
ભરૂચ ના ભૂવા ગામે વિજળી પડતા ઘરે પરત ફરી રહેલ ૧૭ વર્ષિય યુવાનું મોત નીપજતા કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું હતું.
તાજેતરમાં વરસતા વરસાદે સમગ્ર ભરૂચ જિલ્લાને ધમરોળવા સાથે અમુક સ્થાનો પર જળ બંબાકાર જેવી પરીસ્થીતિ સર્જાવા પામી છે. તેવામાં વરસતા વરસાદમાં ભરૂચના ભૂવા ગામે પટેલ ફળીયામાં રહેતા સહદેવ શંકર વસાવા (ઉ.વર્ષ.૧૭) બપોરે ૨ કલાક થી ૨.૩૦ ના સમય ગાળામાં ખેતરેથી પરત ઘરે આવતા હતા. ત્યારે ભૂવા ગામના રસ્તે એકાએક વિજળી ૧૭ વર્ષીય સહદેવ વસાવા પર પડતા તે બેશુધ્ધ બની ઢળી પડયો હતો. જેને ગામના જ પ્રતામ કેશુર વસાવાએ જોતા ૧૦૮ મારફત સારવાર અર્થે ભરૂચ સિવિલ લાવ્યા હતા.જ્યાં હાજર તબીબે સહદેવ વસાવાને મરણ જાહેર કર્યો હતો.
એકાએક આશાસ્પદ ૧૭ વર્ષીય સહદેવના મોતના પગલે પરિવારજનોમાં શોક છવાયો હતો. ઘટના અંગે વર્ધી જતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.