ભરૂચના વાલિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા જન નાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજાયો હતો

દર વર્ષે  યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વાલિયા-નેત્રંગ આદિવાસી સમાજ અને યુથ પાવર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં આગેવાન રાજુ વસાવા,યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા અને વિજય વસાવા,કેતન વસાવા,વીનેશ વસાવા સહિત આગેવાનોએ વાલિયા ગામના ચાર રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ ભવ્ય રેલી નીકળી હતી. જેમાં આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા.યુવાનોએ આદિવાસી શસ્ત્રો સાથે પહેરવેશ ધારણ કરી આદિવાસી સંસ્કૃતિનુ પરંપરાગત નૃત્ય પણ રજૂ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here