The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દેડીયાપાડાના ગાજરગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસમર્થ!

દેડીયાપાડાના ગાજરગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસમર્થ!

0
દેડીયાપાડાના ગાજરગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસમર્થ!

દેડીયાપાડા તાલુકામાં આવેલ ગાજરગોટા ગામમાં ઘણા વર્ષો પહેલા વાસ્મો દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, પરંતુ એ પાણીની ટાંકી માં અત્યાર સુધીમાં એક પણ પાણીની ટીપુ  ભરવામાં આવ્યું નથી અને જો પાણી ભરવામાં આવે તો કોઈ મોટી જાનહાની થવાની શક્યતા સેવાઈ રહી છે કેમકે આ પાણીની ટાંકી નું કામ એકદમ તકલાદી રીતે થયું છે એ પાણીની ટાંકીને સામાન્ય રીતે હલાવવાથી આખી ટાંકી હલિયા કરે છે સરકાર આવા પ્રોજેક્ટ બનાવીને લોકોના ટેક્સના  નાણા નો દૂર ઉપયોગ થતો હોય તો આવા પ્રોજેક્ટ માં તંત્ર દ્વારા બરાબર દેખરેખ રાખીને આમ નાગરિકની સુખાકારીમાં વધારો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે એજ વાસ્મો પ્રોજેક્ટની ખરાબ ટાંકીને ફક્ત કલર કામ કરીને ફરીવાર નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે પાણી પોહચાડવાં માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે, પરંતુ ખરાબ ટાંકી હોવા ના લીધે એમાં પાણી ભરી શકતા જ નથી તેથી જેતે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે એટલેજ હજુ સુધી પણ નલ સે જલ યોજના થકી ગાજર ગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસફળ સાબિત થયું છે.

આવી બધી યોજનાઓ અને પ્રોજેક્ટોમાં ઉચ્ચ સ્તરીએ તપાસના આદેશ થાય તો મસમોટા કોભાડો બહાર આવે તેવી શક્યતા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!