The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News સુરતથી કચ્છ સુધી નિકળેલા 75 સાયકલિસ્ટોનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

સુરતથી કચ્છ સુધી નિકળેલા 75 સાયકલિસ્ટોનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

0
સુરતથી કચ્છ સુધી નિકળેલા 75 સાયકલિસ્ટોનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

સુરતથી માતાના મઢ (કચ્છ) 750 કિમીની સાયક્લિંગ યાત્રાએ નિકળેલા જય આશાપુરામાં આસ્થા ગ્રુપના 75 સાયકલિસ્ટ અંકલેશ્વરમાં આવી પહોંચતા અંકલેશ્વર-ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સભ્યોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

લોકોમાં જનજાગૃતિ લાવવા સુરત જય આશાપુરામાં આસ્થા ગ્રુપ દ્વારા એ હાલો માતાના મઢ (કચ્છ) સુધી સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં 75 સાયકલિસ્ટ 20 સપ્ટેમ્બરે સુરતથી નીકળીને 750 કિમિનું અંતર કાપીને 27 સપ્ટેમ્બર 2022ના રોજ આશાપુરા માતાના મઢ (કચ્છ) પહોંચશે. આ સાયકલ યાત્રા દરમિયાન 75 સાયકલ યાત્રીઓ 75 વૃક્ષારોપણ કરીને દર રોજ 75 મિનિટ માતાજીની આરાધના કરીને લોકોમાં સરકારની યોજના ‘પેડલ ફોર હેલ્થ, પ્રદુષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઈન્ડિયાનો ઉદ્દેશ સાથે સાયકલિંગ કરવાથી થતા ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરશે.

75 સાયકલિસ્ટ સુરતથી નીકળ્યા બાદ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વર-ભરૂચ સાયકલિંગ ગ્રુપના સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે તેમનું ભવ્ય સ્વાગત કરી આવકારી તેઓ સહીસલામત આશાપુરા માતાના મઢ (કચ્છ) પહોશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!