The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ ભરૂચ-અંકલેશ્વર જૈન સમાજે પાઠવ્યું આવેદન

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ ભરૂચ-અંકલેશ્વર જૈન સમાજે પાઠવ્યું આવેદન

0
પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ ભરૂચ-અંકલેશ્વર જૈન સમાજે પાઠવ્યું આવેદન

પશ્ચિમ બંગાળના ટીએમસી ના સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદન આપ્યુ પરિવાર કે જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાતો હોવાનું સંસદમાં નિવેદન કરતા જૈન સમાજમાં સાંસદ વિરુદ્ધની લાગણી વ્યાપી જવા પામી હતી. જેના વિરોધમાં જૈન સમાજ દ્વારા સાંસદ મૌઉઆ મૈત્ર જૈન સમાજની માફી માંગે અને સાંસદ જો માફી નહીં માંગે તો સંસદ સભાના અધ્યક્ષ તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરે તે માંગ સાથે ઉગ્ર રજૂઆત સાથે જૈન સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરને અને અંકલેશ્વર ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.

જૈન સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મેદાન નજીક આવેલા જૈન મંદિરે ભેગા થઈ કલેકટર ઓફિસ પહોંચી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી સાંસદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જૈન સમાજના પ્રમુખ હિતેશ શાહ, જીગ્નેશ શાહ, રાજેશ શાહ, ચંદ્રકાંત શાહ, વિરલ શાહ સહિતના જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કલેક્ટરને તેમજ અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર જૈન સમાજે રજુઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!