલિકને ભાગ્યેશ દલવાડીએ ઉચાપત કરી હોવાનું ધ્યાન પર આવતાં તેમણે વાલિયા પોલીસ મથકમાં રૂપિયા 1.71 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. વાલિયા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ આરંભી છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી ભરૂચની ઔપચારિક મુલાકાત

ભરૂચ જિલ્લાના તાર ભૂતકાળમાં દેશ વિદેશમાં ઘટેલી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શુક્રવારે મોડી સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભરૂચ ની ઔપચારિક મુલાકાત લીધી હતી.

રાજ્યના ગૃહમંત્રીહર્ષ સંઘવી એ ભરૂચ ના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપના આગેવાનો, સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા પરામર્શ કરી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશેષમાં ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ હોય. ભૂતકાળમાં દેશ-વિદેશમાં ઘટેલી આતંકી પ્રવૃત્તિઓના તાર જોડાયેલા હોય ત્યારે લો એન્ડ ઓર્ડર જાળવી રાખી, શાંતિ બની રહે તે માટે વિશેષ ચર્ચા કરી જિલ્લા મોવડી મંડળને ખાતરી આપી હતી.

ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ગૃહમંત્રીની ઔપચારિક મુલાકાત અને બેઠક અંગેનો ચિતાર આપ્યો હતો. ગૃહમંત્રી સંઘવી પાસે રમત ગમતનો પણ સ્વતંત્ર હવાલો હોય આગામી સમયમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાંસદ ખેલ કુંભ અંગે પણ વિગતવાર ચર્ચા બેઠક દરમિયાન કરી હતી.

ગૃહમંત્રીની આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી નીરવ પટેલ, વિનોદ પટેલ, ફતેસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, દિપક મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આટખોલ ગામની સીમમાંથી જુગાર રમતા ૪ ઝડપાયા, ૯ વોન્ટેડ

નેત્રંગ પોલીસ ટીમ તેમના વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે “આટખોલ ગામની સીમમાં આવેલ અરવિંદભાઇ કાઠીયાવાડીના ખેતરનાં પુર્વ તરફ સામેની દિશાએ કોતરડીની બાજુમાં આવેલ ખેતરનાં છેડા ઉપર આવેલ લીમડાનાં ઝાડ નીચે આટખોલ ગામનો વિનોદભાઇ પ્રતાપભાઇ વસાવા તથા કોયલીમાંડવી ગામનો અરવિંદભાઇ દેવજીભાઇ વસાવા નાઓ મળીને સંયુક્ત રીતે આજુબાજુ ગામનાં તથા રાજપીપળા તથા ડેલી પીઠોર ગામના બહારનાં વિસ્તારનાં ઇસમોને બહારથી બોલાવી ભેગા કરી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી રેઈડ કરતા કુલ-૦૪ આરોપી (૧) વિનોદભાઇ પ્રતાપભાઇ હિરજીભાઇ વસાવા ઉ.વ.૩૫ રહે.આટખોલ, હનુમાન ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) રઉફભાઇ ઇબ્રાહિમિભાઇ ઉસ્માનભાઇ કાગજી ઉ.વ.૫૧ રહે.નેત્રંગ, જવાહર બજાર, ચાર રસ્તા, તા.નેત્રંગ,(3) નરેશભાઇ મણીલાલભાઇ હિરાભાઇ વસાવા ઉ.વ.૩ ૨ રહે.મોતીયા, નિશાળ ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૪) દિપકભાઇ  શીવભાઇ અમરસીંગભાઇ વસાવા ઉ.વ.૨૩ રહે.નેત્રંગ, લાલ મંટોડી, તા.નેત્રંગ, જી.ભરૂચ સ્થળ પરથી પકડાઈગયા હતા.

પોલીસે ચારેવ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬૯૩૦/-તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૬૭૯૦/- મળી કુલ રોકડા રૂ.૧૩૭૨૦/-તથા કુલ મોબાઇલ ફોન નંગ.૨ કુલ કિ.રૂ.૭૦૦૦/-તથા મોટર સાયકલ નંગ-૫પ કિ.રૂ.૨,૩૦,૦૦૦/- કુલ કિ.રૂ. ર,૫૦,૭૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે સ્થળ ઉપરથી ફરાર ૯ આરોપી (૧) મેહબુબસા ઇસ્માઇલસા દિવાન રહે.નેત્રંગ, લાલ મંટોડી, તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) કૈયુમ મેહબુબ શેખ રહે.રાજપીપળા (૩) અમઝદ જીનુભાઇ શેખ હાલ રહે.દેડીયાપાડા મુળ રહે.વડોદરા (૪) પિન્ટુભાઇ રવીલાલભાઇ વસાવા રહે.પિઠોર, ખાડી ફળીયુ, તા.વાલીયા, જી.ભરૂચ. (૫) કમલેશભાઇ નવલભાઇ વસાવા રહે.જુની નેત્રંગ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૬) શૈલેષભાઇ પ્રતાપભાઇ વસાવા રહે,આટખોલ તા.નેત્રંગ જી.ભરૂચ(૭) વિઠ્ઠલભાઇ રતનીયાભાઇ વસાવા રહે.પીંગોટ તા.નેત્રંગ જી.ભરૂચ(૮) દિલીપભાઇ ગેમલભાઇ વસાવા રહે.પીઠોર, તા.વાલીયા, જી.ભરૂચ(૯) દિલીપભાઇ રહે.પિઠોર જેનુ પુરૂનામ ખબર નથી ને વોંટેડ જાહેર કર્યા છે.

error: Content is protected !!