ગત તારીખ ર૬.૦૬.ર૩ ના બપોરે ચાર કલાકે વીઆઇપી ગેસ્ટ હાઉસ ગાંધીનગર ટીપીએસ માં પડતર પ્રશ્ને મુદ્દે જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે મીટીંગ યોજાઇ હતી. જેમાં મેનેજમેન્ટ તરફથી ડાયરેક્ટર (એડમીન) રવિશંકર, જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે તેમજ જીયુવીએનએલ જનરલ મેનેજર (એચઆર) જે.ટી.રાય તેમજ જીબીયા તરફથી બી.એમ. શાહ સેક્રેટરી જનરલ, એચ.જી. વઘાસિયા વીપી જેટકો, નીરવ બારોટ, જી એસ જેટકો , કૌશિક ચૌધરી જીએસ યુજીવીસીએલ હાજર રહ્યા હતા.
યોજાયેલ આ મીટીંગમાં સ્ટાફ સેટ અપ, હોટલાઈન એલાઉન્સ,બિન કાયદેસર ઓર્ડર રદ કરવા,પર્ફોર્મન્સ બેઝડ ઇન્સેટિવ સ્કીમ જેવા મુદ્દાઓ ઉપરા ચર્ચાઓ હાથધરવામાં આવી આવી હતી. આ મીટીંગમાં મેનેજમેન્ટ તરફથી એક પણ મુદ્દે પરિણામલક્ષી હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ૨૭/૬/૨૩ ના રોજ માસ સી.એલ અને તા ૨૮/૬/૨૩ ના રોજ અચોક્કસ મુદ્દત ની હડતાળની જાહેરાતા કરવામાં આવી હતી.
જે અનુસંધાને આજે જીયુવીએનએલ સંલગ્નન કંપની ના સંયુક્ત સંકલન સમિતિ ના ૪૦૦૦૦ કર્મચારીઓએ જે તે ડિવિઝનમાં માસ સી.એલ પરા ઉતર્યા હતા. અને આ અંગે કોઈ પણ કર્મચારી અને અધિકારી પર જો કોઈ પગલાં લેવામાં આવશે તો ના છૂટકે તેમને લાઈટનીંગ સ્ટ્રાઇક કરવાની ફરજ પડશેની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.