જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પોઇચા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇ દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં હાથી-ઘોડા અને રથ સાથેની નગરયાત્રાના પણ દર્શન કરી સાંધ્ય આરતીમાં ભાગ લીધો હતો.
મંદિરના મુખ્ય વ્યવસ્થાપક સ્વામી પૂ. ભગવાનદાસજીએ મંત્રીને આવકારી નિલકંઠવર્ણીની પ્રતિકૃતિ અને પ્રસાદ સાથે શુભકામના પાઠવી હતી. મંત્રીની આ મુલાકાત દરમિયાન નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, રાજપીપલાના અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ વગેરે પણ તેમની સાથે જોડાયાં હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)