The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 68

ભરૂચના મઢુલી સર્કલ પાસે લકઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત,૧નું મોત,૨ ઘાયલ

ભરૂચ શહેર ને અડીને આવેલા અને ભરૂચ થી દહેજ જતા માર્ગ પર છાશવારે મોટા ભારદાર વાહનોના કારણે અકસ્માત ની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે,નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજ થી શ્રવણ ચોકડી તેમજ શેરપુરા ને જોડતા માર્ગ તરફ બેફામ અને ગફલત ભરી રીતે આવતા વાહનો ના કારણે અત્યાર સુધી કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આજ રોજ સવારના સમયે નંદેલાવ સ્થિત મઢુલી સર્કલ પાસે એક ખાનગી લકઝરી બસના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ૫ વર્ષીય ધ્યાની ધર્મેશ ભાઈ પટેલ નામની બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,તેમજ બાઇક પર સવાર મહેશભાઈ હરિભાઈ પટેલ અને માતા ડિમ્યુ બેન ધર્મેશ ભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા બંને ને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ભોલાવ થી શ્રવણ ચોકડી તરફ જતા સમયે આ અકસ્માત ની ઘટના સર્જાઈ હતી,અકસ્માત માં બાળકીના મોત બાદ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા હતા તેમજ થોડા સમય માટે તમામ વાહનો રોકી દઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો,જોકે ઘટના બાદ તાત્કાલિક ભરૂચ પોલીસ ના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડયો હતો,સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારે લકઝરી બસો અને ભારદાર વાહનો બેફામ બનીને અહીંયા થી બેરોક ટોક પસાર થાય છે સાથે રસ્તા માં પણ ગમે ત્યાં ગાડીઓ પાર્ક કરતા હોય છે જેના કારણે અવારનવાર અકસ્માત ની ઘટનાઓ બનતી આવે છે,ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરતા તમામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ભરૂચ શેરપુરા થી ડુંગરી જતા રોડ ઉપરથી ખુનની કોશીશ/રાયોટીંગના ગુનાનો આરોપી ઝડપાયો

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલનાએ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા સુચનાઓ આપેલ.

જેથી પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોકત સુચનાઓ અન્વયે ભરૂચ એલ.સી.બી. અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને જોલ્લામાં વોન્ટેડ આરોપીઓ પકડવા અંગે વર્કઆઉટ શરૂ કરવામાં આવેલ.

દરમ્યાન એલ.સી.બી.ભરૂચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હ્મુમન ઇન્ટેલીજન્સથી બાતમી મળેલ કે, “ કાવી પો.સ્ટે.ના ખુનની કોશીશ/રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી ભરૂચ ખાતે શેરપુરાથી ડુંગરી જતા રોડ ઉપર દેખાયેલ છે ” જે મુજબ ચોકકસ હકિકત આધારે ટેકનીકલ સર્વેલન્સથી વોન્ટેડ આરોપી કેશરીસિંહ ફતેસંગ સિંધા હાલ રહેવાસી. મ.નં. ૩૬ કમલપાર્ક સોસાયટી સ્ટેશન રોડ જંબુસર,જી.ભરૂચ મુળ રહેવાસી. ટુંડજ ને શેરપુરાથી ડુંગરી જતા રોડ ઉપર ખુરશીદ પાર્ક નજીક આવેલ રહેમતી મસ્જીદ સામેથી ઝડપી પાડી તેના વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજરની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને કાવી પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

રાજપારડીમાં સારસા માતાજીના ડુંગરે ઉમટ્યું સેંકડો શ્રધ્ધાળુઓનુ માનવ મહેરામણ

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસે આવેલા સારસા માતાજીના ડુંગરથી રાજપારડી નગર સુધી અંદાજે ૨ કી.મી.સુધીના વિસ્તારમાં સમાપાંચમનો ભવ્ય મેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા હૈયે થી હૈયુ દળાયુ હોઇ તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પાછલા બે વર્ષના કોરોનાકાળ દરમિયાન કોવીડની ગાઇડ લાઇન મુજબ વિવિધ પ્રકારની ઉજવણીઓ, મેળાઓ,વધારે લોકો એકત્રિત થાય તેવા પ્રસંગો બંધ રહ્યા હતા હવે કોરોનાના કેશો ઘટતા લોકો બે વર્ષ બાદ ઉજવણીઓ કરી મનમુકીને હરવા-ફરવા જઇ રહ્યા છે.

ત્યારે ઝઘડીયા તાલુકાના રાજપારડી નગર થી નેત્રંગ તરફ જતા રસ્તા ઉપર અતિ પ્રાચિન ડુંગર આવેલોછે ડુંગરની ઉપર સારસાઇ માતાજી બિરાજેલા હોઇ આ ડુંગર સારસા માતાજીનો ડુંગર તરીકે ઓળખાયછે ડુંગરની નીચેથી લઇને છેક રાજપારડી ગામ સુધી અંદાજે ૨ કી.મી.ના વિસ્તારમાં મેળો ભરાય છે. દર વર્ષે  ભાદરવા માસમાં સમા પાંચમના દિવસે પરંપરાગત ભવ્ય મેળો ભરાય છે.

સારસાઇ માતાજીનો મહિમાં અપરંપારછે અત્રેના ડુંગર ઉપર આવેલા મંદિરે આજુબાજુના ગ્રામિણ વિસ્તારોના તેમજ દુરદુરથી શ્રધ્ધાળુઓ તેમની બાધાઓ પુર્ણ કરવા આવે છે. ભાદરવા માસમાં મેળાના દિવસે શ્રધ્ધાળુઓનુ ઘોડાપુર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

પાંચમના મેળામાં રાજપારડી પોલીસ દ્વારા ટ્રાફિકનુ સફળતાપૂર્વક સંચાલન કરાયું હતુ અને મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેમાટે ભરૂચ જીલ્લા પોલીસના ઉચ્ચસ્તરીય હોદ્દાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજપારડીના પી.એસ.આઇ.જી.આઇ.રાઠોડ, સહિત ૩ અન્ય પી.એસ.આઇ.,૧ પી.આઇ. સહિત પોલીસ સ્ટાફના કોન્સટેબલો અંદાજે ૧૫૦ જેટલા જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ નહિ બનતા તંત્રએ હાશકારો લીધો હતો.

  • રિપોર્ટર : ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

અમદાવાદના તાલુકા મથકે હડતાલ ઉપર ઉતરેલ ફિલ્ડના આરોગ્ય કર્મચારીઓની મીટીંગ મળી

  • ગ્રેડ-પે સહિતની માંગણીઓનો સરકાર દ્વારા જી.આર કરવામાં ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો આરોગ્ય કર્મચારીઓનો હુંકાર

પોતાની માગણીઓ ન સંતોષાતા 8મી ઓગસ્ટ 2022 થી જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મલ્ટી પર્પઝહેલ્થ સુપરવાઇઝર ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર સહિતના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગૂરૂવારે અમદાવાદ જિલ્લાના દશક્રોઇ વિરમગામ માંડલ દેત્રોજ સાણંદ બાવળા ધોળકા ધંધુકા ધોલેરા તાલુકાના હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓની આગામી રણનીતિ નક્કી કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તમામ આરોગ્ય કર્મચારીઓએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી સરકાર દ્વારા ગ્રેડ પે સહિતની વિવિધ માંગણીઓના સંદર્ભમાં જીઆર નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ મક્કમતાથી ચાલુ રાખવામાં આવશે. કોઈ કર્મચારી પોતાની ફરજ પર હાજર થશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્ડના આરોગ્ય કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોને લઈને જેમાં ગ્રેડ-પે, ઝીરો કિલોમીટર પીટીએ તથા કોરોના વોરિયર તરીકે પોતાનું પરવા કર્યા વગર પોતાના પરિવારજનોની પરવા કર્યા વગર રજાઓના દિવસે જે કામ કરેલ હતું તેનું ભત્તું મેળવવા હડતાલ પર ઉતર્યા છે. રાજ્ય સરકારે ઉમદા વલણ રાખીને આરોગ્ય કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કરવો જોઈએ અને તાત્કાલિક આ અંગેનો જીઆર પણ કરવો જોઈએ તેમ અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ આર જી પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું.

ભરૂચમાં અન્ય યુવતિના પ્રેમમાં પડી ત્રાસ આપતા પતિ સામે પત્નીએ કરી ફરીયાદ

  • પહેલી બે પત્નીઓને છૂટાછેડા આપ્યાં હતાં

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલાં ન્યૂ આનંદ નગર ખાતે રહેતી અને દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડની પુત્રીએ ઇરફાન મુખત્યાર શેખ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જે બાદ તેનું નામ યાસ્મિન રાખવામાં આવ્યું હતું. દાંપત્ય જીવનમાં તેને એક સંતાનનું સુખ પણ પ્રાપ્ત થયું હતું.

છેલ્લા એકાદ વર્ષથી સાદીયાબાનુ આદમ શબુ નામની યુવતિ સાથે તેના પતિને પ્રેમ સંબંધ બંધાતાં તે યાસ્મિન સાથે ઝઘડો કરતો હતો.દરમિયાનમાં તેના પતિ ઇરફાને ધંધાર્થે યાસ્મિનના પિતા પાસેથી કુલ 1.50 લાખ રૂપિયા લીધાં હતાં. તેમજ તેના સોનાની સાધનો પણ વેચી દીધાં હતાં. જે બાદ તે સાદિયાબાનુ સાથે ભાગી ગયો હતો.

જોકે, તેને પકડી લાવતાં તેણે સાદિયા સાથે સંબંધ ન રાખવાની બાંહેધરી આપી હતી. બાદમાં ઇરફાન તેને છુટાછેડા લેવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. અરસામાં તેને જાણ થઇ હતી કે, અગાઉ સુરતની શબનમ નામની યુવતિ સાથે લગ્ન કર્યા બાદ તેને સંતાન થતાં તેને છુટાછેડા આપી દીધાં હતાં.

જે બાદ સુરતની જ નાઝ નામની યુવતિ સાથે પણ લગ્ન કરી તેને સંતાન થતાં તેને છોડી હતી. હવે યાસ્મિનને સંતાન થતાં તેણે સાદિયાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ સાથે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નેત્રંગ નજીક માર્ગ ઉપર પડેલ ખાડો બચાવવા જતા કાર ડેમમાં ખાબકતા ૩ના મોત

  • મહિલા તલાટી તેઓના પતિ અને ચાર વર્ષની બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ

રાજપીપળાના વડીયા ગામ પાસે આવેલ સત્યમ નગરમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી લવઘણ ઉક્ક્ડીયાભાઈ વસાવાનો ૩૪ વર્ષીય પુત્ર સંદીપકુમાર લવઘણ વસાવા નેત્રંગ ગામના માંડવી રોડ ઉપર આવેલ ગોકુળધામ ખાતે પત્ની યોગીતાબેન સંદીપકુમાર વસાવા અને ૩ વર્ષીય પુત્રી માહી સાથે રહે છે.પત્ની યોગીતાબેન વસાવા કામલીયા ગામ ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે સેવા બજાવે છે.જેઓ ગતરોજ પતિ સંદીપ વસાવા સાથે ગાડી નંબર-જી.જે.૨૩.એ.એન.૨૫૩૯ લઇ કોડવાવ નજીક આવેલ ગજાનંદ હોટલ ખાતે જમવા ગયા હતા.ત્યાંથી ઘરે પરત આવી રહ્યા હતા.

દરમિયાન નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ ઉપર કુપ ગામના બસ સ્ટેન્ડ પાસે ખાડામાં ટાયર પડતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર બલદવા ડેમની ખાડીમાં ખાબકી હતી.અકસ્માતમાં કારમાં સવાર દંપતી અને ૩ વર્ષની પુત્રી ડુબી જતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે નેત્રંગ પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતકોના મૃતદેહને પીએમ અર્થે નેત્રંગ સામુહિક  આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે માર્ગ ઉપર પડેલ ખાડો એક પરિવારના ત્રણ સભ્યોને ભરખી જતા પરીવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

  • રિપોર્ટર : ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

સાગબારા-ડેડીયાપાડાના ચોપડવાવના પુલ ઉપર બે ટ્રકો સામસામે ભટકાઇ,૧ ઘાયલ

સાગબારા ડેડીયાપાડા નેશનલ હાઇવે ચોમાસા દરમિયાન બિસ્માર બન્યો હોવા છતાં અહીં અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે, ચોપડવાવ પાસેના પુલ ઉપર બે ટ્રકો વચ્ચે સામ સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી.

સાગબારા ડેડીયાપાડા નેશનલ હાઇવે 753 બી હાલ ચોમાસાને પગલે ખુબજ બિસમાર બન્યો છે ,છતાં હાઇવે પર વાહનોના અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે. હાઇવે  ખુબજ બિસ્માર હાલતમાં હોવા છતાં વાહન ચાલકો પોતાના વાહનોને ધીમી ગતિએ ચલાવવાનું નામ નથી લેતા. ત્યારે મોડી સાંજે ચોપડવાવ ગામ પાસે પુલ ઉપર બે ટ્રકો વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો ,જેમાં એક ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.

મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રક નમ્બર MH. 26 AD.2257  અને ગુજરાત તરફથી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક નમ્બર MH.14 EM.9136 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી જ્યોતિરામ મદનરામ જાધવ રહે,શેલગાવ જિલ્લો બીડ દ્વારા આપેલ ફરિયાદ મુજબ MH. 26 AD.2257 નો ચાલક કે જેનું નામ ઠામ ખબર નથી તે પોતાના કબ્જામાની ટ્રકને ચોપડવાવ ગામ પાસેના પુલ ઉપર પુર ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડ ઉપર હંકારી લાવી સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા ફરિયાદીની ટ્રક નમ્બર MH.14 EM.9136 ને અથાડી દેતા ફરિયાદીની ટ્રકને કેબીન ના ભાગ સહિત ત્રણ ટાયરો અને આગળના કાચ સહિત ટ્રકની બોડીને નુકસાન કરી પોતે પોતાની ટ્રકની અંદર ફસાઈ જતા જમણા પગે ફેક્ચર કરી શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સાગબારા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે આ નેશનલ હાઇવે બિસમાર બન્યો હોઈ તેમ છતાં મહારાષ્ટ્ર તરફથી આવતા વાહન ચાલકો બની દારૂના નશામાં બેફામ પોતાના વાહનો હંકારે છે અને અકસ્માત ને આમંત્રણ આપે છે જેમાં કઈ કેટલાય બેકશુર લોકો ભોગ બને છે અને કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે.આથી ઘનશેરા પોલીસ ચેકપોસ્ટ ખાતે આવા વાહનોને રોકી તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

આમોદ તાલુકાના જુના કોબલા ગામે યુવાનને મગર પાણીમાં ખેંચી જતા મોત

આમોદ તાલુકાના નવા કોબલા ગામે રહેતો હસમુખભાઈ ભાઈલાલભાઈ રાઠોડ નામનો યુવાન જુના કોબલા ગામે કામ અર્થે ગયો હતો. જ્યાં તે ઢાઢર નદી કિનારે જતાં તેનો પગ લપસી જતાં ઢાઢર નદીમાં રહેતાં વિશાળકાય મગરે તરાપ મારી નદીના પાણીમાં ખેંચી ગયો હતો.જ્યાં હાજર લોકોએ પણ યુવાનને મગર ખેંચી લઇ જતાં નજરે નિહાળ્યો હતો.અને વિડિઓ પણ બનાવ્યો હતો.

કોબલા ગામના તલાટીએ હાજર લોકોનો પંચકયાસ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.તેમજ તંત્રને પણ જાણ કરતાં આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર. આર.પરમાર તેમની ટીમ સાથે કોબલા ગામે પહોંચી મગરને રેસ્કયુ કરવાની તજવીજ હાથ ધરી છે.જયારે આમોદ મામલતદાર એસ.એસ. ગાવીત પણ પોતાની ટીમ સાથે કોબલા ગામે પહોંચી ગયા હતાં.અને આસપાસના ગામલોકો મોટી સંખ્યામાં યુવાનને ખેંચી જતા મગરને જોવા માટે ટોળે વળ્યાં હતાં.

  • મહાકાય મગર યુવાનની લાશ સાથે ત્રણ કલાક સુધી પાણીમાં રમતો રહ્યો

આમોદ તાલુકાના જુના કોબલા ગામે હસમુખભાઈ ભાઈલાલ રાઠોડનો ઢાઢર નદીમાં પગ લપસી જતાં તેને મગર નદીમાં ખેંચી ગયો હતો.ત્યાર બાદ મગર સતત ત્રણ કલાક સુધી નદીના પાણીમાં યુવાનની લાશ સાથે રમતો રહ્યો હતો જે મગર લાશને થોડી થોડી વારે પાણીમાં લઈ જઈ બહાર કાઢતો હતો.જેથી હાજર લોકો પણ મગરને જોઈને વિડિઓ બનાવતાં રહ્યાં હતાં.

  • રિપોર્ટર : વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરથી ચૂરમાના લાડું વહેંચાયા

આમોદ નગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરે જ્યાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને ગણપતિ દાદાની આરતી કરી હતી.જે ગણપતિ દાદાની પ્રતિમા જમણી સૂંઢના રિધ્ધિ- સિધ્ધિ સહિતની એક જ પથ્થરમાંથી બનેલી પ્રતિમા છે.જે ગણપતિ દાદાને ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.તેમજ દુંદાળાદેવની વિશેષ પુંજા કરવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ નગરમાં દરેક હિન્દૂ ભક્તજનના ઘરે દેશી ઘીમાં બનાવેલા ચૂરમાના લાડું ગણેશ યુવક મંડળોના સહકારથી વહેંચવામાં આવ્યા હતાં.આમોદ નગરની ધર્મ પ્રેમી બહેનોએ લાડું બનાવવાની સેવા કરી હતી.

ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મ દિવસ હોવાથી ગણપતિ દાદાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે મંદિરે ઉમટી પડ્યાં હતાં.અને મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જામી હતી.બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો.તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગારાના સથવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

પ્રાચીન ગણપતિ દાદાન મંદિરે મંગલ મૂર્તિની પૂજા અર્ચના તેમજ આરતી કર્યા બાદ ગણેશ યુવક મંડળોએ પોતપોતાનાં પંડાલમાં દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી કરવામાં આવી હતી.

  • રિપોર્ટર : વિનોદ પરમાર,આમોદ

અંકલેશ્વરમાં 73માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વરના જીનવાલા કેમ્પસમાં આવેલા ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવ પૂર્વ મંત્રી ધારાસભ્ય વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જીનવાલા કેમ્પસમાં મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક રક્ષક ઉર્વશી પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા, અંકલેશ્વર તાલુકા પ્રમુખ અરવિંદ પટેલ, કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ, મામલતદાર કરણ રાજપુત, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી.ડામોર, આચાર્ય ડૉ. કે.એસ.ચાવડા તેમજ ડૉ.જયશ્રી ચૌધરી સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતા.

error: Content is protected !!