• સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા
  • ભરૂચ જિલ્લાની શાળાઓ બહાર કેટલાય વિધાર્થીઓ, વાલીઓ, સ્કૂલ વર્ધિના વાહનો રજાના પાટિયા જોઈ પરત

બિપોરજોય ચક્રવાતના લેન્ડફોલ બાદ રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની પ્રબળ શકયતા વચ્ચે ભરૂચ જિલ્લાનું તંત્ર સલામતીસર શાળાઓમાં રજા જાહેર કરવામાં મોડે મોડે જાગ્યું હતું.

ભરૂચ જિલ્લા તંત્રે આજે શુક્રવારે શાળાઓમાં રજા અંગેનો નિર્ણય છેક રાતે 11 કલાકે લીધો અને તેમાં પણ વિષમ સ્થિતિમાં આચાર્યોએ વિવેક બુદ્ધિ વાપરી રજાનો નિર્ણય લેવા ધોળી દેવાયું હતું. શુક્રવારે વહેલી સવારે વાલીઓ અને વિધાર્થીઓ સાથે સ્કૂલ બસ, ઓટો અને વાન શાળાએ પોહચ્યા બાદ તેઓને પાટિયા જોઈ રજા હોવાની જાણ થઈ હતી. સ્કૂલોમાંથી વાલીઓને રજાના મેસેજ સવારે ૬ કલાકે કરવામાં આવ્યા હતા. જે કેટલાય વાલી અને વિદ્યાર્થીઓએ જોયા પણ ન હતા.સવારે તૈયાર થઈ શાળાએ પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓએ પરત ઘરે જવાનો વારો આવ્યો હતો. જેમાં સૌથી ખરાબ હાલત ગામડાના વિદ્યાર્થીઓની થઈ હતી. તો ભરૂચ શહેર અને જિલ્લામાં અમુક શાળાઓ ચાલુ પણ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here