The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 90

ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળાઓમાં પ્રવેશોત્ત્સવ યોજાયો

ભરૂચના વેજલપૂર મિશ્ર શાળા ક્રમાંક નંબર 15માં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ,સંતોષી વસાહત મિશ્રશાળા ક્રમાંક ૪૨/૪૫,પોલીસ હેડ કવાટર્સ મિશ્રશાળા ક્રમાંક ૪૪માં શહેરી વિકાસ અને રાજય ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગરના ઉપ સચિવ બી.કે. ભોઇ તથા પાલિકા પ્રમુખ અમીત ચાવડાના હસ્તે કસક મિશ્રશાળા,દાંડીયાબજાર અને નવા દહેરા મિશ્રશાળામાં કુલ ૧૪૯ જેટલા બાળકોને આવકારી પ્રવેશ અપાયો હતો.

વેજલપૂર મિશ્ર શાળા ક્રમાંક નંબર 15 કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દિન નિમિત્તે જેઓ જીવનમાં શિક્ષણનું સોપાન કરવા જઈ રહ્યા છે, તેવા પ્રવેશ મેળવતા બાળકોને આજે હુંફ થી વધાવી અને શિક્ષણના ભગીરથ કાર્યમાં જોડી એક નૂતન પેઢી  ઘડતરના સહભાગી થવા આજના આ કાર્યકમમા મુખ્ય મેહમાન બી.કે.ભોઇ ઉપ સચિવ નગરપાલિકા શહેરી વિકાસ ગાંધીનગર ભરૂચ શહેર ભાજપના મહામંત્રી દિપક ભાઈ મિસ્ત્રી વોર્ડ નંબર 9ના સભ્ય ટિનેશ ભાઈ મિસ્ત્રી, સતીશભાઈ મિસ્ત્રી,રોહિણી સારંગ, ભારતીબેન વસાવા,ખારવા પંચના મહામંત્રી ઉમેશભાઈ મિસ્ત્રી સામાજીક આગેવાન નિકુલભાઈ મિસ્ત્રી,ભરતભાઈ મિસ્ત્રી,વસંતભાઈ મિસ્ત્રી,ભરૂચના શાસનાધિકારી નીશાંતભાઈ,પ્રિન્સિપલ હુસેનભાઇ મેમણ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા.

કંઝાલ ગામે સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

સમગ્ર નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં બુધવારથી પ્રારંભ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળાપ્રવેશોત્સવ– ૨૦૨૨ ના બીજા દિવસે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા કંઝાલ ગામે દિપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો.

સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કંઝાલ ગામની બે આંગણવાડીના ૫૧ અને ધોરણ -૧ માં ૩૮ મળી કુલ- ૮૯ બાળકોને ચોકલેટ આપી મોંઢુ મીઠું કરાવી દફ્તર અને પાઠ્યપુસ્તકો આપી ભુલકાંઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ તબક્કે સાંસદે શિક્ષણનું મહત્વ સમજાવતા  શાળામાં દાખલ થયેલા આ તમામ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવી ખેવના વ્યક્ત કરી બાળકોના શિક્ષણ માટે વાલીઓને જાગૃત થવા હાકલ કરી હતી.

શાળા પ્રવેશોત્સવનું મહત્વ શું છે તે અંગે વિસ્તૃત સમજ આપી વાલીઓને સંબોધતા સાંસદે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ કન્યા કેળવણી ઉપર સતત ભાર મૂકતા આવ્યા છે, ત્યારે બાળકોમાં રહેલી અનેક ખૂબીઓ અને વિવિધ પ્રકારની શક્તિને ખિલવવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સાચા માર્ગદર્શનની જરૂર હોય છે. તેનું મહત્વ વાલીઓ સમજે તે માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન ગામેગામ કરવામાં આવે છે. આવા કાર્યક્રમમાં વાલીઓ પણ ઉપસ્થિત રહે તો શિક્ષણ વિશે વધુને વધુ જાગૃતિ કેળવી શકાય અને બાળકોને સાચી દિશામાં શિક્ષણ પુરૂં પાડવામાં શિક્ષકો સાથે વાલીઓ પણ સહભાગી બની શકે  તેમ તેમણે ઉમેર્યું હતું.

સાંસદે વધુમાં ઉમેર્યું કે, કંઝાલ જેવા ગામના ગરીબ બાળકોને ભવિષ્યમાં સારું શિક્ષણ મળી રહે, તમામને ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે વાલીઓએ પણ ખૂબ જ કાળજી રાખવી પડશે. માત્ર એટલું જ નહીં પણ બાળકોમાં સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવશે તો ગામડાઓના વિકાસમાં આવતી ત્રૂટિઓને પણ સરળતાથી દૂર કરી શકાશે. સરકાર બાળકોને સારું શિક્ષણ આપવા માટે અનેક આનુસંગિક પ્રકલ્પો અને યોજનાઓ પણ ચલાવે છે.

આ કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે શાળામાં શિક્ષણ અને શાળાકિય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા બાળકોને સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાંસદ પોતાના ગામમાં આવ્યા હોવાથી તેમનો આભાર વ્યક્ત કરી પુસ્તક ભેટ આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે સાંસદના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન  શાળાના આચાર્ય અરવિંદભાઈ વસાવાએ કર્યું હતુ. આ કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ શામળદાસ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ફતેસિંહ વસાવા, બિટ  નિરિક્ષક જસવંતભાઈ વસાવા, સ્થાનિક આગેવાન રણજીતભાઈ ટેલર સહિત ગામના આગેવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જન શિક્ષણ સંસ્થાન ખાતે ફેન્સી ડ્રેસ,શેરી નાટક અને ગૃપ ડાન્સનું ભવ્ય કરાયું આયોજન

આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં ઉજવાઈ રહેલી આઝાદીકા અમ્રુત મહોત્સવ અંતર્ગત અને નેશનલ ઈન્ટ્રીગેશન કાર્યક્રમ અનુસંધાને કૌશલ્ય વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં મદયસ્થ ખંડ ખાતે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન સાથે ગ્રુપ ડાન્સ અને સ્ટ્રીટપ્લેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધકોમાં કોશલ્યતાનાં ગુણો ખીલે, કોશલ્ય થકી પોતાનું અને કુટુંબનું જીવનસ્તર સુધારવા, સમયબધ્ધ તાલીમ પ્રાપ્ત કરી ધંધો, વ્યવસાય, સ્વરોજગાર કે નોકરી દ્વારા રોજગાર પ્રાપ્ત કરી શકે અને પોતાનાં જીવના ધ્યેય પાર પાડી શકે સાથે સાથે સમાજમાં જન સમુદાયને દરેક ક્ષેત્રે જાગ્રુત કરી શકે અને પોતાના સમાજનાં અને દેશનાં હિતમાં કાર્ય કરી શકે. સ્પર્ધકો , તાલિમાર્થી બહેનોએ એકએકથી ચઢિયાતી ફેન્સી ડ્રેસની ઝલકો રેમ્પ ઉપર રજુ કરી ત્યારબાદ ગૃપ ડાન્સ અને શેરીનાટકનાં વિવિધ કાર્યક્રમો થકી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમમાં મહેમાન પદે આ સંસ્થાનનાં વાઈસ ચેરમેન શ્રીમતિ પ્રિતીબેન દાણી , શ્રીમતિ રશ્મિબેન જોષી (બોર્ડ મેમ્બર) અને ફસ્ટ લેડી અંકલેશ્વરનાં પ્રમુખે સ્પર્ધામાં પ્રથમ , દ્રિતીય તથા તૃતીય ક્રમે આવનાર ત્રણેવ વિભાગનાં સ્પર્ધકો 1. રાણા કોમલ 2. શેખ ગોસિયા 3. સોલંકી જાગૃતિ ટ્રોફી તથા પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે બાકિનાં તમામ સ્પર્ધકોને પણ ભાગ લેવા બદલ પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા હતા. ભવ્ય કાર્યક્રમનાં આયોજન બદલ નિયામક ઝૈયનુલ આબેદીન સૈયદે સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતિ હેતલબેન પટેલે કર્યું હતું. કાર્યક્રમની સમાપ્તીમાં રિસોર્સ પર્સન શ્રીમતિ અર્પિતા રાણાએ આભાર દર્શન કર્યું હતું.

વાગરા ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ખાતમુર્હુત, લોકાર્પણ કરાયા

ભરૂચ જિલ્લાના વાગરા એપીએમસી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિતના સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમને દિપ પ્રગટાવી ખુલ્લો મુકયો હતો.

માર્ગ અને મકાન મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદનશીલ સરકાર ધ્વારા ગરીબ લોકો કેવી રીતે સમૃધ્ધ થાય તે દિશામાં વિકાસના કાર્યો કરવામાં આવી રહયા છે. ગામે ગામ રસ્તાઓ બનતા ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો થયો છે જેનાથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ધણો ફાયદો થયો છે. ચારેય માસ ટ્રાસપોર્ટમાં ભરૂચ જિલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે.

ઇન્ડસ્ટ્રીઝ અને ખેત પેદાશો ના કાર્ગોને ટ્રાન્સપોર્ટ કરવા એર સ્ટેપ મહત્વ ની સાબીત થશે. જેથી ખેડૂતોની આવક બમણી થશે. ભરૂચમાં ટ્રાફીક નું ભારણ ઓછુ કરવાં દેહેજ થી પાલેજ સુધી ઇન્ડસ્ટ્રીઝ ડિઝાઇન વાળો રોડ આવનારા સમય ભરૂચ ને મળશે. તે સાથે  વલસાડ થી ખંભાત સુધી કોષ્ટલ હાઈવે પણ દરિયાકાંઠા વિસ્તારને નવું સ્વરૂપ આપશે. આમ નવા રોડ અને નવા પ્રકલ્પો ભરૂચ ને ભાગ્યું ભાગ્યું ભરૂચ હવે જાગ્યું જાગ્યું ભરૂચ બનાવશે.

નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇએ પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી સંવેદનશીલ સરકારના માર્ગ અને મકાન વિભાગ ધ્વારા અનેક પ્રજાલક્ષી કામો કરવામાં આવી રહયા છે. સુવિધાસજજ રસ્તાઓ થકી એક સ્થળેથી બીજા સ્થળે ઝડપભેર જઇ શકાશે જેનાથી લોકોના સમય અને નાણાંની બચત થશે.

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ધ્વારા વાગરા વિસ્તારમાં થયેલા વિકાસકાર્યોની વિગતો વર્ણવી હતી.કાર્યક્રમ બાદ ભરૂચ જિલ્લાના સમની ખાતે આવેલ એલ સી નં ૨૨ ઉપર નવનિર્મિત રેલ્વે ઓવર બ્રીજનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ રીબીન કાપીને સાથે સાથે તકતીનું અનાવરણ કરી ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત આગેવાનો પદાધિકારીઓ તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

દેવ નદીના પ્રવાહમાં તણાઈ ગયેલ બાળકીના માતપિતાને ૪ લાખ ની સહાય ચૂકવાઇ

દેડીયાપાડા તાલુકાના કણજી ગામ પાસે આવેલા કોઝવે પર ગત ૧૧ જૂનના રોજ સાંજના ૮ કલાકની સમયગાળા દરમ્યાન જીગ્નેશભાઈ મીરાભાઈ વસાવાની દીકરી મમતાબેન વસાવા તેમજ પત્ની શિલાબેન વસાવા મૂળ. રહે વાંદરી. દેવ નદીના કોઝવે પરથી પસાર થતા હતા, તે દરમ્યાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક વધારે પ્રવાહ આવતા મમતાબેન જીગ્નેશ વસાવા ઉંમર વર્ષ 8 તણાઈ જતા બાળકીનું મોત થયું હતું.

જેમાં બાળકીના માતાપિતાને સરકારી સહાય ચુકવવામાં આવી હતી. દેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સભ્ય, તલાટી તેમજ સરપંચની હાજરીમાં બાળકીના માતાપિતાને રૂપિયા ચાર લાખનો સહાયનો ચેક આપવામા આવ્યો હતો.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

અંકલેશ્વરના જુના બોરભાઠા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો,૨ ફરાર

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર તાલુકાના જુનાબોરભાઠા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે વિદેશી દારૂ અંગે સફળ રેઇડ કરી હતી.

જેમાં પોલીસ ટીમે વિદેશી દારૂ તથા સુઝુકી એક્સેસ મોપેડ તથા વિવો કંપનીના મોબાઇલ ફોન સહિત કુલ મુદ્દામાલ કિ.રૂ. ૬૨,૪૦૦/- સાથે એક આરોપી કમલેશભાઇ અર્જુનભાઇ વસાવા ઉ.વ. ૩૮ રહે. જુના બોરભાઠા, પારસી ફળીયું, તા.અંકલેશ્વરને ઝડપી પાડયો હતો.

જ્યારે ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા આ ગુનાના બે અરોપી મહેશભાઇ મોહનભાઇ ઠાકોર રહે . જુના બોરભાઠા , પારસી ફળીયું , તા. અંકલેશ્વર જી. ભરૂચ અને દશરથ ઉર્ફે દશુ બાલુભાઇ વસાવા રહે.હજાત તા. હાંસોટને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોંપાયો હતો.

ભરૂચ સ્ટેશન રોડ પરના ભૃગુમંઝીલ શોપીંગમાં ૪ દુકાનોના તુટ્યા તાળા

  • ચોરીના સી.સી.ટી.વી આવ્યા સામે

ભરૂચ સ્ટેશન રોડ ઉપર આવેલ ભૃગુમંઝીલ શોપીંગ સેન્ટરની ૪ દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપતા આસપાસના દુકાનદારો સહિત વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

તસ્કરોએ એક સાથે ૪ જેટલી દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયાની પોલીસને જાણ કરાતા જ એ ડિવિઝન પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરીને અંજામ આપતા સી.સી.ટી.વી ફૂટેજ મળતા તેના આધારે તસ્કરોનું પગેરૂ શોધવા કવાયત હાથધરી છે.

જો કે હાલમાં કેટલાની ચોરી થઈ તે વિગતો સામે આવી નથી.

અંકલેશ્વરના ૪ કલાકાર તુર્કીમાં લોકનૃત્ય મહોત્સવમાં પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરશે

સુરત, અંકલેશ્વર તથા અન્ય શહેરો મળી કુલ 16 સભ્યોની ટીમ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા 35 વર્ષથી યોજાઇ રહેલા 8 દિવસીય આ પ્રતિષ્ઠિત લોકનૃત્ય મહોત્સવમાં પ્રથમ વખત જ ભારત ને પણ કાર્યક્રમ ભાગ લેવા આમંત્રણ મળ્યું છે.

સુરતની પ્રિયંકી પટેલ સંચાલિત ડાન્સ એકેડેમી તુર્કીમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ  લોકનૃત્ય ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. તેમાં અંકલેશ્વરના ચાર તાલીમાર્થીઓ નો સમાવેશ થઈ રહ્યો છે.અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ઉપ પ્રમુખ જશુ ચૌધરીની પુત્રી રૈના ચૌધરી તેમજ જિજ્ઞેશ પટેલ તેમના પત્ની પીનલ અને પુત્ર વેદ સહિત સુરતના મળી 16 કલાકારો આગામી દિવસોમાં તુર્કિસ્તાન ખાતે યોજાઇ રહેલા આંતર રાષ્ટ્રીય ફોક ડાંસ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે જશે. તેઓ ભારતીય લોક નૃત્યો ની ત્રણ કૃતિઓ રજુ કરશે.

છેલ્લા 35 વર્ષથી યોજાઇ રહેલા 8 દિવસીય આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફોક ડાંસ ફેસ્ટિવલમાં આ તમામ ભારતનું પ્રથમવાર પ્રતિનિધિત્વ કરશે. આ વૃંદ વિશ્વભરમાંથી આવતા વૃંદો સમક્ષ ભારતીય લોક નૃત્યો રજુ કરશે. અને સંસ્કૃતિ નું આદાન પ્રદાન કરશે. રૈના ચૌધરીએ ગર્વ સાથે પોતે ભારત દેશ વતી ભારતીય સંસ્કૃતિ ના લોક નૃત્ય ને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહી છે.

ભરૂચ જિલ્લામાં મંત્રી વિનોદભાઈ મોરડીયાના ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા  અધ્યક્ષસ્થાને ભરૂચમાં ઝાડેશ્વર પ્રાથમિક શાળા અને નવા તવરા પ્રાથમિક શાળા તથા જૂના તવરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ શરૂ કરાયો હતો.કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય તથા પ્રાર્થના થકી  કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શિક્ષણમાં અનેક પરિવર્તનો લાવ્યા હતાં. જે અંતર્ગત આજના આ કાર્યક્રમ થકી બાળકોને શિક્ષણમાં પ્રવેશ કરાવીને તથા તેઓ અધવચ્ચેથી  શિક્ષણ છોડીને ન જાય તે માટે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને શિક્ષણનું સ્તર ઊંચુ લાવવાનું છે. આવા કાર્યક્રમ થકી ગુજરાતમાં બાળકોનું નામાંકન ૯૯ ટકા જેટલું તથા ડ્રોપ આઉટ રેશિયો ૯૩ ટકા જેટલો થયો છે, તે જ આ કાર્યક્રમની સફળતા દર્શાવે છે.

આ ઉપરાંત મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સશકત ભારતનું નિર્માણ કરવું હોય તો દરેક બાળક શિક્ષિત હોય તે જરૂરી છે. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ મુજબ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈપણ બાળક સ્કૂલના શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય બને તથા રાજ્યનું દરેક બાળક તંદુરસ્ત રહે તે દિશામાં રાજ્ય સરકાર સતત કાર્યરત છે, તેમ તેમણે જણાવ્યું હતું.આવા કાર્યક્રમો થકી સ્કૂલમાં બાળકોના પ્રવેશ માટે પ્રવેશોત્સવ બની જીવનભર યાદગાર બની રહે તેવી નેમ વ્યકત કરી હતી.

મંત્રીએ આંગણવાડી તથા ધોરણ ૧માં પ્રવેશપાત્ર ભૂલકાઓને શૈક્ષણિક કીટ વિતરણ કરીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.આ પ્રસંગે ઝાડેશ્વરની આંગણવાડીમાં ૧૨ બાળકો તથા પ્રાથમિક શાળામાં ૨૮ બાળકો પ્રવેશપાત્ર બન્યા હતા. નવા તવરા આંગણવાડીમાં ૧૮ બાળકો તથા પ્રાથમિક શાળામાં ૨૦ બાળકો પ્રવેશપાત્ર બન્યા હતા. જૂના તવરા આંગણવાડીમાં ૧૭ બાળકો તથા પ્રાથમિક શાળામાં ૪૧ બાળકો પ્રવેશપાત્ર બન્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર,ગામના સંરપંચ,શાળાના એસ એમ સી કમીટીના સભ્યો, ,શાળાના શિક્ષણ ગણ, શાળાના વિદ્યાર્થીઓ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યાકુબ ગુરજીએ આપ્યું નારાજગી સાથે રાજીનામું !

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન, તેમજ કોંગ્રેસ ના સક્રિય સભ્ય યાકુબ ગુરજીએ આજે નારાજગી સાથે પોતાનું રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

યાકુબ ગુરજીએ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલીયને પ્રદેશ કાર્યાલય ખાતે પોતાની નારાજગી સાથે આપેલ રાજીનામામાં પોતાની વ્યથા જણાવતા લખ્યું છે કે, ભરૂચ જીલ્લા ના સંગઠન માં કેટલાક વર્ષોથી કમલ છાપ કોંગ્રેસીઓ નો વહિવટ છે ખુદ જીલ્લા પ્રમુખે છેલ્લા એક વર્ષમાં પક્ષની વિચારધારા વિરૂદ્ધ અનેક કૃત્યો જાહેરમાં કરેલ છે તેમજ ભાજપ ને ફાયદો પહોંચાડવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં કોંગ્રેસ ના પ્રમાણિક અને જનાધાર ધરાવનાર આગેવાનો ને પક્ષથી વિમુખ કર્યાં છે.

જીલ્લા માં ત્રણ વર્ષ માં કોંગ્રેસ ખૂબજ નબળી બની છે અને ચાલુ પ્રમુખ ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં પ્રદેસ પ્રમુખ ના આદેશની અવગણના બદલ નોટીસ પણ પાઠવેલ છે.ત્યારે આવા પ્રમુખ સાથે કામ કરવું અસહ્ય હોય તે બાબતની રજૂઆત પાર્ટી પ્રોટોકોલ માં રહી જીલ્લા પ્રભારી થી લઈને પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ સુધી વારંવાર કરી હોય તેમ છતાં પ્રદેશ કક્ષાએ થી પ્રમુખ ને બદલવાની જગ્યાએ જીલ્લા પ્રમુખ તરીકે ચાલુ રાખવાની જાહેરાત કરેલ છે.જેના થી આહટ થઈ રાજીનામું આપું છું.

error: Content is protected !!