The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ગોપાલિયા ફીડરમાં ખેતીવાડીની લાઈનમાં આપવામાં આવતી વીજળીના ધાંધિયા!

દેડીયાપાડા તાલુકાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવેલાં ગોપાલિયા ફીડરમાં આવેલા ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેતીવાડીની લાઈનમાં અપાતો વીજ પુરવઠો અનિયમિત આવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી ગરમી વધુ પડતા ખેડૂતોનો પાકમાં પાણીની જરૂરિયાત વધુ પડતી હોય છે. ત્યારે અનિયમિત વીજળીના પુરવઠાને કારણે ખેડૂતો હેરાન થઈ ગયા છે. પેહલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી તેની જગ્યાએ 6 કલાક જ વીજળી આપવામાં આવતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 6 કલાક મળતી વિજળીમાં પણ અનિયમિતતા હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે. ડિજીવીસીએલ ની ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબર પર ફોન કરતા ત્યાં પણ વ્યવસ્થિત યોગ્ય જવાબ નથી મળતા. ત્યારે ખેડૂતોને યોગ્ય સમયે પૂરતી વીજળી મળી રહે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ખેતીવાડીની વીજળીની અનિયમિતા બાબતે સબ સ્ટેશન પર ફોન કરતા આગળથી જ વીજપુરવઠો નિયમિત ન આવતો હોવાનું જણાવવામાં આવે છે. 8 કલાક મળતી વીજળી હાલ 6 કલાક કરી નાખી છે અને તે પણ નિયમિત આપવામાં આવતી નથી. ઉનાળો હોવાથી ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. વારંવાર વીજળી આવ જા કરતાં પાણીની મોટરને નુકશાન થાય છે. વીજળી જો સમયસર આપવામાં ન આવે તો આંદોલન કરવાની ફરજ પડશે: ઘનશ્યામભાઈ પટેલ,ખેડૂત. ચીકદા

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!