The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ

ગુજરાત આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. BTP જેવી નાની પાર્ટીઓને પોતાના પક્ષમાં સમાવવા માટે તમામ પક્ષ મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં BTP નેતા મહેશ વસાવાએ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આપ અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગુજરાત આગામી 2022 વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં BTP નેતા મહેશ વસાવાએ (BTP leader Mahesh Vasava)આમ આદમી પાર્ટીનાસંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી હાજર રહ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપ અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ વર્તાઈ રહ્યા છે. BTP નેતા મહેશ વસાવાએ દિલ્લીની મુલાકાત લીધી છે. જેમાં આમ આદમી પાર્ટી દિલ્લીના મુખ્યપ્રધાન અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી છે. ભૂતકાળમાં BTPએ કોંગ્રેસ ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન BTPએ ભાજપને સાથ આપ્યો હતો. ત્યારે હવે BTP અને AAPના સંયોજકની આ મુલાકાત ગુજરાત રાજકારણમાં સૂચક માનવાામાં આવી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં આદિવાસીના વિકાસને લઈ ચર્ચા કરવામાં આવી છે. તો બીજી તરફ દિલ્લી મોડલ અંગે પણ ચર્ચા થઈ છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ વૃદ્ધિ થાય તે અંગે પણ ચર્ચા થઈ છે. આદિવાસીઓના પ્રશ્નોને લઈને એક કલાક સુધી બેઠક કરી હતી.

ગુજરાતમાં આ વર્ષના અંત સુધી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી યોજાવાની છે.આ ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોની નજર ગુજરાત પર છે. ગુજરાતમાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. તેવામાં BTP જેવી નાની પાર્ટીઓને પોતાના પક્ષમાં સમાવવા માટે તમામ પક્ષ મહેનત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!