સુરતના ચકચારી દુષ્કર્મ કેસમાં શુક્રવારે સુરત કોર્ટે નારાયણ સાઇ સહિત પાંચને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ 30મી એપ્રિલે આ દોષિતોને સજા જાહેર કરશે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે નારાયણ સાઇને કોર્ટમાં લવાયો હતો, સવારથી કોર્ટ પરિસરમાં પોલીસે સલામતી માટે બેરીકેડ ગોઠવી દીધા હતા.ચુકાદો જાહેર થયો ત્યારે નારાયણ સાંઇનું મોઢું પડી ગયું હતું.

સુરતના આ દુષ્કર્મ કેસમાં શુક્રવારે સુરતની કોર્ટમાં ચુકાદો જાહેર થવાનો હોવાથી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યે નારાયણ સાઇને લાજપોર જેલથી સુરતની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટે બપોરે નારાયણ સાઇ,કૌશલ ઉર્ફે હનુમાન ઠાકુર,ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા,જમના ઉર્ફે ભાવના અને રમેશ મલ્હોત્રાને દોષિત જાહેર કર્યા છે જેની સજા 30મી એપ્રિલે સજા જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મોહિત ભોજવાણી, પંકજ દેવડા, અજય દિવાન, નેહા દિવાન અને મોનિકા અગ્રવાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here