જંબુસર કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયાં હતાં જ્યા પ્રાંત અધિકારી એ કે કલસરીયાને આવેદનપત્ર અપાયું હતું.

જેમાં જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં  હિન્દુ મુસ્લિમ તહેવારો આવતા હોઇ જનતાની આવશ્યક સેવાઓ તાકીદે વ્યવસ્થા કરવા જણાવ્યું તથા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરો ઉભરાય છે અને સરેઆમ રસ્તાઓ પર ફેલાતા દુર્ગંધ ફેલાવે છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.કુંડીના ઢાંકણા તૂટી ગયેલા તથા અમુક કુંડીઓના ઢાંકણાં નથી,સાફ સફાઈ ન થવાને કારણે અલગ અલગ વિસ્તારોમાં કચરાના ઢગલા છે,પાણી પુરવઠો ખુબ જ ઓછા પ્રમાણમાં અનિયમિત રીતે પૂરો પાડવામાં આવે છે.ગટરો ઉભરાવાને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી મિક્સ થઈ ઘરોમાં આવે છે.

આ સહિત છેલ્લા છ વર્ષમાં સ્ટ્રીટલાઈટના કામે કરોડો રૂપિયાની ઇલેક્ટ્રિક સામાનની ખરીદી થઈ છે  છતાંય શહેરમાં પૂર્ણ રીતે સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી પાલિકા સત્તાધીશો દ્વારા આવશ્યક સેવાના કામો પ્રત્યે આંખ આડા કાન કરી જવાબદારીમાંથી છટકવા તથા વહીવટ ગેરવલ્લે પાડી કામગીરી નહી કરી જનતા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યાં છે.જો આ કામો તાત્કાલિક નહીં કરવામાં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની અને પાલીકાને તાળાબંધી કરવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી હતી.આવેદનપત્ર આપવા યુથ કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here