The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આમોદમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

0
આમોદમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આમોદ તાલુકા પંચાયત ખાતે મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી.આગામી નવમી ઓગષ્ટના રોજ મોહરમ પર્વને લઈને આમોદ નગરના તાજીયા કમિટીના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

તાજીયા કમિટીના સભ્યોએ તાજીયા રૂટ ઉપર આવતા રોડ રસ્તા રીપેર કરાવવા,સાફ સફાઈ કરાવવીલાઇટની વ્યવસ્થા કરવી,વિગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા.તેમજ આમોદ નગરમાં નાના મોટા ૧૫ થી વધુ તાજીયાનું મોહરમના દિવસે ઝુલુસ નીકળવાનું હોય પોલીસે જરૂરી વ્યવસ્થાના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું.જેમાં તાજીયા કમિટીના સભ્યો નાઝુ બાપુ,બબુ બાદશાહ,સફવાન પટેલ,જાબીર જાદવ,તેમજ ભાજપના આગેવાનો મનીષ ઠક્કર,વિષ્ણુ સોલંકી ઇન્દ્રસિંહ રાજ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!