ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિમિટેડ વટારોયા ના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિના મહામંત્રી સંદિપ માંગરોલાએ આજરોજ કલેકટર તુષાર સુમેરા ની રૂબરૂ મુલાકાત કરી ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી વિનંતી કરી હતી.
તેમ્ણે જણાવ્યું છે કે તત્કાલીન સુગરના વ્યવસ્થાપક બોર્ડ દ્વારા ચૂંટણી અંગેની દરખાસ્ત તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર ભરૂચ મારફત આપને નિદિષ્ટ મંડળી ના નિયમાં મુજબ પુનઃ મોકલી છે. આમ છતાં નવ મહિનાના સમય વીતી ગયા પછી પણ ચૂંટણી અંગેની પ્રક્રિયા કોઇપણ કારણ વગર વિલંબમાં મુકવામાંઆવી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ દરખાસ્ત મોકલ્યા બાદ નવ મહિનામાં રજીસ્ટાર કે કલેક્ટર દ્વારા દરખાસ્ત સ્વીકારવા કે પરત કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી.
તેમણે વધુમાં જણાવ્યું છે કે હાલમાં કસ્ટોડિયન તરીકે સુગર ફક્ટરીનો વહીવટ જીલ્લા રજીસ્ટ્રાર ના હાથમાં માર્ચ મહિના પહેલા થી છે. છેલ્લા સિઝનના એપ્રિલ અને મે મહિનામાં જે રીતે તેઓ દ્વારા સુગર ફેક્ટરી નું સંચાલન કરવામાં આવ્યું છે. તે જોતાં આ ફેક્ટરી નો વહિવટ આ જ પ્રમાણે ચાલશે તો સુગર નું ભવિષ્ય જોખમમાં મુકાશે. સહકારી ક્ષેત્રે કોઈપણ જાતના રાજકીય ભેદભાવ વગર સરકારે આ પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરવાને બદલે રાજકીય કિન્નાખોરો રાખી પોતાનો રોટલો શેકવા માટે સંસ્થા સાથે જોડાયેલા ૧૮૦૦૦ જેટલા ખેડૂત સભાસદો ના હિતને નુકસાન પહોંચાડવાનું કામ કરેલું છે. જે વખોડવા ને પાત્ર છે.ચૂંટણી અંગે કલેકટર દ્વારા સમયમર્યાદામાં કોઇ પગલાં ભરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તેઓ દ્વારા કલેકટરને જાણ કરવામાં આવી છે.