The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

તહેવાર ટાંણે ભરૂચ 108 ઈમરજન્સી સેવાના 80 કર્મચારીઓ કાર્યસ્થળ પર જ રહીને ફરજ નિભાવશે

ભરૂચ 108 ઈમરજન્સી સેવા કોઈ પણ તહેવાર હોય કે પછી કોરના જેવી મોટી મહામારીનો સમય હોય ભરૂચ 108 ઈમરજન્સી સેવા હરહંમેશ લોકોના જીવ બચાવવા માટે તત્પર રહી છે. ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારની વાત કરીએ તો જ્યારે ભરૂચની જનતા હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવવા માટે મગ્ન હશે ત્યારે ભરૂચ 108 ઈમરજન્સી સેવાની 19 એમ્બ્યુલન્સ તેના 80 કર્મચારીઓ સાથે 24 કલાક દિવસ અને રાત લોકોની સેવા માટે ખડે પગે ઊભી રહેશે.

હોળી હોય કે દિવાળી તહેવારોમાં પણ 108 ઈમરજન્સી સેવામાં કાર્યકર્તા કર્મચારી મિત્રોએ રજા લીધા વિના પોતાના કાર્યસ્થળ પર જ હોળીનો તહેવાર ઉજવી વધુમાં વધુ લોકોનો જીવ બચાવવા માટે સંકલ્પ કર્યો છે. આવનારા બે દિવસમાં ભરૂચ જિલ્લામાં ઈમરજન્સીમાં 20થી 25 ટકાનો વધારો થવાની શકે તેમ છે. તેવી તમામ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ 108 ઈમરજન્સી સેવા હરહંમેશ ખડે પગે ઉભી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અંગેની જાણકારી ભરૂચ 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!