The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે એપીએમસી ખાતે મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી હતી. સંઘના જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘના ઝઘડીયા તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ પટેલ ઝઘડીયા, ઉપપ્રમુખ તરીકે હેમરાજસિંહ રાઠોડ ટોઠીદરા, મંત્રી તરીકે વસંતભાઈ દેસાઈ, સહમંત્રી તરીકે  ભૌમિકભાઈ પટેલ તેમજ કોસાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કરોબારીની રચના કરવામાં આવતા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છેકે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને સમસ્યા બાબતે હંમેશા જાગૃત રહીને ખેડૂતોના વિવિધ પ્રશ્નોની યોગ્ય સ્તરે રજુઆત કરે છે. ત્યારે સંઘના ઝઘડીયા તાલુકાના સંગઠનની રચના કરાતા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સંગઠન કામગીરી કરશે. આ પ્રસંગે સંઘના નવનિયુક્ત તાલુકા હોદ્દેદારોએ સંઘ દ્વારા તેમનામાં મુકાયેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ તાલુકાના કિશાનોને મદદરૂપ થઇ શકે તે માટે હંમેશ કટિબધ્ધ રહેશે એમ જણાવ્યું હતું.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!