The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચના નંદેલાવમાં વેચાણ રાખેલ ફ્લેટ ખાલી ન કરતા મહિલાએ કરી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ

ભરૂચના નંદેલાવમાં વેચાણ રાખેલ ફ્લેટ ખાલી ન કરતા મહિલાએ કરી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ

0
ભરૂચના નંદેલાવમાં વેચાણ રાખેલ ફ્લેટ ખાલી ન કરતા મહિલાએ કરી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ
  • મહિલા એચ.આર. મેનેજરે અન્ય મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

ભરૂચના નંદેલાવમાં મહિલા એચ.આર. મેનેજરે અન્ય મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ શહેરના નંદેલાવ ખાતે મનોરથમ બંગોલઝમાં રહેતા મેઘલબેન ધર્મેન્દ્રકુમાર પટેલ એચ.આર. મેનેજર તરીકે ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેમણે ગત 16 માર્ચ, 2019માં નંદેલાવમાં આવેલી અલનુર રેસિડેન્સીમાં ફ્લેટ ખરીદ્યો હતો.

ફરીયાદી મેઘલબેને ફ્લેટ રઇશાબેન મુનીરભાઈ ખત્રી પાસેથી વેચાણ દસ્તાવેજ કરી રૂપિયા 8 લાખ 25 હજારમાં લીધો હતો. જો કે રઇશાબેને તેમને અન્ય ઘર ન મળે ત્યાં સુધી બે મહિના રહેવા અરજ કરી હતી. જેથી માનવતાની દ્રષ્ટિએ મેઘલબેને તેમને રહેવા દીધા હતા. મહિનાઓ, વર્ષ વીતવા છતાં રઇશાબેને ફ્લેટ ખાલી નહિ કરતા આખરે મેઘલબેને કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી આપી હતી. જેમાં ગુનો બનતો હોવાથી એ ડિવિઝન પોલીસ મથકે મેઘલબેને રઈશા ખત્રી સામે ફ્લેટ પચાવી પાડવાની ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!