The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

આમોદ મામલતદારની શહેરા ખાતે બદલી થતાં અપાઈ વિદાય

આજ રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર ડૉ.જે.ડી.પટેલની શહેરા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.જેમાં મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદાર સહિત તલાટીઓ અને આમોદ તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા હતાં.

આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીર મોજાણીદારે મામલતદાર ડૉ.જે.ડી.પટેલને શ્રી ફળ તથા સાલ આપી શુભેચ્છાઓ આપી હતી.આ ઉપરાંત આમોદ મામલતદાર કચેરીના કર્મચારીઓ,કોમ્પ્યુટર ઓપરેટર તથા તલાટીઓએ પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ચિન્હ આપી શુભેચ્છાઓ આપી હતી.આમોદ નગરપાલિકાના માજી સુપરીટેન્ડન ગુલામ ખત્રીએ સાયરીના અંદાજમાં મામલતદારને વિદાય આપતાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતાં.આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીર મોજણીદારે તેમના મામલતદાર સાથેના અનુભવો વર્ણવ્યા હતાં.અને તેમની કાર્યપધ્ધતિની સરાહના કરી હતી.

બાદમાં વિદાય લઈ રહેલા ડૉ.જે.ડી.પટેલે તેમનો આમોદ મામલતદાર કચેરીમાં ચાર વર્ષના વહીવટમાં દરેક કર્મચારી તેમજ અધિકારીઓ તરફથી કામગીરીમાં સુગમતા પુરી પાડી સહકાર આપવાની કાર્ય પધ્ધતિને બિરદાવી હતી.આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ તાલુકા ભાજપના હોદેદારો તેમજ એ.પી.એમ.સી ના ડિરેક્ટરોએ અને તલાટી મંડળે ફુલહાર પહેરાવી વિદાય લઈ રહેલા મામલતદાર ડૉ.જે.ડી.પટેલને શુભેચ્છાઓ આપી સારી તદુરસ્તીની કામના કરી હતી આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ,મહામંત્રી દિપક ચૌહાણ, ડૉ. પ્રવિણસિંહ રાઉલજી ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, તલાટી મંડળના પ્રમુખ રમણભાઈ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!