The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વર: સગીરા સાથે દુષ્કર્મ આચારનાર ઝડપાયો

અંકલેશ્વર: સગીરા સાથે દુષ્કર્મ આચારનાર ઝડપાયો

0
અંકલેશ્વર: સગીરા સાથે દુષ્કર્મ આચારનાર ઝડપાયો

અંકલેશ્વરમાંથી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપી વીરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ-18મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતો સંતોષ વિનોદભાઈ શુક્લાએ એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ બનાવ અંગે શહેર પોલીસે દુષ્કર્મ, પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગતરોજ દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં ફરાર સંતોષ વિનોદભાઈ શુક્લાને અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આ આરોપી રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!