ભરૂચમાં ગણેશ ચતુર્થીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે યુનિટી બ્લડ સેન્ટર અને હયાત પેલેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અન્ના હજારેએ કેજરીવાલને લખેલા પત્ર સંદેભે ભાજપ પ્રદેશ અધ્યક્ષે કેજરીવાલ પહેલેથી જ ગરબડ અને દેશ માટે કાયમ ગરબડી કરતા જ રહેશેનું નિવેદન આપ્યું હતું.

ભરૂચ જિલ્લામાં બુધવારે તમામ આધુનિક સુવિધા અને સ્ટાફ સાથે 24 કલાક સેવારત રહેનાર યુનિટી બ્લડ સેન્ટરનું સેવાશ્રમ ઇમરલેન્ડ બિઝનેસ હબ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું.

આ ઉદ્દઘાટનમાં વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, મારૂતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ભરતસિંહ પરમાર, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here