ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્શન કમિટીએ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માને બન્ને ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યું છે, જ્યારરે અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળશે અને ઉપ-કેપ્ટન ચેતેશ્વર પુજારા હશે. બીજી ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલી હશે. બીજી બાજુ, વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને પણ આરામ આપવામાં આવ્યું છે. જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટમાં જોવા નહીં મળે.

પંતની જગ્યાએ ઋદ્ધિમાન સાહાની વિકેટકીપર તરીકે પંસદગી કરવામાં આવી છે અને વિકેટકીપરના બેકઅપ માટે કેએસ ભરતને જગ્ચા આપવામાં આવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઇમાં રમાશે. બીજી ટેસ્ટ માટે કેપ્ટન વિરાટ કોહલીની ટીમમાં વાપસી થશે.

પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા: અજિંક્ય રહાણે (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા (ઉપ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઋદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

બીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઋદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here