ભરૂચના લાલ બજાર ખાડી વિસ્તારમાં સાફ-સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયુ છે. આ વિસ્તારના નાળામાં એકત્રિત થયેલા દૂષિત પાણી અને કચરાના ઢગલાને પગલે સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.
ભરૂચ શહેરના લાલ બજાર ખાડી વિસ્તારના સ્થાનિકો મુખ્ય માર્ગની બાજુમાં આવેલા નાળામાં એકત્રિત થયેલા દૂષિત પાણી અને કચરાના ઢગલા તેમજ ગંદકીના સામ્રાજ્યને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જોકે, ૪ વાર રજૂઆત કરાયા તેમ છતાં હજુ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી. આ રજૂઆતને પગલે તંત્ર દ્વારા માત્ર એકવાર સાફ-સફાઈ કરવામાં આવી છે. નાળામાં જ્યાં દૂષિત પાણી ભરાયું છે ત્યા પશુઓ અને રાહદારીઓ પડી જતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સાથે સાથે આ માર્ગ ઉપરથી શાળાના બાળકોની અવર જવર હોવાથી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા રહેલી હોવાથી તંત્ર દ્વારા વહેલી તકે સાફ-સફાઈ કરાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.