ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં કારનો કચ્ચરઘાણ થયો છે. કારમાં સવાર લોકો પૈકી 4 ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર ઘટનામાં કારના પતરાં ચીરી કારમાં સવાર મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ગતમોડી રાત્રે ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે. ગમખ્વાર અકસ્માતમાં બેદરકારીની ભીતિ સેવાય રહી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં કારનો કચ્ચરઘાણ થયો છે. કારમાં સવાર લોકો પૈકી 4 ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર ઘટનામાં કારના પતરાં ચીરી કારમાં સવાર મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સ માં અને શોરૂમ માં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામે થી આવતા હાઈવા ટ્રક અને અલ્ટો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયુ.
આ ચારેવ મૃતક સૂડી ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની જાણ સુડી ગામમાં થતા કોલાહલ મચી જવા પામ્યો હતો. જેમાં એક જ ફળિયાના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા પિતાના એકના એક સંતાન હોવાની માહિતી સાંપડી છે. જેને પગલે ચારેય પરિવાર ઉપર આભ ફાટી પડયુ હતુ. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં બેદરકારીની ભીતિ સેવાય રહી છે. અકસ્માતમાં મરણ જનાર યુવક ઓળખાણમાં મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન, સાકીર યુસુફ પટેલ, ઓસામા રહેમાન પટેલ અને મહંમદ મકસુદ પટેલ હોવાની બાતમી મળી છે. આ ઘટના અંગે પોલીસ તપાસ શરૂ છે. તથા કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.