The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ: પરિણામ સુંદર આવતા મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા PMET સુરત દ્વારા યોજાયો કાર્યક્ર્મ

ભરૂચ: પરિણામ સુંદર આવતા મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા PMET સુરત દ્વારા યોજાયો કાર્યક્ર્મ

0
ભરૂચ: પરિણામ સુંદર આવતા મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા PMET સુરત દ્વારા યોજાયો કાર્યક્ર્મ

આજ રોજ ગિફ્ટેડ-30 કે જેનું સંચાલન મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા PMET રાંદેર સુરતના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે નિઃશુલ્ક NEET તથા JEE નું ગિફ્ટએડ 30 નું પરિણામ ખૂબ સુંદર આવતા પ્રોત્સાહનના ભાગ રૂપે એક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
ગુજરાત રાજ્ય ના 28 કેન્દ્રો માંથી ગિફ્ટએડ 30 ના કો- ઓર્ડિનાટરો એ હાજરી આપી હતી.સંસ્થાના વડા મુહમ્મદભાઈએ જણાવ્યું હતું કે ગિફ્ટએડ 30 પ્રોગ્રામ માં વિના મૂલ્યે તૈયારી કરાવવામાં આવે છે. સતત 3 વર્ષથી 100 ટકા NEET નું પરિણામ આપતી તથા પ્રતિષ્ઠિત કોલેજમાં વિના ડોનેસને પ્રવેશ અપાવતી સંસ્થા છે.
જેમાં શ્રેષ્ઠ ઇન હોઉસ શિક્ષકોની ભરતી કરવામાં આવે છેજે સફળતાનો ખુબજ ટ્રેક રેકોર્ડ ધરાવે છે તથા વિધાર્થીઓ માટે (બોયસ) MMMCT ભરૂચ કેમ્પસ માં અને વિદ્યાર્થીનીઓ (ગર્લ્સ) માટે VCT કેમ્પસમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે અને ટ્રાન્સપોર્ટસન તથા પુસ્તકો મફતમાં આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ગિફ્ટએડ 30 ના 4 વર્ષ ના ઈતિહાસમાં 46 થી વધુ વિધાર્થીઓ પ્રતિષ્ઠિત MBBS કોલેજમાં ડોક્ટરી અભ્યાસ તથા 23 થી વધુ BHMS અને BAMS કોલેજો માં અભ્યાસ માટે વિના ડોનેસન એડમિશન મળેલ છે તથા એન્જીનિરિંગ માં 30 થી વધુ વિધાર્થીઓ IIT,8 થી વધુ વિધાર્થી NIT,37 થી વધુ વિધાર્થી પ્રતિષ્ઠિત એન્જીનિરિંગ કોલેજમાં એડમીસન મેળવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!