•૧૫ સિક્યુરીટી જવાનોએ વૃદ્ધને માર્યાંની પોલીસ ફરિયાદ

•પોલીસે વધુ પૂછતાછ હાથધરી

દહેજના જાગેશ્વર ગામે તળાવની પાળે લાકડા કાપતા એક વૃદ્ધને કંપનીના સિક્યુરીટી ઓએ કંપનીમાં લઈ જઈ બેરહેમી પૂર્વક મારમારતા ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાયા છે.

દહેજના જાગેશ્વર ગામે લીમડા ફળિયામાં રહેતા ૬૫ વર્ષીય અમરસિંગ અભેસિંગ પટેલ આજે સાંજના સમયે તળાવની પાળ ઉપર લાકડા કાપી રહ્યા હતા.દરમિયાન બાજુમાં આવેલ એ.બી.જી.શિપયાર્ડની બંધ કંપની માંથી સિક્યુરીટી એ તેમને બુમો પાડી હતી.જોકે અમરસિંગભાઇ કાને સંપૂર્ણ બહેરા હોય તેમને લાકડા કાપવાનું ચાલુ રાખ્યું હતું.જેથી ઉશ્કેરાયેલા સિક્યુરીટી જવાનોએ તેમને કંપની ની અંદર લઇ જઇ પાઇપ અને લાકડી વડે મારમારતા અમરસિંગ ભાઈને ઘાયલ અવસ્થામાં ભરૂચ સીવીલ હોસ્પિટલમાં લવાતા દાખલ કરાયા હતા.

આ ઘટનામાં અમરસિંગભાઈના પરિવાર દ્વારા દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કંપની સિક્યુરીટી ને પોલીસ મથકે લઇ જઇ વધુ તપાસ હાથ ધરી છે.જોકે મોડી રાતે બંન્નેવ પક્ષે સમાધાન થયાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here