The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News જંબુસર : કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે દરિયા કિનારે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

જંબુસર : કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે દરિયા કિનારે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

0
જંબુસર : કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે દરિયા કિનારે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

જંબુસર તાલુકા ના ઉચ્છદ ગામ સ્થિત પીજીપી ગ્લાસ પ્રા લી દ્વારા સીઆરએસ પ્રોજેક્ટ અન્વયે તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હોવાના તથા આ અભિયાન દરમ્યાન અંદાજે ૮૦૦ કિલો જેટલો પ્લાસ્ટિક નો કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જંબુસર તાલુકા ના ઉચ્છદ ગામ સ્થિત પીજીપી ગ્લાસ પ્રા લી તેના સીઆરએસ પ્રોજેકટ અંતર્ગત જુદી જુદી સામાજીક એકટીવીટી કરી રહી છે. પીજીપી ગ્લાસ ના સીઆરએસ પ્રોજેકટ ચેરમેન હરવિન્દરસિંગ સૈની દ્વારા જંબુસર તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે ગતરોજ તા ૧૨ મી એ દરિયા ના પટ મા તથા સ્તંભેશ્ર્વર તીર્થ સ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. આ સ્વચ્છતા અભિયાન મા હરવિન્દરસિંગ સૈની સહિત કંપની ના ૫૦ ની વધુ કર્મચારીઓ જોડાયા હતા. અને તેઓએ દરિયા પટ મા તીર્થ ખાતે સફાઇ અભિયાન હાથ ધરી અંદાજે ૮૦૦ કિલો જેટલો પ્લાસ્ટીક નો કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો. આ ઉપરાંત પીજીપી ગ્લાસ કંપની દ્વારા સીઆરએસ પ્રોજેક્ટ અંતર્ગત સ્તંભેશ્ર્વર તીર્થ ખાતે કચરો એકત્ર કરવા જુદાજુદા સ્થળો ઉપર ડસ્ટબીન મુકવા મા આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!