The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચમાં જનહિતાર્થે સુચિત વેરા વધારાનો નિર્ણય ન લેવા વિપક્ષે પાઠવ્યું આવેદન

ભરૂચ નગરપાલિકાનાં સુચિત વેરા વધારા સામે ભરૂચની જનતાએ વ્યાપક રીતે નારાજગી દર્શાવી છે. લોકો તરફથી મળેલી અંદાજિત ૩૦૦૦ વાંધા અરજીઓ તેનો જીવતો પુરાવો છે. જેમાં જનહિતાર્થે વિપક્ષે માત્ર ભરૂચની જનતાનો અવાજ બનીને પાલિકા સામે જરૂર જણાય આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

વિપક્ષના કહેવા મુજબ તેમને વિપક્ષ તરીકે જોવાના બદલે ભરૂચની જનતાના પ્રતિનિધી તરીકે જોઈ કોઈપણ જાતનો રાજકીય દ્રેશભાવ, નફા-નુકસાન જોયા વગર માત્ર પ્રજાના હિતમાં નિર્ણય લેવા પાલિકા સત્તાધિશોને આવેદન પત્ર પાઠવ્યું હતું.

વધુમાં વિપક્ષે કરેલ રજૂઆતમાં છેલ્લા એક મહિના દરમિયાન ભરૂચ શહેરનાં અંદાજિત ત્રણ હજાર નાગરિકોએ વાંધો રજુ કર્યો છે જેમાં ઘણી બધી સોસાયટીઓની સંયુક્ત વાંધા અરજી તેમજ માર્કેટ એસોસિયેશન, શોપિંગ સેન્ટરના દુકાનદારોની પણ વાંધા અરજી આવેલ છે. ત્રણ હજાર જેટલાં પરિવારનાં આશરે ૧૫,૦૦૦ લોકોને નગરપાલિકાનાં સુચિત વેરા સામે વાંધો હોય ત્યારે નગરપાલિકાનાં સત્તાધીશોએ આ વેરાવધારાનો નિર્ણય માંડી વાળવો જોઈએ જો આ વાંધાઅરજીને પણ ગણકારવામાં ન આવે તો તે સત્તાધીશોના અહંકાર સીવાય કંઈ નહીં હોય.

આજ રોજ નગરપાલિકા વિપક્ષ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને મળી પ્રજાએ સૂચિત વેરા વધારાના વિરોધમાં કરેલ સહી ઝુંબેશનું બેનર પાલિકા તંત્ર સમર્પિત કરી વેરો વધારો નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી છે.સાથે જો નગરપાલિકા લોકોના પ્રશ્નો, વ્યથાને ધ્યાનમાં રાખી પ્રજાહિતમાં સૂચિત વેરો વધારો રદ કરવામાં નહિ આવે તો વિપક્ષ ઉગ્ર આંદોલન કરશેનીચિમકી પણ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!