The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાને નકારતા સી.આર.પાટીલ

રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાને નકારતા સી.આર.પાટીલ

0
રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાને નકારતા સી.આર.પાટીલ

ગુજરાતમાં જે રીતે રાજકીય પક્ષો સક્રિય થયા છે તે જોતા કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપના અધ્યક્ષ સી.આર, પાટીલે રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે ની શક્યતાઓને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે ભાજપ સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતમાં યોજાવાની શક્યતા છે.ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના 200 દિવસ પૂરા થવાના અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કલું કે કોઇપણ રાજ્યમાં ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની રહે છે. કોઇપણ રાજકીય પક્ષ તેમના પર દબાણ ન કરી શકે. અમને એવા કોઇ સંકેત મળ્યા નથી કે ચૂંટણી પંચ આ વખતે વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહ્યું છે.

ભાજપ દ્વારા આવી કોઈ માંગણી કરવામાં આવી નથી. અમને આ માટે કોઇ કારણ દેખાતું નથી, રાજ્ય સરકાર તેનું કામ સારી રીતે કરી રહી છે અને તે તેનો કાર્યકાળ પૂર્ણ કરશે.પંજાબની ચૂંટણીમાં જોરદાર જીત બાદ આમ આમા આદમી પાર્ટીએ ગુજરાતમાં પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો.જેમાં પંજાબના નવા સીએમ ભગવંત માન પણ તેમની સાથે સામેલ થયા હતા, આ દરમિયાન ઘણી ભીડ ભેગી થઈ ગઈ હતી. આ સંદર્ભે જ્યારે ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલને પૂછવામાં આવ્યું કે શું ભાજપ આપ ને એક પડકાર તરીકે જુએ છે તો તેમણે કહ્યું કે ભાજપ હંમેશા લોકોના સંપર્કમાં રહ્યો છે અને સત્તામાં રહ્યો છે અને આગામી દિવસોમાં પણ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!