The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 78

આમોદ તાલુકાના તલાટીઓની અચોક્કસ મુદતની હડતાળથી લોકોના કામો અટવાયાં!

આમોદ તાલુકા તલાટી કમ મંત્રીઓએ ગત રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આજથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામતા ગામલોકોના કામો અટવાઈ ગયા હતાં.

ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર હડતાળ કરતાં તલાટીઓએ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતાં.અને જ્યાં સુધી રાજ્ય તલાટી મંડળનો આદેશ ના થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખી સરકાર સામે લડતના શ્રી ગણેશ કર્યા હતાં.અને પોતાની પડતર માંગણીઓ જેવી કે ૨૦૦૪-૦૫ ની નોકરી સળંગ કરવા બાબતે, ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત, રેવન્યુ તલાટી માં મર્જ કરવા બાબતે અચોક્કસ મુદતની હડતાળ કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

બિસ્માર રસ્તા અંગે ભરૂચ કોંગ્રેસે મંત્રી અને કાર્યપાલક ઇજનેરનું પુતળું ગધેડે બેસાડી કર્યું વિરોધ પ્રદર્શન

  • માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા.

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ બાદ જાણે કે રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે, વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા રસ્તાઓ જાણે કે વરસાદી માહોલમાં ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના કારણે ધોવાઈ ગયા છે. એક જ રસ્તાને બનાવવા માટે પ્રજાના દર બે વર્ષે કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવતું હોવાની નીતિ અપનાવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

ગુજરાતનું માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચ શહેર સહિતના અનેક માર્ગો આજે બિસ્માર બન્યા છે, શહેરી વિસ્તારોમાં જૂના ભરૂચમાં ૧૧ વોર્ડ જે નગર પાલીકાથી સચવાતો નથી તો જિલ્લા પંચાયતનું લશ્કર પણ ક્યાં લડતું હોય તેવી બાબતો હાલ ખરાબ માર્ગો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે, તો તંત્ર માત્ર ઠીંગણા મારવામાં મશગુલ બન્યું છે.

આ વચ્ચે જિલ્લા યુવા કોંગ્રેસ હવે સક્રિય બન્યું છે. આજે ભરૂચ ખાતે બિસ્માર રસ્તા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગધેડા ઉપર બેસાડી સુત્રોચ્ચાર સાથે શહેરમાં ફેરવ્યા હતા. કોંગ્રેસના આ વિરોધને લઇ ૨૦ થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

લમ્પી વાયરસની રસી અને સહાય આપવા મુદ્દે ભરૂચ રાષ્ટ્રીય કિસાન પરિષદે આપ્યું આવેદન

ગુજરાત માં ગાયોમાં લમ્પી વાયરસ ઝડપથી ફેલાઇ હજારો ગાયો ના મોત થતાં રાષ્ટ્રીય કિસાન પરિષદે વિવિધ માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

જેમાં રાષ્ટ્રીય કિસાન પરિષદના અધ્યક્ષ જશવંતસિંહ ગોહીલે જણાવ્યું કે વેટરનરી હેલ્થ ઇમરજન્સી પશુ આરોગ્ય ઇમરજન્સી તાત્કાલિક જાહેર કરવામાં આવે., લમ્પી વાયરસ ને ગાયોની મહામારી ( COW APIDEMIC ) જાહેર કરવામાં આવે, ગુજરાત સરકારનો બધોજ વેટરનરી સ્ટાફ પ્રાઇવેટ ડેરીઓ નો વેટરનરી સ્ટાફ અને વેટરનરી કોલેજ ના બધા જ વિદ્યાર્થીઓ ને એક છત નીચે લાવી દરેક ને તાલુકામાં વહેંચી દેવામાં આવે., વાહન આપવામા આવે અને ગાયો ની સારવાર તથા વેક્સીન માટે એમને કામે લગાડવામાં આવે અને જરૂર પડેતો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી વેટરનરી સ્ટાફ બોલાવવામાં આવે.

એક અઠવાડિયામાં બધીજ ગાયો અને પશુઓ ને રસી આપવામાં આવે તે માટે ભારત ના બધાજ રાજ્યો માં થી લમ્પી વેક્સીન મગાવવામાં આવે, દરેક ગામમાં આઇશોલેશન સેન્ટર બનાવવામાં આવે અને ખર્ચે ની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે., સાથે  દરેક ખેડૂત માલધારી કે પશુપાલક ની લમ્પી વાયરસ થી મરનાર દરેક પશુ દીઠ રૂ .50000 ની સહાય સરકાર તરફથી આપવામાં આવે.ની માંગણી કરાઇ છે અને ગુજરાતમાં 5 હજાર થી વધારે ગામડાઓ માં ફેલાયેલું આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ , રાષ્ટ્રીય બજરંગદળ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ ના સંગઠન સરકાર ને મદદરૂપ થવા સંપૂર્ણ તૈયાર હોવાનું પણ જણાવાયું છે.

ભરૂચના જીએનએફસી પીક-અપ બસ સ્ટેન્ડ ખાતે ટીસી પર 2 મહિલા સહિત 4 નો હુમલો

ભરૂચના જીએનએફસી પીક-અપ બસ સ્ટેન્ડ ખાતે ફરજ બજાવતાં ટીસીને બસ મોડી પડતાં એક શખ્સે અન્ય એક યુવાન તેમજ બે મહિલા સાથે ધમકાવી બળજબરીથી 408 રૂપિયા પડાવી લઇ ત્યાંથી નાસી છુટતાં તેમણે આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ તાલુકાના નિકોરા ગામે રહેતાં સિકંદર હમીરસિંહ રાજ છેલ્લાં એક મહિનાથી જીએનએફસી પીક-અપ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલ તેઓ નોકરી પર હતાં. તે વેળાં એક શખ્સે અમદાવાદ જવાની બસનું ઓનલાઇન બુકિંગ કરાવ્યું હોઇ તેમની પાસે આવી બસ ક્યારે આવશે તેમ પુછયું હતું. તેમણે બસનો સમય બતાવ્યાં બાદ થોડા સમય બાદ તેઓ પરત આવ્યાં હતાં.

બસ હજી સુધી કેમ આવી નથી. જેના પગલે તેમણે જણાવ્યું હતું કે, બસ ટ્રાફિકના કારણે લેટ થઇ હશે. જે બાદ પણ બસ નહીં આવતાં શખ્સ તેની અન્ય અન્ય એક ઇસમ તેમજ બે મહિલાઓ સાથે તમની કેબીનમાં ઘુસી આવ્યો હતો. તેમજ તેમને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યો હતો.

તેમજ તેમની ટિકિટના રૂપિયા પરત માંગતાં તેમણે તેઓને રિફન્ડ મુદ્દે ભોલાવ ડેપોનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમ છતાં તેઓએ હોબાળો કરતાં ડેપોનું વાતાવરણ ન બગડે તે માટે તેમણે પોતાના ખિસ્સામાંથી 3 ટિકિટના 408 રૂપિયા તેમને આપતાં તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. જો કે આ ઘટનાની ભરૂચ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે સ્વચ્છતા પખવાડીયાની પૂર્ણાહુતી તેમજ ઈનામ વિતરણ યોજાયું

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહ્સિકતા મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર સ્વચ્છતા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત તા: ૧૬/૦૭/૨૦૨૨ થી ભરૂચના કલેકટર તુષાર સુમેરાના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જન જાગ્રુતિના કાર્યક્રમોનું આયોજન કરાયું અને ચિત્રલેખન તેમજ નિબંધ લેખન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝયનુલ સૈયદે પખવાડીયા દરમ્યાન યોજાયેલ કાર્યક્રમ વિશે હાજરજનોને માહિતગાર કર્યા હતા અને સરકારની સુચના મુજબ આયોજીત આ કાર્યક્રમમાં સહભાગી થનાર સંસ્થાઓ તેમજ તાલિમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રમુખ પદેથી બોલતા રોટરી કલબ ઓફ ફેમીનાના પ્રમુખ મધુસિંહ મેડમે વડાપ્રધાનશ્રીના કૌશલ ભારત શશકત ભારત અને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સંસ્થાના તેમજ વિધાર્થિઓના આ અભિગમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા અને સરકારના આવા મહત્વપૂર્ણ કાર્યક્રમમં હજુ યોગદાન આપી શકિએ માટે સૌને હાકલ કરી હતી. જેએસએસ્ના અધ્યક્ષ ફિરદોશબેન મન્સુરીએ જેએસએસના ટીમ મેમ્બર્સને સન્માનિત કરતા જણાવ્યુ કે જે ઉત્સાહપૂર્વક ટીમના સભ્યો કાર્ય કરે છે. તે જોતા અમને ખુબ આનંદની લાગણી વ્યકત થાય છે. તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરતા રહો અને સમાજના તમામ વર્ગના લોકોને સ્કીલ તાલીમાં અને જન જાગ્રુતીમાં લોકોને જોડતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમ દરમ્યાન વિધાર્થીઓને નિબંધ લેખન સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થી પ્રથમ ક્રમે  શેખ સમિરાબાનુ દ્વિતીય ક્રમે શેખ મહેરિંબાનુ તૃતીય ક્રમે દિનિયાત ફહિમા જ્યારે નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મોરે સ્નેહા દ્વિતીય ક્રમે ઠાકોર ડિમ્પલ તૃતીય ક્રમે વસાવા સંજનાનાઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણ પત્ર એનાયત કરાયા હતા. તેમજ  જેએસએસનાં સ્ટાફ સભ્યો હેતલબેન પટેલ, ક્રિષ્નાબેન કઠોલીયા, જઈમભાઈ કાગઝીને તેમની ઉત્કૃષ્ઠ કામગીરીને દયાને લઈ “એવોર્ડ ઓફ એક્ષેલેન્સથી” મહાનુભાવોનાં હસ્તે સન્માનીત કરાયાં.

કાર્યક્રમના અંતે જેએસએસ્ના ફિલ્ડ અને લાઈવલી હુડ કોઓર્ડિનેટર ક્રિષ્નાબેન કઠોલિયા દ્વારા ઉપસ્થીત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન અમીતભાઈ પટેલે કર્યુ હતું. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્ર્ગાન ગાઈ સૌ છુટા પડ્યા હતા.

આમોદની બેંક ઓફ બરોડા શાખામાં કર્મચારીઓના ઉદ્ધતાઈભર્યા વર્તનથી પ્રજા પરેશાન!

આમોદની બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ગ્રાહકો અને બેંક કર્મચારીઓ સાથે રોજની માથાકૂટ થતી હોવાની માહિતી મળી છે. ગ્રાહકો સાથે સૌજન્યતા દાખવ્યા વગર ગમે તેમ ભાષામાં વાત કરતાં કર્મચારીઓથી બેંક ઓફ બરોડાના ખાતેદારો પરેશાન બન્યા છે.

આ ઉપરાંત બેંકનું પાસબુક પ્રિન્ટિંગ મશીન ઘણા સમયથી બંધ હાલતમાં હોય ધૂળ ખાઈ રહ્યું છે.તેમજ શિક્ષકોના પગારનું શિડયુલ સમયસર કામમાં ના લેતાં શિક્ષકોના પગાર પણ ઘણાં અનિયમિત થતાં હોવાની બુમો ઉઠી છે. જેથી બેંક ખાતેદારો પરેશાન બની બેંકના ઉપરી અધિકારીઓને તેમજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ ફરિયાદ કરી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં ભરવા માંગ કરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

નર્મદા : નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મોની સર્વેની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ!

નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી પર અગાઉ સવાલો ઉભા થયા બાદ હવે નર્મદામાં “નલ સે જલ” યોજના અંતર્ગત વાસ્મોની સર્વેની કામગીરીમાં યુનીટ મેનેજર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે.

નર્મદા જિલ્લાના જાગૃત નાગરિક ગોપાલ.ડી.વસાવાએ ગુજરાતનાં મુખ્યંમંત્રી ભુપેન્દ્ર પટેલને આક્ષેપ સાથે કરેલી લેખિત રજૂઆત મુજબ નર્મદા જીલ્લાનાં ગ્રામીણ વિસ્તારમાં જુદા-જુદા ગામની આંતરીક ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે સંશોધન અને તાંત્રિક સર્વેની કામગીરી જોધપુરની સિધ્ધુ સર્વે સર્વિસને અંદાજીત 37 કરોડના 3.07 ટકા ભાવે આપવામાં આવી હતી. પરંતુ યુનીટ મેનેજર દ્વારા ઓફિસની કામગીરી પડતી મૂકી સર્વે કામગીરી જાતે કરી છે, સર્વેની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે.

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ગામમાં રૂબરૂ ગયા વગર જાતે જ ઓફીસમાં બેસીને પહેલાનાં સર્વે -ડેટા તૈયાર કરવામાં આવેલ હતા, તેના પરથી જ આડેધડ અંદાજા બનાવ્યા છે, અને એનું ચુકવણું કોઈને પણ જાણ વગર એજન્સીને ચુકવી દેવામાં આવ્યું છે. હાલ નર્મદાના ઘણા ગામોમાં અધુરા સર્વેની કામગીરી જોવા મળી છે. ગામમાં સરખા ડ્રોઇંગ, પ્રોપર ડીઝાઇન, એસ્ટીમેંટ પણ ખોટા બનાવ્યા છે. કોઇના દ્વારા કોઇ પણ દસ્તાવેજ જમા કરાવાયા નથી કે ઓફીસમાં ઈનવર્ડ પણ પાડવામાં આવેલ નથી. સરકારના પૈસે ઓફીસના તમામ સાધનોનો ઉપયોગ કરી કોઇને ખબર ના પડે તેમ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો છે. આ ગેરરીતિ મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

તો બીજી તરફ નર્મદા જિલ્લા વાસ્મોના યુનિટી મેનેજર વી.પી.પટેલે જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓની હાજરીમાં જોધપુરની સિધ્ધુ સર્વે સર્વિસ એજન્સી દ્વારા સર્વેની કામગીરી કરાયેલી છે.જી.પી.એસ આધારે કરેલા સર્વેના નકશા પણ છે. ટેન્ડરીંગ ગાંધીનગરથી થયું છે. ઓફિસમાં બેઠા બેઠા સર્વે કર્યો એ વાત ખોટી છે.સિધ્ધુ સર્વે સર્વિસ એજન્સીના ઓનર આર.એસ. સિધ્ધુએ જણાવ્યું હતું કે અમે ગામે ગામ જઈ જાતે સર્વે કર્યો છે, યુનિટી મેનેજર પોતે ચેકીંગ માટે આવતા હતા, ઓફિસમાં બેસી સર્વે કર્યો હોવાની વાત ખોટી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

સાગબારા : જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતમાં યોજાયેલા લોક દરબારમાં પત્રકારોને રખાયા દુર !

સાગબારા ખાતે જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિત વચ્ચે યોજવામાં આવેલા લોક દરબારના કાર્યક્રમ માં પત્રકારોને આમંત્રણ ન આપવા પાછળ કોનો દોરી સંચાર છે અને ક્યાં કારણોસર પત્રકારોને કાર્યક્રમ થી અળગા રાખવામાં આવ્યા તેવા સવાલો પત્રકારોમાં ઉભા થયા છે.

તાલુકા મથક સાગબારા ખાતેના પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની ઉપસ્થિત વચ્ચે  સાગબારા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને બાદમાં તાલુકા પંચાયતના હોલ ખાતે લોક દરબાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના બની બેઠેલા સામાજિક આગેવાનો ને હાજર રાખવામાં આવ્યા હતા. ત્યારે આ યોજવામાં આવેલા લોક દરબાર ના કાર્યક્રમ માં સાગબારા તાલુકાના પત્રકારોનો કયા કારણોસર આમંત્રણ આપવામાં ન આવ્યું હતું અને પત્રકારો ને જિલ્લા પોલીસ વડ ના કાર્યક્રમ થી દુર કેમ રાખવામાં આવ્યા તેવા સવાલો પત્રકારો માં હાલ ચર્ચાઈ રહયા છે. શુ સાગબારા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર ગોરખધંધાઓની પોલ જિલ્લા પોલીસ વડા સમક્ષ ખુલ્લી પડી ન જાય તે માટે પત્રકારોને લોક દરબાર ના કાર્યક્રમ થી દુર અળગા રાખવામાં આવ્યા હતા.

સાગબારા તાલુકાના પવિત્ર યાત્રાધામ દેવમોગરા ખાતે તેમજ આજુબાજુના વિસ્તારોમાં ખુલ્લેઆમ વિદેશી શરાબ વેચાય છે તેમજ સાગબારા તાલુકાનો એક બુટલેગર સાગબારા સહિત ડેડીયાપાડા તાલુકામાં વિદેશી દારૂનો મોટો સપ્લાયર બની બેઠો છે, ત્યારે બીજા અનેક નાના મોટા ગાયો, બળદો,ભેંસો ,વાંછરડાઓ સહિતના પશુધનની મહારાષ્ટ્રના કતલખાને ફેરફેરી જેવા અનેક ગોરખધંધા ઓની પોલ જિલ્લા પોલીસ વડા સામે ખુલ્લી ન પડે તે માટે દેશની ચોથી જાગીર સમા પત્રકારોને જિલ્લા પોલીસ વડાના લોક દરબાર કાર્યક્રમ માં આમંત્રણ ન આપવામાં આવ્યા હોવાનું હાલ તાલુકાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા (નર્મદા)

ડેડીયાપાડા ગ્રામ પંચાયતના કર્મચારીની આત્મહત્યા મામલે આખરે બજારો રહ્યા બંધ

નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા ખાતે પંચાયત ના કર્મચારી ને BTP પાર્ટી દ્વારા ગામમાં લગાવેલ ઝંડાઓ ઉતારી લેવા દબાણ કરનાર પંચાયત સરપંચ ના પતિ દીવાલ શેઠ સહિત તેના પુત્ર નર્મદા જીલ્લા પંચાયત ના સભ્ય હિતેશ વસાવા સામે મૃતકની પત્ની એ આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના આરોપ લગાવ્યા હતા.

ત્યારે પોલીસે સામાં પક્ષે સરપંચ ની ફરિયાદ નોંધી ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના આગેવાન ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે આદિવાસી વિસ્તારોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. મૃતકની પત્ની ગીરજાબેન વસાવા પોતાના પતિના મોત માટે હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ શેઠને જવાબદાર ગણાવી રહ્યા હતા. પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કરતી ન હોય આદિવાસીઓએ પોલીસ મથક માં અડિંગો જમાવ્યો હતો, જેથી પોલીસ ને ગતરોજ મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી.

દેડીયાપાડા પોલીસે આરોપી દિવાલ શેઠ સહિત તેના પુત્ર હિતેશ વસાવા સામે આઇ.પી.સી. ની ધારા 306, 506(2) અને 114 મુજબ નો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આજ રોજ ડેડીયાપાડા બંધ નું પણ એલાન આપવામાં આવ્યું હોય બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા (નર્મદા)

ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં સાત શિવલિંગ છે સ્વયંભૂ!

નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે તો અનેક સ્થનો  પર ઋષિઓએ તપ કર્યા હોવા ન ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં મળે છે. નર્મદા પૂરાંન માં તરણેશ્વર અને આજે  તવરા  નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે, શાસ્ત્રોમાં કપિલમુનિને  શિવ સ્વરૂપ દર્શવવા માં  આવ્યા છે.

એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત  દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા ત્યારબાદ તેઓ તવરા  ગામે ગયા હતા જ્યાં તેમને તપ કર્યું હતું અહીં તેમને કપિલેશ્વર મહાદેવ ની સ્થાપના કરી સપ્ત  શિવલિંગ ની  સ્થાપન કર્યું હતું જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ,શ્રી કોટેશ્વર મહાદેવ,શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ,શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવ નો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડા નું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા ચિંતનાથ મહાદેવ ના નામે ઓળખાય છે.

રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે ચઢાઇ કરી હતી. ઔરંગઝેબે ના સૈન્યે મંદિરના  શિવલિંગને  ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબ  નું સૈન્ય  શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું પછી તેવો  સૈન્ય  લઈને અંગારેશ્વર ગામે ગયા હતા.

આ તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે અને મંદિરના દર્શન કરી ચિંતામુક્ત થાય છે.

error: Content is protected !!