
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અને સ્વામિ વિવેકાનંદ યુવા સપ્તાહ હેઠળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને યુવાવસ્થામાં પોતાના યોગદાનને ઉજાગર કરવા “ભારતના નવ નિર્માણમાં યુવાનોનું યોગદાન” વિષય અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનાં વિચારો રજુ કર્યા હતા.
વિવેકાનંદ યુવા સપ્તાહની પૂર્ણાહૂતી પ્રસંગે આયોજીત સ્પર્ધામાં વિજેતા તરીકે પ્રથમ ક્રમે સૈયદ ઝુલ્ફીયાબેગમ ફઝલુદીન, દ્વિતીય ક્રમે સોલંકી અંજલી નિમેષભાઈ અને તુતીય ક્રમે આવનાર બારદાનવાલા ફાતીમા અબ્દુલ અઝીઝને જન શિક્ષણ સંસ્થાનનાં નિયામક ઝયનુલ સૈયદ તથા નેહરૂ યુવા કેંન્દ્ર ભરૂચના ડોલીબેનનાં વરદ હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હત્તા.
આ પ્રસંગે સંસ્થાનનાં રિસોર્સ પર્સન ગીતાબેન સોલંકી, ક્રિષ્ણાબેન ક્થોલીયા, અર્પિતાબેન રાણા વગેરે ઉપસ્થિત રહયા હતા અને પ્રાસંગીક પ્રવચનમાં સ્વામિ વિવેકાનંદનાં જીવન ચરીત્ર ઉપર પ્રકાશ પાડયો હતો. સંસ્થા તરફથી સૌ તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનુ સફળ સંચાલન તથા આભારવિધી લાઈવલી હૂડ કો.ઓર્ડિનેટર શિતલબેન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા હતા.