જૂના ભરૂચ સ્થીત સમસ્ત દશાલાડ જ્ઞાતિ પંચ વાડી ખાતે દશાલાડ પરિવાર મંડળ આયોજીત મહા આરતી તેમજ ગરબા અને પ્રસાદીનો કાર્યક્રમ તા.૨૩-૧૦-૨૦૨૩ના રોજ યોજાયો હતો.

દશાલાડ પરિવાર મંડળ કમિટિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્ર નિમિત્તે નવમાં નોરતે દશાલાડ જ્ઞાતિ પંચની વાડી નવાદહેરા ખાતે માતાજીના ગરબા,મહા આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દશાલાડ પરિવાર મંડળના સભ્યો દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

ભરૂચ માં વસતા દશાલાડ વણીક જ્ઞાતીજનો દ્વારા સંગીતના સથવારે ગરબે ઘૂમી તથા માતાજીની સમુહમાં આરતી,સ્તુતી કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દશાલાડ પરિવાર મંડળના સેક્રેટરી ચંન્દ્રેશ શાહ,ખજાનચી સાગર કાપડીયા સહિત કમિટી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here