આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ સફળતા પૂર્વક કરનાર કરી ક્રાંતિકારી નવયુવાન તરીકે ભરૂચ લોકસભા માં લોકચાહના મેળવનાર ચૈતર વસાવા ઉપર ફોરેસ્ટ ખાતા દ્વારા કરેલ ફરીયાદને ખોટી અને ચૈતરભાઈ ની વધતી પ્રસિદ્ધિ ની અદેખાઈમાં બદનામ કરવા ફોરેસ્ટ અધિકારી દ્વારા ફરીયાદ નોંધાયેલ છે.
જેમાં મધ્યસ્થતા કરવા મુખ્યમંત્રી ને સંબોધેલ આવેદન પત્ર વાગરા મામલતદાર ને આમ આદમી પ્રમુખ કરસનભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું.આજે વાગરા મામલતદાર કચેરી ખાતે ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી, જીલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય અરવિંદ વસાવા, ચીમનભાઈ સોલંકી , ડેડિયાપાડા જીલ્લા પ્રભારી તેજસભાઇ પટેલ, યાસીન ભાઈ પટેલ, આસીફભાઈ પટેલ, નગીનભાઈ વસાવા અને મહેબુબ ચાવડા હાજર રહ્યા હતા.