The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા શ્રવણ વિદ્યાધામમાં યોજાયો સમર કેમ્પ

બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા શ્રવણ વિદ્યાધામમાં યોજાયો સમર કેમ્પ

0
બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા શ્રવણ વિદ્યાધામમાં યોજાયો સમર કેમ્પ

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળ મંદિર થી ધોરણ 8 સુધી ના વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો.

આ સમર કેમ્પમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ અને વિવિધ દેશી રમતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદોલ્લાસપૂર્વક  મજા માણી. આ સમર કેમ્પનું આયોજન કરવાનો મૂળ હેતુ બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર આવે, તેનામાં રહેલી કલાનો વિકાસ થાય. વિદ્યાર્થી માં સમૂહ ભાવના, એકસૂત્રતા ,ભાઈચારાની ભાવના  ,ખેલદિલી, એકબીજાને મદદરૂપ થવું વગેરે જેવા ગુણોનો વિકાસ થાય અને વિદ્યાર્થી પ્રવૃત્તિ દ્વારા નવું નવું શીખે તેનો   ઉપયોગ પોતાના જીવન વ્યવહારમાં કરતા શીખે.

સમર કેમ્પ ના છેલ્લા દિવસે std 3 to  8ના  વિદ્યાર્થીઓએ ગુજરાતી મુવી ‘ગજબ થઇ ગયો’ ની મજા shilpi થિયેટરમાં  માણી તેમજ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!